________________
આધ્યાત્મિક સંસ્કૃતિ
ચંદ્રની ચાંદની અને રવિના તેજ કરતાં અધિક ઉપકારક છે આધ્યાત્મિક સંસ્કૃતિ. હવા અને પાણી કરતાં અધિક મૂલ્યવાન છે આધ્યાત્મિક સંસ્કૃતિ.
હીરા મોતીવડે ન ખરીદી શકાય એવું સુખ, આ સંસ્કૃતિનો ઉપાસક ભોગવતો હોય છે.
‘ત્યાગે સો આગે’ના પાયા ઉપર મંડાણ છે આ સંસ્કૃતિના.
પરિણામે દુ:ખદાયી એવા, સુખને આ સંસ્કૃતિ ‘સુખ’ તરીકે સ્વીકારતી નથી. મંત્રજાપ વડે ભવનો ભયાનક તાપ દૂર થવા સંબંધી હકીકતમાં આ સંસ્કૃતિના ધુરંધર પ્રભાવકો એકસરખા વિચારના છે.
મહાપુણ્યે મળેલા માનવના ભવને જડ પદાર્થોના માત્ર ભોગ પાછળ વેડફી ન નાંખતાં તેનો ઉદાત્ત અને મંગલ હેતુની સાધનામાં સદુપયોગ કરવાનો જે સદ્બોધ આ સંસ્કૃતિ વહાવી રહી છે, તેના પાલનમાં સહુનું શ્રેયઃ છે.
ભય વચ્ચે શસ્ત્રોનું શરણું સ્વીકારવાની સ્થૂલમતિને આધીન જીવોને આ સંસ્કૃતિધર્મના શરણે જવાની ઉપકારક આજ્ઞા ફરમાવે છે.
પોતાની રક્ષાની બાબતમાં બહારના સ્થૂલ બળોને આર્મીન રહેવું તે પરતંત્રતાની જ એક નિશાની છે.
જ્યારે કોઈ પણ શસ્ત્ર વગરનો પણ ધર્મનો શરણાગત શસ્ત્રધારી હજારો સુભટોના હુમલા વચ્ચે પણ ‘અભય'નો અદ્ભુત આનંદ અનુભવી શકે છે.
આ સંસ્કૃતિ એક એક જીવન વ્યવસ્થા સાથે માનવીને જોડે છે કે જે જોડાણ તેને આત્મજાગૃતિ બક્ષે છે.
સકલ શ્રીસંઘ તેમ જ જગતના જીવોની શાન્તિ માટે આવશ્યક અનુષ્ઠાનાદિને આ સંસ્કૃતિ ‘અંધશ્રદ્ધા’ તરીકે નહિ પરંતુ ‘મંગલવર્ધક સત્કાર્ય' તરીકે સ્વીકારે છે.
પદાર્થની શક્તિ કરતાં અધિક શક્તિ શબ્દોમાં હોય છે અને શબ્દશક્તિ કરતાં અનંતગુણી શક્તિ આત્મામાં રહેલી છે, એ સત્યના સ્વીકારવામાં ક્યાંય અંધશ્રદ્ધાનું પોષણ નથી થતું, પરંતુ સર્વપાપથી પર બનવાની શક્તિનો મંગલ સુયોગ થતો હોય છે. ક્રિયાવિહોણા કોરા ભાવને કે ભાવવિહોણી સ્થૂલક્રિયાને આ સંસ્કૃતિમાં કોઈ
સ્થાન નથી.
આ સંસ્કૃતિ આ પોકાર કહી રહી છે કે, ‘તમારી જાતને ધર્મના નિયંત્રણ તળે
૨૫૦ ૭૦ ધર્મ-ચિંતન