SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમા આપવામાં આપણા અંતરનું ઔદાર્ય આપણે વ્યક્ત કરીએ છીએ, પરંતુ ક્ષમા માગવામાં તો આપણી ખરેખરી વીરતા, અપ્રતીમ વીરતા રહેલી છે. આટલા માટે જ શાસ્ત્રકારોએ ક્ષમા માગવાના કાર્યને પ્રથમ સ્થાન આપ્યું છે. જૈન ધર્મમાં ક્ષમાપનાને લગતું જે સુવિખ્યાત સૂત્ર છે, તે જોઈશું, તો આ વાતનો આપણને ખ્યાલ આવી જશે. આ રહ્યું તે સૂત્ર : ‘બ્રામેમિ સવ્વનીવે, સબ્વેઝીવા સ્વતંતુ મે । મિત્તી મે સમૂત્તુ, વેરે માં ન વેળફ' ાા અર્થાત્, “હું સર્વ જીવોને ખમાવું છું, (સર્વ જીવોની હું ક્ષમા માગું છું), સર્વ જીવો મને ક્ષમા કરો, સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ છે, કોઈ પણ જીવ પ્રત્યે મને વેર નથી.' આ એક મહાન સૂત્ર છે. આધ્યાત્મિક સાધનમાં તો તે એક અતિશય આવશ્યક અને અંગભૂતભાવ સમું છે. માનવ જીવનની એક અતિ ઉદાત્ત ભાવના એમાં પ્રગટ થાય છે. એક સારો વ્યાપારી, દિવાળીના પર્વ ઉપર, સૌથી પ્રથમ પોતાનું દેવું ચૂકવી દેવાનું કામ કરે છે. લેણું વસૂલ કરવાનું કાર્ય બીજા નંબરે આવે છે. ‘મારે કોઈનું દેવું નથી.' એવા શબ્દો બોલતાં માણસને કેટલો આનંદ થાય છે ? એ પરિસ્થિતિમાં માણસ અપૂર્વ આનંદ અને ક્યારેક ગર્વ પણ અનુભવે છે. એવી જ રીતે, ‘ક્ષમા માગવી' એ કાર્યમાં આપણું દેવું ચૂકવવાનો ભાવ રહેલો છે. રૂપિયા—પૈસાની લેવડદેવડમાં દેવું ચૂકવવા અંગે જે જાગૃતિ અને તત્પરતા આપણે દાખવીએ છીએ, તેવી જ જાગૃતિ અને તત્પરતા, ક્ષમા માગવારૂપી ઋણ’અદા કરવામાં શું આપણે દાખવીએ છીએ ? ખૂબ ખૂબ વિચાર કરવા જેવી અને સમજવા જેવી આ વાત શું નથી ? ‘જીવ માત્ર પ્રત્યે મને મૈત્રીભાવ છે, કોઈની સાથે મારે વે૨ નથી,' આ શબ્દો શું ફક્ત બોલવા માટે જ છે ? બોલીને ભૂલી જવા માટે છે ? સંભવતઃ અહીં કોઈ એવો પ્રશ્ન ઉપસ્થિત કરે, કે ‘આપણે કાં કોઈના વાંકગુનામાં આવ્યા છીએ ? પછી ક્ષમા માગવાની શાની ? જૈન ધર્મની બારાખડીને બારાબર સમજતા હોય, તેઓ તો આવો પ્રશ્ન પૂછે જ નહિ. કોઈને કોઈ જીવને આપણાથી દુ:ખ યા પીડા ના પહોંચતાં હોય એવી એકાદી પળ તો કોઈ બતાવો ? ૨૬૪ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy