________________
છે, આત્માના ગુણોમાં રમણતા કેળવવાની ભૂખ જાગે છે, આત્માને કદીયે નહિ વિસરાવવાનું તીવ્ર સંવેદન સ્વાધ્યાય જગવે છે.
| સ્વાધ્યાય, સાધકને આત્માના ગુણોમાં રમણતા કેળવવાનું બળ બક્ષે છે તેમ જ જે વિચાર-વાણી અને વર્તનથી આત્માની શુદ્ધિને અવળી અસર પહોંચે છે, તે માર્ગે જતાં અટકાવે છે.
આજના વિષમકાળમાં સ્વાધ્યાય સિવાય, આત્મજાગૃતિ ટકાવવી તે વગર પાંખે હવામાં ઉડવા જેટલું અઘરું સમજાય છે.
સ્વાધ્યાયવડે સ્વ-પરને જાણી–પ્રમાણીને સહુ આગળ વધો ! ધર્મનો જય થાઓ ! અધર્મનો ક્ષય થાઓ !
ધર્મનો જય થાઓ' એવું લખતી વખતે મારું અંતઃકરણ જે ભાવોલ્લાસ અનુભવે છે, એવો જ ભાવોલ્લાસ પ્રત્યેક પાત્ર આત્માને સ્પર્શે એવું પવિત્ર વાતાવરણ સર્જવામાં દ્રવ્ય અને ભાવપૂર્વકની શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની ભક્તિ અનિવાર્ય સમજાય છે.
દ્રવ્યભક્તિ દ્વારા ભાવપૂર્વકની ભક્તિનું યથાર્થ ઘડતર થાય છે, તેમ જ પોતે જે દ્રવ્યો પ્રભુભક્તિમાં વાપરે છે, તેમાંનું એક પણ અધમ માર્ગે પોતાના ઘરમાં ન આવી જાય તેની સતત કાળજી પણ રાખી શકાય છે. આ જાતની કાળજી પ્રભુજી પ્રત્યેની ભક્તિની જવલંત નિશાનીરૂપ છે.
દ્રવ્ય સંબંધી બેપરવાઈ, ભાવના ઉદીપનમાં અંતરાયભૂત નીવડે છે, તેમ જ ભક્તિના સુફળ બાબત ભક્તને સાશંક તેમ જ સચિંત બનાવે છે. તે
દ્રવ્યભક્તિમાં પણ વિવેક ચૂકી જનારો આત્મા ભાવના અમૃતસ્પર્શથી વંચિત રહે છે તેમ જ મહાપુણ્ય મળેલા માનવના ભવને ધર્મની સાધનામાં સાર્થક કરવાને બદલે, ભવ વધારવામાં વેડફી નાખે છે.
ભવ ઉજ્જવળ બને છે, ઉજ્જવળ એવી રત્નત્રયીની ઉજવળ આરાધનાથી. રત્નત્રયી–તે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર.
સમ્યગ્દર્શન એટલે વીતરાગ વચન અનુસારે જગતના બધા જીવોને આત્મતુલ્ય જોવા, સમજવા, સહવા.
સમ્યજ્ઞાન એટલે જગતના બધા જીવોને આત્મતુલ્ય જાણવા, વિચારવા, ચિંતવવા.
સમ્યક્યારિત્ર એટલે જગતના બધા જીવોને આત્મતુલ્ય જોઈ-જાણી-વિચારી
૨૧૨ • ધર્મ-ચિંતન