SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ अध्ययन ३ આ કાલિક શ્રુત ભણવાનો સમય છે કે ? તેથી સાધુએ જાણ્યું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ દેવી વિશેષ છે. તેથી ઉપયોગ દીધો, મધ્ય રાત્રી જોઈ તેથી પોતાની ભૂલ બદલ મિથ્યા દુષ્કૃત લીધું. દેવીએ કહ્યું ફરીથી એવું ન કરીશ કારણ કે કોઈ ક્ષુદ્ર દેવતા દુઃખ દેશે માટે કાળમાં ભણવું, પણ અકાલમાં ન ભણવું. તથા શ્રુત ભણતાં ભણનારે ગુરુનો વિનય કરવો. અભ્યુત્થાન તથા પગ ધોવા વિગેરે - અવિનયથી ગ્રહણ કરેલું (પ્રાયઃ) અફળ થાય છે. અહીં ઉદાહરણ શ્રેણિકનું છે. રાણીએ રાજાને કહ્યું કે, મારે માટે એક સ્થંભવાળો મહેલ બનાવ. વિગેરે આ દૃષ્ટાંત પહેલા અધ્યયનમાં છે, ગા. ૬૨માં ત્યાંથી જોવું. તેથી વિનય કરીને ભણવું, પણ અવિનયથી નહિ. તથા શ્રુત ભણનારે ગુરૂનું બહુમાન ક૨વું અર્થાત્ બહુમાન ભાવ રાખવો. બહુમાન ભાવ રાખવાથી ક્ષેપ વિના અધિક ફળ થાય છે. વિનય અને બહુમાન આ સંબંધમાં ચોભંગી કહે છે. ૩(૧) વિનયયુક્ત, બહુમાન યુક્ત, (૨) વિનય રહિત બહુમાન યુક્ત, (૩) વિનય યુક્ત બહુમાન રહિત, (૪) વિનય રહિત બહુમાન રહિત. (આમાંપ્રથમ ભાંગો સર્વશ્રેષ્ઠ છે. શારીરિક અસ્વસ્થાદિ કારણે વિનય ન પણ હોય પણ બહુમાન તો હોવું જ જોઈએ. તેથી બીજો ભાંગો પણ આદરણીય છે. આ વિનય તથા બહુમાનનું વિશેષપણું બતાવવા આ ઉદાહરણ છે. એક પહાડની ગુફામાં શિવનું મંદિર છે. તેને બ્રાહ્મણ તથા ભીલ બન્ને જણા પૂજે છે. બ્રાહ્મણ પૂજન કરીને મંદિર સાફ રાખવું, પાણી છાંટવું, વિગેરેમાં ઉદ્યમ કરતો પવિત્ર થઈને સ્તુતિ કરે છે. વિનય યુક્ત છે. પણ બહુમાન રહિત છે, પણ પુલિંદ (ભીલ) તે શિવમાં ભાવ રાખી ગલ્લ (ગુંદા) પાણી વડે સ્નાન કરાવે છે, અને બેસે છે, ત્યારે શિવ પ્રત્યક્ષ તેની સાથે વાતો કરવા લાગ્યો. બ્રાહ્મણે બન્નેનો સ્વર સાંભળ્યો, પછી ભીલના ગયા પછી સેવા કરી. ઠપકો આપ્યો, કે, હે શિવ તું આવો કંટ પૂતના શિવ (હલકી જાતનો દેવ) છે કે, આવા હલકી જાતિના સાથે વાતો કરે છે ? શિવે કહ્યું તેની ભક્તિ (બહુમાન) ઘણી છે, પણ તારામાં તે નથી. એક વખત એક આંખ ઉખાડીને શિવ રહેલ છે, ત્યાં બ્રાહ્મણ આવ્યો. રોઈને રહી ગયો. શાંત થયો. પણ ભીલે આવતાં શિવ આંખ વિનાનો જોઈ, પોતાની આંખ તીરવડે કાઢી શિવને ચડાવી. ત્યારે શિવે બ્રાહ્મણને ખાત્રી કરી આપી. આ લૌકિક દૃષ્ટાંતથી એમ ક્યું કે, ભણનારે વિનય બહુમાન બન્ને ક૨વાં. તથા શ્રુત ગ્રહણ કરવા માટે ઉપધાન કરવાં ‘ઉપધાન એટલે તપ તે જે અધ્યયનમાં જે આગાઢ આદિ યોગ લક્ષણ કહ્યું છે તે તે કરવાં કારણ કે તે તપ પૂર્વક શ્રુત ગ્રહણ કરવાથી જ સફલ થાય છે. અહિં તે સંબંધી એક ઉદાહરણ-એક આચાર્ય છે. તે વાચનામાં થાકી જવાથી સ્વાધ્યાયના વખતમાં અસ્વાધ્યાયિક બોલવા લાગ્યા, જ્ઞાનનું અંતરાય કર્મ બાંધીને કાલ ક૨ીને દેવતા થયા. પછી આયુક્ષયે વીને રબારીના કુલમાં અવતર્યા. ભોગને ભોગવે છે. એક વખતે તેને એક પુત્રી થઈ, તે ઘણી રૂપવાન છે. તે બાપ દીકરી બન્ને ગાયો ચારવા માટે પાસેના ગામોમાં જતાં હતાં. (તે બાપ દિકરી ઘી વેચવા પાસેના ગામમાં જતા હતાં.) તેનો બાપ બધાં ગાડાંની આગળ પોતાનું ગાડું કરી ચાલતો હતો, તે સમયે દીકરી ગાડાના ઘૂસરા ઉપર બેઠી હતી, યુવકોએ વિચાર્યું કે આપણું ગાડુ સાથે રાખી કન્યાને જોઈએ, તેથી ઉન્માર્ગે ગાડાં ચલાવ્યાં. અને વિષમ રસ્તો આવતાં ચાલતાં [26]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy