SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તો ‘તમે'ને બદલે ‘તું' શબ્દ પણ વાપરી શકાય. પ્રયોગ કરી જો જો, નિષ્ફળ નહિ જાય એકદમ જો ના ફળે તો પછી સાધ્યઉપાસ્ય સાથે એ વાતનો ઝગડો કરજો, આંખમાંથી આંસુ નીકળે તો સમજજો કે ઝગડો ખરા દિલથી થઈ રહ્યો છે. શ્રદ્ધા રાખીને પ્રયોગ કર્યા કરજો, અવશ્ય ફળશે, એક ખાસ વાત પૂર્ણાંશે કે અલ્પાંશે પણ પ્રયોગસિદ્ધ થાય તો દેવાધિદેવનો આભાર માનવાનું ભૂલતા નહિ. ચરણમાં ભાવથી આળોટી પડજો. આરાધનાના પ્રત્યેક પ્રસંગે પ્રારંભમાં એનું શરણું સ્વીકારી લેજો અને પ્રત્યેક પૂર્ણાહુતિ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ભૂલશો નહિ. આભાર. (૩) ‘સાધકની સમક્તિરંગી સાધનાનો સુવર્ણરથ સમ્યગ્ માર્ગ ઉપર પ્રગતિ કરી રહ્યો, હોવાની કોઈ સંજ્ઞા (નિશાની) ખરી ?' “સંજ્ઞાઓ તો ઘણી હોય છે.” “કાળસભાનતા' (I me Consciousness) એમાંની એક સંજ્ઞા છે. સાધક જ્યારે સંસાર-વ્યવહારનાં અનિવાર્ય કાર્યોમાં રોકાયેલો ના હોય, ત્યારે સમક્તિરંગી સાધકની એક એક પળનો વ્યય કંઈ ને કંઈ સ્વ-પરહિતપ્રદ કાર્યમાં જ થતો હોય, દ્રવ્યથી કે ભાવથી. એના અંતઃકરણમાં સાધ્યનું સ્મરણ હોય શ્રીનમસ્કાર મહામંત્રના રટણ દ્વારા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ભાવવંદન ચાલતું હોય, ‘જીવમાત્રનું કલ્યાણ થાઓ,' એવી ભાવનાથી એનું હૈયું ભર્યું ભર્યું હોય. આ સિવાયની એક પળનો પણ નિરર્થક કાળક્ષેપ થતાં સાધકના દિલમાં વેદના થવા માંડે, ત્યારે સમજવું કે ગાડી પાટા ઉપર ચડી ગઈ છે. અનાદિઅનંત આ વિશ્વમાં એક કાળ (Time) જ એવી વસ્તુ છે. જેને ગૂમાવ્યા પછી પાછો મેળવી શકાતો નથી બીજું બધું જ પાછું મેળવી શકાય છે. નવા નવા સ્વરૂપે અને નવાં નવાં શરીરોમાં જિંદગીઓ પાછી મેળવી શકાય છે, ધન, દોલત, વૈભવ ઇત્યાદિ બધું જ પાછું મેળવી શકાય છે, પરંતુ ગયેલા સમયને પાછો મેળવી શકાતો નથી. આ વાતની સમજણ સાધકના ‘અનુભવમાં આવે' અને એક પળનો પણ નિરર્થક કાળક્ષેપ એના કાળજામાં કાંટા વગાડવા લાગે, ત્યારે સમજવું કે સાધનાનો ૨થ સમ્યગ્ ચીલા ઉપર ચડી ચૂક્યો છે.” ૩૩૨ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy