SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંત્રના પ્રભાવે પ.પૂ.મુનિરાજ શ્રીમિત્રાનંદવિજયજી મહારાજ વિદ્યાધરશ્રેણિના માલિક રત્નશિખે સાકેતપુરનગરમાં શ્રીસુયશ જિનેશ્વર ભગવંતની અમૃતસમી ધર્મદેશના સાંભળ્યા પછી કહ્યું : भयवं ! केरिसं पुण पुरा पुण्णमुवज्जियं मए जस्सफलं संपयमणुहवामि ? હે ભગવંત ! પૂર્વે મેં કેવું પુણ્ય ઉપાર્યું છે કે જેના ફળરૂપે મળેલી આ વિદ્યાધરની વિપુલ સંપત્તિ હું ભોગવું છું ? ભાવયા મળિયું—ભગવંતે કહ્યું : पंचनमुक्कारसरणनिचछयमाहप्पमिणं પંચનમસ્કાર શ્રીનવકારમહામંત્રના સ્મરણનું નિશ્ચયથી આ માહાત્મ્ય છે. અર્થાત્ તેં પૂર્વે મહાદરિદ્ર અવસ્થામાં મુનિવરોના ઉપદેશથી ત્રણ સંધ્યાએ કરેલા શ્રીનવકારના જાપનું આ નિશ્ચિત ફળ છે. વળી આ શ્રીનવકાર કેવો છે તે સાંભળ : भद्दयभावो भव्वो, एत्तो पावेइ सुद्धसम्मत्तं । सम्मट्ठी विरई, विरओ सिवसंपयंपरमं ॥ १ ॥ . • શ્રીનવકાર મંત્રના પ્રભાવે–મિથ્યાદષ્ટિ જીવ સુંદર એવા ભદ્રકભાવને, ભદ્રક ભાવવાળો શુદ્ધ-નિર્મળ સમ્યક્ત્વને, સમ્યગ્દષ્ટિ આત્મા વિરતિભાવરૂપ ધર્મરત્નને અને વિરતિધર શીઘ્રપણે મોક્ષની અનંતસંપત્તિને પ્રાપ્ત કરે છે. (૧) जं पुण सुहसोहग्गं, रूवं लच्छी पहत्तदेवत्तं । एवं लाल कप्पं, पसंगपत्तं अणप्पं पि ॥२॥ મુખ્યફળની સાથે શ્રીનવકા૨નું આનુષંગિક ફળ–સુંખ, સૌભાગ્ય, રૂપ, લક્ષ્મી, પ્રભુત્વ અને દેવત્વ પ્રાપ્ત થાય છે. ધાન્યની સાથે ઘાસની પ્રાપ્તિતુલ્ય આ આનુષંગિક ફળ વિપુલ અને સર્વશ્રેષ્ઠ હોય છે. (૨) इय सव्वगुणट्ठाणगकारणमेसो महापभावोय । इहपरभव सुहजणओ पहाणमंतो नमोक्कारो ॥३॥ આ પ્રધાનમંત્ર શ્રીનવકાર ક્રમશઃ સર્વગુણસ્થાનકોની પ્રાપ્તિ કારણ છે, - મહાપ્રભાવવાળો છે અને આલોક-પરલોકના સુખોને ઉત્પન્ન કરનારો છે. (૩) . ૩૯૮ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy