SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનિર્વેદ આત્માના વિચારમાં સર્વનો વિચાર હોય. આત્માના વિચારને પોતાનો વિચાર ગણવો તે આત્મભાવના સ્પર્શ પૂર્વેનો માત્ર ઉદ્ગાર છે. આત્મભાવનો સ્પર્શ એટલે જગતના બધા જીવોના હિતની ચિંતાનો સ્પર્શ. સર્વના હિતની ચિંતામાં પોતાનો સમાવેશ થઈ જાય, પોતાની ચિંતામાં પોતા' સિવાય કોઈનો સમાવેશ ન થાય. સ્વાર્થ મારું પડખું સેવે, મમતા મારી અધિષ્ઠાત્રી બને, અહં મારો આપ્તજન બને એટલે હું સર્વના હિતનો “ચોર' બનું, પરમાત્માની આજ્ઞાનો દ્રોહી ઠરું, વિશ્વ-અપરાધી, બનું, છ-કાય જીવનો હિતશત્રુ બનું, કોઈનાય ઉપકારનો “સાભાર સ્વીકાર' મને ગૌરવભંગ જેવો લાગે, કૃતજ્ઞતાને “કેળવાયેલો હોવાની નિશાની સમજું. “પર”નો વિચાર મને “માથાના ઘા” સમાન લાગે, ગુણની અનુમોદના કરતાં મને ચક્કર આવે. શ્રીવીતરાગ પરમાત્માના પરમતારક શાસનને પામેલો, આત્મા, આમ ન જ વર્તે. પાત્રતાની પરાકાષ્ઠા તરફ એનું લક્ષ્ય હોય. ગુણની પરાકાષ્ઠા તરફ એનું લક્ષ્ય હોય. પરાક્રમની પરાકાષ્ઠા તરફ એનું લક્ષ્ય હોય. સત્ત્વની પરાકાષ્ઠા તરફ એનું લક્ષ્ય હોય. સમતાની પરાકાષ્ઠા તરફ એનું લક્ષ્ય હોય. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રનો તે ખપી હોય. એ બધું ત્યારે અંદરથી ઉઘડતું વર્તાય, જ્યારે પોતે પોતાનો મટી, શ્રીજિનેશ્વર ભગવાનની સર્વોચ્ચ ભાવનાના અંગભૂત બને. તે ભાવનાના વિષયભૂત જગતના બધા જીવો પ્રત્યે આત્મતુલ્યદૃષ્ટિ કેળવે. જગતના જીવોથી પોતાને ઊંચા માનવાથી, પોતાના સુખ-દુઃખને ઊંચા માનવાથી, પોતાના સંયોગ-વિયોગને ઊંચા માનવાથી, પોતાના લાભ-નુકસાનને ઊંચા માનવાથી, પોતાના યશ-અપયશને ઊંચા માનવાથી પોતાનો અહંભાવ વકરે છે. વકરેલો તે અહં સર્વજીવહિતવિષયક ભાવને હજમ કરી જાય છે અને જીવને ખાતે નર્યું ૧૮૮• ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy