________________
श्री दशकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ કોઈ પુરુષ સાથે સંબંધમાં પડી, વાણીઆને ઘરમાં રહેલો જાણીને તેને તે કહેવા લાગી વ્યાપાર કરવા જાઓ?' વાણીએ કહ્યું, "શું લઈને જાઉ?' તેણીએ કહ્યું, 'ઊંટના લીંડા લઈને ઉજ્જયની નગરીમાં જાઓ.' તે ભોળો હોવાથી ગાડું ભરીને ઉજ્જયની ગયો જતી વખતે સ્ત્રીએ કહ્યું, એક એક મહોરે લીડું વેચજો' એટલે કે સ્ત્રીએ વિચાર્યું કે એ પ્રમાણે કોઈ લે નહિ અને તે ઘણા કાળ સુધી ત્યાં રહેશે તે પ્રમાણે તે ગયો. બજારમાં વેચવા લાગ્યો પણ કોઈ તેને કંઈ પણ પૂછતું નહોતું મૂળદેવે તે જોયું અને પૂછ્યું. તેણે તે કહ્યું, 'મૂળદેવે વિચાર્યું કે આ બિચારાને સ્ત્રીએ ઠગ્યો છે. તેથી તેણે કહ્યું, 'હું આ તારાં લીડાં વેચી આપું, પણ તારે મને અર્ધો ભાગ આપવો પેલાએ તે કબુલ કર્યું. ત્યારપછી મૂળદેવ હંસ માગી લાવીને આકાશમાં ઉડ્યો અને નગરના મધ્ય ભાગમાં ઉડી કહેવા લાગ્યો, 'જેના ગળામાં ચેટ (દાસ) રૂપનમાં ઊંટના લીંડાં બાંધેલા ન હોય તો તેને હું મારી નાખીશ હું દેવ છું,’ તેથી બધા લોકોએ ડરીને એક એક મહોરથી ઊંટના લીંડાં લીધાં. બધાં ખપી ગયાં, તેથી મૂળદેવને અર્ધા પૈસા આપ્યા. જતી વખતે મૂળદેવે કહ્યું, 'અરે ભાગ્યહીન ! તારી સ્ત્રી કોઈ ધૂર્ત સાથે લાગેલ છે તેથી તને આવું ખોટું શીખવીને મોકલ્યો.' તેણે તે વાત માની નહિ. મૂળદેવે કહ્યું, 'ચાલ, આપણે સાથે જઈએ. તું માનતો નથી માટે તને દેખાડું વેશ બદલી બને સાથે ગયા. સંધ્યાકાળે આવી ઉતારો માંગ્યો. બાઈએ અણજાયે ઉતારો આપ્યો. બન્ને જણા બેઠા. ધૂર્ત આવ્યો એટલે તેની જોડે (ખાઈ પીને) તે સ્ત્રી બેઠી અને ગાવા લાગી.
इरिमंदिरपण्णहारओ, मह कंतु गतो वणिजारओ । वरिसाण सयं च जीवउ मा जीवंतु घरं कयाइ एउ॥१॥
લક્ષ્મીનું મંદીર અને વેચવાની વસ્તુઓને ધારણ કરનાર મારો પતિ વેપારમાં રકત થઈને પરદેશમાં ગયેલ છે તે સેકડો વર્ષ જીવો અને ઘેર કદી જીવતો ન આવો. મૂળદેવે કહ્યું,
कयलीवणपत्तवेढिया, पइभणामि देव जं मद्दलएण गज्जती मुणउ तं मुहुत्तमेव ॥ १ ॥
. • કેળના વનનાં પાંદડામાં બીટાયેલી તું સાંભળ. જે દેવત સાથે ઢોલક વાગે છે તે એક મુહૂર્ત માત્ર સાંભળી લે પછી મૂળદેવે કહ્યું, 'હે ધૂર્ત, આ શું? (એના પતિને કહ્યું તે આજોઈલે) તેથી પ્રભાતમાં નીકળીને તેનો પતિ પાછો આવ્યો. તેની સામેજ બેઠો. કોણ? ત્યારે તે બાઈ ગભરાઈને સામે આવી. તે વખતે ખાવા પીવાનું જ્યાથી ચાલતું હતું ત્યાંથી વાણીઆએ તેનાં ગાયેલાં ગીત સુધી બધું યાદ કરી કહ્યું. આ લૌકિક હેતુ છે. લોકોત્તરમાં પણ ચરણ કરણાનુયોગમાં કોઈ ભોળો શિષ્ય આ વાણીયા માફક કોઈ ધર્મ પદાર્થને ન માને તો સમય આવ્યે વિદ્યા વિગેરેથી અથવાદેવી બોલાવી તેને મારફત શ્રદ્ધાવાળો કરવો. તથા દ્રવ્યાનુયોગમાં પણ પ્રતિવાદીને જાણી ઘણા વિશેષણવાળો હેતુ કહેવો જેથી વાદીને વિચારતાં ઘણો સમય થાય. ત્યાં સુધીમાં તેનો ઉત્તર પણ સુખેથી દેવાય તેથી પણ જો ન સમજે તો જેમ શ્રી ગુપ્ત મહારાજે પોતાના શિષ્ય ષડુલૂકને કુત્રિકા પણ ચર્ચરી (એટલે દેવતા અધિષ્ઠિત સર્વ વસ્તુઓ વેચવાની દુકાનોમાંથી પદાર્થ મંગાવ્યા અને સમજાવ્યો તેમ જૈન ધર્મ સિદ્ધ કરવો. યાપક એટલે ઘણો કાળ વીતાવવો તે. (જેમ દુષ્ટ હેતુથી સ્ત્રીએ કર્યું હતું તેમ નહિ. પણ સારા કામમાં વિચારવા માટે વધારે વખત લેવો.) હવે સ્થાપક હેતુ કહે છે.
लोगस्स मज्झजाणण थावगहेऊ उदाहरणं ॥७॥
૬૩