SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ “પંચમંગલ મહાશ્રુતસ્કંધ" પંચમંગલ મહાશ્રુતસ્કંધ સર્વ મહામંત્ર તથા પ્રવર વિદ્યાઓનું પરમબીજરૂપ છે. અનંત ગમ–પર્યવાર્થનું પ્રસાધક છે. તેનું અધ્યયન તથા વિનયપધાન કરવું કરાવવું જોઈએ. શ્રદ્ધા સંવેગ યુક્ત વિધિથી કરવામાં આવે તો સર્વ સિદ્ધિઓ સાંપડે છે. ઇષ્ટદેવતાને નમસ્કાર કર્યા સિવાય કોઈ પણ મનુષ્ય સકલ સુખના હેતુભૂત શ્રુતજ્ઞાનનો પાર પામી શકે નહિ. પંચમંગલમહાશ્રુતસ્કંધ—એ જ ઇષ્ટદેવતાનો નમસ્કાર છે. જેમ તલમાં તેલ છે, કમલમાં મકરંદ છે અને સર્વલોકમાં પાંચ અસ્તિકાય રહેલ છે, તેમ આ પંચમંગલમહાશ્રુતસ્કંધ સકલ આગમોમાં અંતર્ગત રહેલ છે અને તે યથાર્થ ક્રિયાનુગત સદ્ભુત ગુણોના કીર્તનસ્વરૂપ તથા યથેચ્છ ફસાધક પરમસ્તુતિવાદરૂપ છે. સર્વ જગતમાં જે ઉત્તમ હોય તેની સ્તુતિ કરવી જોઈએ. જે કોઈ ઉત્તમોત્તમ થઈ ગયા અને થશે તે અરિહંત આદિ જ છે. તે સિવાય બીજા નથી જ. તે અરિહંત આદિ પાંચ પ્રકારે છે : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. બોધિલાભ સુલભ કરવા માટે મહાનિયંત્રણાસ્વરૂપ પંચમંગલ મહાશ્રુતસ્કંધના વિનયોપધાનનો વિધિ ૧. કાલ તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન અને ચંદ્રબળ સુપ્રશસ્ત અને સુંદર હોય ત્યારે. ૨. વિનય : જાતિ વગેરે આઠ મદરહિત થઈને, આશંકાથી રહિત થઈને, અત્યંત તીવ્રતર મહાઉલ્લસિત શુભ અધ્યવસાય સહિત ભક્તિપૂર્વક. ૩. બહુમાન : બહુમાન (અંતરંગ પ્રીતિ)પૂર્વક. ૪. ઉપધાન : નિયાણા વિના પાંચ ઉપવાસ કરીને, જિનચૈત્યમાં જંતુરહિત સ્થાનમાં, ભક્તિથી સભર બનીને, નતમસ્તકે, પ્રફુલ્લિત રોમાવલી, વિકસિત વદનકમલ, પ્રશાંત, સૌમ્ય અને સ્થિર દષ્ટિ, નવા નવા સંવેગથી ઉછળતા, અત્યંત, નિરંતર, અચિંત્ય, પરમ, શુભ, પરિણામ વિશેષથી ઉલ્લસિત આત્મવીર્ય અને પ્રતિ સમયે વૃદ્ધિ પામતા પ્રમોદથી, ૧. શ્રીમહાનિશીથસૂત્રના આધારે. ૩૭૬ - ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy