SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કરે. નિઃસૃષ્ટ પ્રકારનું અમંગલ તે અહંકાર. ઉત્કૃષ્ટ પ્રકારનું મંગલ તે નમસ્કાર. મહાકરુણાનું પરમકેન્દ્ર તે શ્રીનવકાર. અહંકારનું મહાકેન્દ્ર તે સંસાર. અહંકારને અપાતો ભાવ સંસારને પોષે. સંસારને અપાતો ભાવ અહંકારને પુષ્ટ શ્રીનવકારને અપાતો ભાવ ત્રણ જગતના જીવોના હિતને પોષે, દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની સર્વોત્કૃષ્ટ ભાવનામાં ભળે. શ્રીનવકારને થતો ભાવપૂર્વકનો નમસ્કાર પ્રકૃતિની સમગ્ર કાર્યવાહીમાં સુચારુતા આણે, કાળના તેની સાથેના સંબંધમાં સાનુકૂળ તાલ પૂરે. ભાવ-મંગલની હવાને વિશેષ વિશુદ્ધ કરે. અહંકારને થતો નમસ્કાર, ત્રિભુવનના તિરસ્કારમાં પરિણમે, પંચપરમેષ્ઠિ ભગવંતોની દ્રવ્ય અને ભાવ આજ્ઞાનું ખંડન કરે. બીજી રીતે કહીએ તો આપણી મોટી જાત તે આપણો આત્મા. આપણી નાની જાત તે મહાપુણ્ય મળેલો માનવભવ. આત્માને અપાતો ભાવ, ત્રણ જગતના આત્માઓ સુધી પહોંચે. ભવને અપાતો ભાવ, દેવાધિદેવની આજ્ઞાની ઘોર વિરાધનામાં પરિણમે. આત્માને અપાતા શુભભાવના પ્રભાવે પરમાત્મપદનો સુયોગ થાય. પર્યાયને અપાતા ભાવમાંથી પર્યાયપરંપરા નિર્માણ થાય. દ્રવ્યથી, બધાંના આત્મા સરખા હોવાથી આત્માને અપાતો શુભભાવ કોઈ આત્માના શુભભાવમાં અંતરાયભૂત ન નીવડે. પ્રત્યેક આત્માના પર્યાયના પ્રકારમાં ભિન્નતા હોવાથી પર્યાયને અપાતો ભાવ, પર્યાયો વચ્ચે સતત અથડામણ ચાલુ રાખે. પર્યાય પ્રત્યેનું ખેંચાણ, મહાકરુણાના યોગથી જીવને ભ્રષ્ટ કરે. આત્મા પ્રત્યેનો ભાવ સ્વાભાવિકપણે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યેના પરમપૂજ્યભાવમાં પરિણમે. જેને પંચપરમેષ્ટિ ભગવંતો પ્રત્યે પરમપૂજ્યભાવ હોય તેને અહંકારભાવના પ્રતીકરૂપ ભવ પ્રત્યે આદર ન હોય. ધર્મ-ચિંતન - ૧૩૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy