SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનવકાર બોધ (૧) આપણી ટેક મહામંત્ર શ્રીનવકા૨ જેને વહાલો હોય, તેને પોતાના નામ કરતાં પણ અધિક વહાલ શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો પ્રત્યે હોય. ભરઉંઘમાં તે પોતાનું નામ સાંભળીને જાગે પણ ખરો અને ન પણ જાગે. પરંતુ ‘નમો અરિહંતાણં’ સાંભળતાં વેંત તે હરખાતા હૈયે જાગી ઉઠે. તેને એમ થાય કે, મારા નાથના નામે મને કોણે જગાડ્યો. લાવ દોડીને તે પુણ્યશાળીના પગમાં લેટી પડું, તેની ચરણરજ મસ્તકે ચઢાવું. જે સાચો સેવક હોય તેને સહુથી વહાલું પોતાના સ્વામીનું નામ હોય. તેમ જૈન માત્રને અધિકાધિક વહાલ શ્રીનવકાર પ્રત્યે હોય. ‘નમો અરિહંતાણં’ પદના શ્રવણ સાથે હૈયાનો તેનો બંધ હર્ષના જળવડે ઉભરાઈ જાય. તેમાં વિશ્વમાલિન્ય ધોવાની તાલાવેલી જન્મે. જગતના જીવોના સુખમાં વધારો કરવાની ઉત્કટ ભાવના સ્ફુરાયમાન થાય. ચન્દ્રના શીતળ, મનહર કિરણ સાથે જેવો મેળ કુમુદના હૈયાને હોય છે તેવો જ મેળ શ્રીનવકારના ધારકને શ્રીનવકારના પ્રત્યેક અક્ષર સાથે હોય—હોવો જોઈએ. બીજાને મન જે સામાન્ય અક્ષરોરૂપે ભાસે તે જ અક્ષરોમાં તેને અનંત આત્મજ્યોતિનાં દર્શન થાય. ઊંચે આવેલા જીવનું એ લક્ષણ છે કે તે સામાન્યમાં સામાન્ય પદાર્થમાં રહેલા ઊંચા પ્રકારના અંશને સહુથી પહેલાં પારખી શકે છે. જ્યારે શ્રીનવકા૨ના હૈયામાં તો મોક્ષનું બીજ છે. એટલે તેને જોતાં વેંત ‘સ્વ' ઉપરનો આપણો કાબૂ સરકી જાય તે સાવ સ્વાભાવિક ગણાય. મતલબ કે આપણા ‘સ્વ'નું શ્રીનવકાર સાથે સગપણ બંધાય. અને તે પછી શ્રીનવકારના જે સગાંઓ હોય તે બધાં જ આપણાં પણ સગાં બની જાય. શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોના ઉત્કૃષ્ટમંગલ ભાવની ભૂમિકાએ પહોંચવા માટેના આપણા પ્રયત્નો, શ્રીનવકારના સતત આલંબન સિવાય ભાગ્યે જ પગભર બની શકશે. જેવો ટેકો હોય તેવો ટેકો પણ જોઈએ જ,, જેના ટેકે ટેક આખર સુધી ટકે નહિ એવા કાચા ટેકા તો આપણે આજ સુધી ૧૩૦ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy