________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ३
(અહીં સંવેદનાનો અર્થ સંવેગ ઉત્પન્ન કરનાર લેવો.)
आयपरसरीरगया, इहलोए चैव तहय परलोए । एसा चउब्विहा खलु, कहा उ संवेयणी होइ ।। १९९ ।। वीरियविउब्वणिड्डी, नाणचरणदंसणाण तह इड्डी । उवइस्सइ खलु जहियं, कहाइ संवेयणीइ रसो ।। २०० ।।
જેના વડે સાંભળનારને સંવેગ થાય તે, સંવેદની કથા છે. || ગાથાર્થ છે | વૃદ્ધ સંપ્રદાય પ્રમાણે વિવરણ આ છે. તેથી ભાવાર્થ સમજવો. સંવેદની કથા ચાર પ્રકારની છે. (૧) આત્મ શરીર સંવેદની (૨) ૫૨શરીર સંવેદની (૩) આલોક સંવેદની (૪) પરલોક સંવેદની. હવે પ્રથમ આત્મશરી૨ સંવેદની કથા કહે છે. જેમ કે આ મારૂં શરીર વીર્ય, લોહી, માંસ, મજ્જા, વસા, મેદ, હાડકાં, સ્નાયુ, ચામડું, વાળ, રોમ, નખ, દાંત, આંતરડાં વિગેરેના સમૂહથી બનેલું છે. અને પેશાબ વિષ્ટાથી ભરેલું છે, તેથી અપવિત્ર છે, એવું સાંભળવાથી સાંભળનારને સંવેગ (વૈરાગ્ય) ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પરના શરીર સંબંધી પણ (એજ પ્રમાણે અશુચી બતાવવી તેને સંવેગ કરાવવો, તે પર શરીર સંવેદની છે. અથવા ૫૨ શરીરને વર્ણવતો સાંભળનારને વૈરાગ્ય ઉપજાવે તે પર શરીર સંવેદની કથા (આ સંબંધે લૌકિક બનેલી કથા જાણવા જેવી છે. કે એક શ્રેષ્ઠી પુત્રને કોઈ સુંદર સ્ત્રીથી મોહ થયો, તેથી એકાન્તમાં તેની પાસે ભોગની પ્રાર્થના કરી. સ્ત્રીએ તેને પ્રતિબોધ કરવા તેના શરીરમાં શું ભર્યું છે, તે પ્રત્યક્ષ બતાવવા એક માટીના નવા કુંડામાં પોતે ટટ્ટી જઈ વિષ્ટા પેશાબ થુંક બળખા તથા થોડું લોહી છરીની અણીથી કાઢી તે બધું મિશ્ર કરી તેના ઉપર રેશમી વસ્ત્ર લપેટી લાવી. તેને કહ્યું આ કુંડા સાથે સ્પર્શ કરો. સુગંધ લો, તથા વારંવાર તેનાથી આનંદ પામો, પેલાએ તેને ખુશ કરવા હાથમાં લઈ સંધ્યું તો, દુર્ગંધથી ભડકી કુંડું ફેકી દીધું. અને સ્ત્રીને ઠપકો આપ્યો કે આ શું કરે છે ? સ્ત્રીએ કહ્યું કે મારા શરીરમાં તમોને મોહ છે. તે બતાવવા કર્યું છે. અને રેશમી વસ્ત્ર એટલા માટે કે ઉપરથી મારી ચામડી સુંદર છે, તે તમને જણાય, તેથી પેલાને વૈરાગ્ય થયો, આંખોનો દુરુપયોગ ફરી ન થાય, માટે તે ફોડી નાંખી અને ઈશ્વરભક્તિમાં લીન થયો. આ પ્રમાણે લોકોત્તરમાં રાજીમતીનો દૃષ્ટાંત રહેનેમિંનેપ્રતિબોધવા માટે છે, ‘અશુચિ કાયારે મળ મૂત્રની ક્યારી તમને કેમ લાગે એવડી પ્યારીરે દેવરીઆ મુનિવર ધ્યાનમાં રહેજો.' ઇત્યાદિ)
હવે આ લોક સંબંધી સંવેદની કથાનું વર્ણન.
જેમ કે આ મનુષ્યનો જન્મ અસાર અધ્રુવ કેળના થડ સરખો નકામો છે. એ રીતે ધર્મકથાના કહેના૨થી સાંભળનારને સંવેગ થાય, તેવી જ રીતે પરલોક સંબંધી કહે કે જેમ દેવો પણ ઇર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, લોભ વિગેરે દુઃખોથી હારેલા (પીડાયલા) છે, તો પછી તિર્યંચ નારકી સંબંધી શરીરનાં દુઃખોનું વધારે શું કહેવું. વક્તા આવી રીતે કહે ત્યારે સાંભળનારને સંવેગ આવે, આ પરલોક સંબંધી સંવેદની કથા છે. હવે શુભ કર્મોદય અને અશુભ કર્મનો ક્ષય કરનારી કથા કહેવાથી સંવેજની ૨સ કહે છે. વીર્ય વૈક્રિય ઋદ્ધિ તે તપના પ્રભાવથી ઉત્પન્ન થાય છે, એટલે આકાશમાં ચડે તે, જેવા ચારણ વિદ્યાચારણની લબ્ધિઓ વિગેરે આત્માની શક્તિ (વીર્ય વૈક્રિયનિર્માણક લક્ષણરૂપ) છે, તથા જ્ઞાન ચરણ દર્શનની ઋદ્ધિઓ છે, તે આ પ્રમાણે જ્ઞાન ઋદ્ધિ સંબંધમાં પ્રશ્ન
[36]