SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનવકાર અને સામાયિક-૧ શ્રીકાંતિલાલ મોહનલાલ પારેખ (કિરણ) (રાગ-દ્વેષ અને કષાયોની ભયાનક ભૂતાવળને ભગાડી મૂકવામાં પ્રભુનામસ્મરણ તેમ જ ભાવપૂર્વકનો નમસ્કાર-એ અજોડ ઉપાય છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો સાથે જીવનને જોડનારા નમસ્કારભાવની અચિંત્ય શક્તિનું સરસ, પ્રેરક તેમજ પ્રમોદવર્ધક પ્રતિપાદન ચિંતનાત્મક આ લેખમાં કરવામાં આવ્યું છે. સં.). (૧) નામ અને નમસ્કાર | સર્વ ધર્મશાસ્ત્રોએ નામનો મહિમા ઘણો ગાયો છે. નામમાં શક્તિ છે તેથી નમસ્કારમાં અનંતગણી શક્તિ છે. પરમાત્માનું નામ અચિંત્ય મહિમાવાળું છે. નામસ્મરણથી સુખ પ્રાપ્ત થાય છે. નામ સ્મરણથી શાંતિ પ્રગટે છે. સાહેબ નામ સંભારતા, કોટિ વિઘન ટળી જાય, રાઈ ભાર બસંદરા, કેતા કાઠ જલાય. પરમાત્માનું નામ યાદ કરવાથી કરોડો વિનો ટળી જાય છે. જેમાં રાઈ ભર અગ્નિ કાષ્ઠના સમુદાયને ભસ્મ કરી દે છે. આદિ નામ પારસ અહે, મન હૈ મેલા લોહ, પરસત હિ કંચન ભયા, છૂટા બંધન મોહ. પ્રભુનું નામ તો પારસમણિ છે અને મન તો મલિન લોખંડરૂપ છે. નામનો સ્પર્શ થતાં જ મન કંચનરૂપ બને છે અને મોહના બંધનનો ક્ષય થાય છે. નામ જો રતી એક હૈ, પાપ જ રતી હજાર, આધ રતી ઘટ સંચરે, જારિ કરે સબ છાર. એક રતી પરમેશ્વરનું નામ બસ છે. ભલે હજાર રતી પાપ કેમ ન હોય ! જો હૈયામાં અર્ધી રતી પણ પ્રભુનું નામ દઢ થઈ જાય તો સર્વ પાપ કર્મોનો ક્ષય કરી નાખે. પરમાત્માના નામનું બળ જો મેરુ પર્વત જેટલું છે, તો પરમાત્માને નમસ્કારનું બળ ચૌદ રાજલોક જેટલું છે. - જો નામરૂપી પારસમણિ મનરૂપી લોખંડને સુવર્ણરૂપ કરે છે, તો નમસ્કારરૂપી અચિંત્ય ચિંતામણિ આત્માને પારસરૂપ બનાવે છે. નામ પરિચય કરાવે છે. ધર્મ-ચિંતન ૧૧૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy