SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ નવમું અધ્યયન सक्का सहे आसाए कंटया, अओमया उच्छहया नरेणं । अणासए जो उ सहेज्ज कंटए, वईमए कण्णसरे, स पुज्जो ॥६॥ ઇંદ્રિયોની સમાધિથી પૂજ્યપણું થાય છે તે બતાવે છે. એટલે કોઈ કડવાં વચન કહે તો તે લોઢાના કાંટા માફક સૌને દુઃખદાઈ થાય, છતાં ગૃહસ્થોને સ્વાર્થ માટે બીજાની ગરજ હોય, અને તે કડવાં વચન કહે, તો પોતાનો સ્વાર્થ સાધવાને તે સહન કરે છે, અથવા લોઢાના ખીલા ઊપર પણ પૈસાના લોભે સૂવાવાળા દેખાય છે, અથવા ગરજ પડે કાંટાવાળા ઘાસમાં પણ સૂવે છે. આ બધું સ્વાર્થના માટે શક્ય થાય છે, પણ સાધુને ૫રમાર્થ સાધવાનો હોવાથી તેણે તો વિશેષ પ્રકારે કડવાં વચનો સહેવાં જોઈએ, એટલે વિના કારણ કોઈ તુચ્છ કે તિરસ્કારનાં વચનો કહે અને તે કાનમાં જતાં તીરની માફક હૃદય ભેદે, તો પણ મનમાં ક્રોધ ન કરે, તથા તેવું બોલનારને સામું કડવું વચન પણ ન કહે, તે જગત પૂજ્ય થાય. (હિતના માટે ગુરુ અથવા ઉત્તમ શ્રાવક કડવું વચન કહે અથવા અન્ય કોઈ દ્વેષથી ચીડવવા કડવું વચન કહે, તે સમયે સાધુએ સામું ન બોલતાં તેમાંથી જેટલો ગુણ હોય તેટલો જ લેવો.)।।૬।। मुहुत्तदुक्खा हु(उ) हवंति कंटया, अओमया तेऽवि तओ सुउद्धरा । वायादुरुताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महम्भयाणि ॥७॥ તેનો વધારે ખુલાસો કરે છે. છાતીમાં લાગેલાં તીર અથવા પગમાં લાગેલાં કાંટા થોડો કાળ દુઃખ આપે છે, કારણ કે જ્યારે તેને ત્યાંથી કાઢીને ઘા ઊપર દવા લગાવે ત્યારે મટી જાય છે, પણ કહેલાં કડવાં વચન મનને વિંધવાથી તેનો ઘા જલદીથી રૂઝાતો નથી, પણ જો સાધુ સમતા ન રાખે, અને સામો કડવાં વચનનો ઉત્તર આપે તો પરસ્પર વેર વધે અને તેથી કુગતિમાં પડવાનું થાય, એવો મહાભય આપનાર કડવું વચન છે, (એટલા માટે એક વખત સહન કરવાનું દુઃખ વેઠવું સારૂં, કે વેર ના વધે. તેમજ સાધુએ કોઈને કડવું વચન પણ ન કહેવું જેથી ક્લેશનું બીજ થવાનો ભય ન રહે.)I9II समावयता वयणाभिघाया, कण्णगया दुम्मणियं जगति । धम्मो ति किच्चा परमग्गसूरे, जिइंदिए जो सहई स पुज्जो ॥८॥ કડવાં વચનનો સમૂહ કાન તરફ આવતાં મનમાં ખેદ ઉત્પન્ન કરે છે, કારણ કે અનાદિ કાળનો અભ્યાસ ચાલતો આવે છે, તેવે સમયે સાધુનો ધર્મ સમતા રાખવાનો છે, એમ જાણીને જેમ દાની દાન આપે તથા વીર પુરુષ લડાઈમાં ઘા ખમે છે તેમ પોતે વીર શિરોમણિ બનીને ઇંદ્રિયોને જીતીને સહન કરે, ક્રોધની ચેષ્ટા પણ ન કરે. (ભવિષ્યમાં વેર લેવાનું પણ ન ચિંતવે) આવો સાધુ જગત પૂજ્ય થાય છે. IIII अवण्णवायं च परम्मुहस्स, पच्चक्खओ पडिणीयं च भासं । ओहारिणि अप्पिअकारिणि च, भासं न भासेज्ज सया, स पुज्जो ॥su પરિનંદા પછવાડે ન કરે, તેમ સામે બીજાને કડવું વચન પણ ન કહે, તથા આ ખોટો જ છે, એવું ખરાબ વચન પોતે ન બોલે, આવી રીતે બોલવામાં જે વિવેક રાખે તે પૂજ્ય થાય છે.IIII अलोलुए अक्कुहए अमायी, अपिसुणे आवि अदीणवित्ती । नो भावए नो वि य भावियप्पा, अकोउहल्ले य सया, स पुज्जो ॥१०॥ આહાર વિગેરેમાં લુબ્ધ ન થાય, તથા ઇંદ્રજાળ વિગેરેમાં વિદ્યામાં સાય નહિ, તથા કુટિલતા (કપટ) ન રાખે, તથા સંઘાડા (સાધુ સમૂહ)માં ક્લેશ ન કરાવે, તથા આહાર વિગેરે યોગ્ય ન મળતાં ખેદ ન કરે, તથા દીનતા ન બતાવે, તથા મનમાં ખરાબ ધ્યાન ન કરે. અને બીજા આગળ એમ ન કહે, કે હું કેવો પ્રશંસવા યોગ્ય છું, તથા ભાવિત આત્મા ન બને (એટલે પોતાના દોષ જુએ અને સુધારે) પોતાની પ્રશંસા પોતે ન કરે તથા કૌતુક વિગેરે ૮૦
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy