SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જે મુનિમાં સમ્યગ્દર્શન નથી, સભ્યજ્ઞાનના ઘરનું અનુભવ જ્ઞાન નથી. એવા મુનિ સાધુવેશમાં હોવાંથી જિનશાસનની ક્રિયા કરતાં જિનશાસનની અપભ્રાજના થાય તેવું વર્તન કરી લે છે. એટલા માટે ઉપદેશમાલા ગ્રંથમાં કહ્યું છે કે– જે મુનિ જિનશાસનના સિદ્ધાંતને નિશ્ચય અને વ્યવહારનયથી સમજ્યો નથી. જિન સિદ્ધાંતનાં રહસ્યોથી અનભિજ્ઞ છે. ગીતાર્થતા જેને સદ્ગુરુ ભગવંતોની નિશ્રાથી પ્રાપ્ત નથી થઈ અને તે મુનિ બહુશ્રુત અર્થાત્ શાસ્ત્રોનો જ્ઞાતા બની ગયો છે. વિદ્વતા પ્રાપ્ત કરી લીધી છે. વ્યાખ્યા શક્તિથી સંયુક્ત છે. તર્ક શાસ્ત્રોનો જ્ઞાતા છે. જેને અનેક અજ્ઞાન લોકો સન્માન આપે છે. જેની લોકો વિશેષરૂપથી ભક્તિ પૂજા. કરે છે. અનેક શિષ્યોનું ગુરુપદ જે ધારણ કરે છે. અર્થાત્ જેની પાસે શિષ્યોનો પરિવાર વધારે છે. તે અનુભવ જ્ઞાનની ઓછપ હોવાથી જિનશાસનનું અહિત થાય તેવી પ્રરૂપણા, તેવું કાર્ય પોતાના ભક્તો દ્વારા કરાવડાવી ભોળાં ભવ્યાત્માઓને ઉન્માર્ગ (ખોટા રસ્તે) ચઢાવી પ્રત્યેનીકતાનું ઉગ્ર પાપ બાંધીને જિનશાસનનાં શત્રુપણાનું કાર્ય કરી લે છે. જિનશાસનનો શત્રુ અર્થાત્ પોતાનો જ શત્રુ આ કથન નિશ્ચયથી છે. જિનશાસનનું અહિત ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ પોતે પોતાના આત્માના હિત અહિતના જ્ઞાનથી અનભિજ્ઞ (અજાણ) બને છે. બાહ્ય જ્ઞાન અર્થાત્ મિથ્યા જ્ઞાન આત્માને આત્મ હિતકારી કાર્યો પ્રત્યે આકર્ષિત નથી થવા દેતું. તેનું આકર્ષણ આત્મ અહિતકારી કાર્યો પ્રત્યે હોય છે. જેનાથી શાસનની અવહેલના થાય છે. વ્યવહારથી શાસનની અવહેલના નિંદા વગેરે થાય છે. પરંતુ નિશ્ચયથી આત્માની અવહેલના થાય છે. શાસનની અપભ્રાજના કરાવવાંથી તીર્વ અશુભ કર્મનો બંધ થાય છે, જેનાથી આત્મા દુર્ગતિઓમાં દુઃખો ભોગવે છે. આ આત્માની અવહેલના થઈ.
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy