________________
દશામાં જીવના સર્વ દોષો નષ્ટ થઈ જાય છે અને સર્વ ગુણો પ્રાપ્ત થઈ જાય છે.
(૨૩) જે જોઈએ તે સઘળાનું નિધાન શ્રીનવકાર મંત્ર છે. નવકાર મંત્રમાં શરણભૂત પદાર્થોનો સમાવેશ થાય છે. શ્રીપંચપરમેષ્ઠિ થવાનો અંતરાય તૂટે તે માટે નમસ્કાર છે. “નમો અરિહંતાઈ' દુઃખનાશક, સુખ સ્થાપક અને મોક્ષસાધક છે. તેના જાપથી રોગો-કષ્ટો નાશ પામે છે અને દેવો પણ ખેંચાઈને આવે છે. જાપ કરતાં પહેલાં આસન અને મુદ્રા જરૂરી છે. જેમ જંગલમાં રામને શોધવા જતા લક્ષ્મણજી સીતાદેવીની કુટિરની ચારે બાજુ લાઈનદોરી બાંધે છે, કુંડાળું કરે છે જેથી કોઈ પ્રાણી-પિશાચ અંદર પ્રવેશ ન કરી શકે તેમ “વજપંજર સ્તોત્ર' બોલીને શરીરના દરેક ભાગ ઉપર હાથ ફેરવીને આપત્તિથી રક્ષણ થાય છે. “નમો અરિહંતા' પદ ગણવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મન પ્રત્યેક ક્ષણે એક વૈતાલરૂપ છે. એક મિનિટમાં મનમાંથી ૪૮થી ૨૫ વિચારો બહાર પડતા હોય છે. મન વ્યગ્ર થાય ત્યારે વિચારોના ઉભરાઓ ઠલવાય છે. મન અને પ્રાણને અતિશય ગાઢ સંબંધ છે. તેથી પ્રાણની સાથે મનને ભેળવી દેવું. પ્રાણ રોમેરોમમાં વ્યાપી જાય છે. શ્વાસ લેતી વખતે “નમો' અને શ્વાસ મૂકતી વખતે ‘રિહંતાઈ'નું રટણ કરવાથી મંત્ર શ્વાસની સાથે મળી જાય છે. મન શ્વાસોશ્વાસ સાથે બંધાયેલું હોવાથી મન એકાગ્ર થાય છે અને શ્વાસોશ્વાસ શરીરના એકેએક પરમાણુઓ સાથે ભળી જાય છે. શરીરના આરોગ્યમાં શ્વાસોશ્વાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. Deep breathing ઊંડો ને દીર્ધ શ્વાસોશ્વાસ ઠેઠ નાભિ–આંતરડા સુધી પહોંચે છે અને અશુદ્ધ તત્ત્વોને બહાર કાઢે છે. આ રીતે શ્વાસોશ્વાસની શ્રેષ્ઠ માળાથી “નમો અરિહંતા'નો જાપ કરવાથી દ્રવ્ય ને ભાવ આરોગ્ય–બોધિલાભ ને સમાધિની પ્રાપ્તિ થાય છે. બધો આધાર quality ઉપર છે, કેવળ quantity ઉપર નહિ.
(૨૪) મન બે પ્રકારના છે : objective mind એટલે બાહ્યમનઃ (૩) subjective mind એટલે સૂક્ષ્મ મન, સૂક્ષ્મ મન સદા જાગ્રત રહે છે. સૂક્ષ્મ મન. એટલે આંતરમન. આંતરમનમાં સંસ્કારોનો ભંડાર હોય છે. રમકડાંને જેમ ચાવી આપવાથી આપોઆપ ચાલે છે, ગતિ કરે છે તેમ આંતરમનને માત્ર ચાવી આપવાથી સંસ્કારો આપોઆપ કામ કરે છે. બાહ્ય મન જ્યારે સુપ્ત હોય કે બીજા વિચાર કે કાર્યમાં રોકાયેલું હોય ત્યારે પણ આંતરિક મન જાગ્રત રહીને કામ કરે છે. આંતરિક મન સદા જાગ્રત રહીને એની મેળે વિચારો કે સંસ્કારો મુજબ કામ કરે છે. આ વાત સ્વાનુભવથી દરેક સમજી શકે છે. દા.ત. : ઘેર જતાં રસ્તામાં અનેક વિચારો કરતું બાહ્ય મન બાહ્ય વિચારોમાં મગ્ન હોય તો પણ આંતરમન માણસને બરાબર ઘેર પહોંચાડે છે. યાદ રાખેલ કોઈ પણ સૂત્ર-સ્તવન-સજઝાય બોલવાનું શરૂ કર્યા પછી કેટલાકનું મન બીજે
૩૦૬ ૦ ધર્મ-ચિંતન