SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વપ્રેમ એ અમૃત છે. ધર્મમહાસત્તાને અનુસરનાર સર્વ કોઈ વિશ્વપ્રેમી બનતા જાય છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોરૂપી પરમ વિશ્વપ્રેમીઓને કરાતો નમસ્કાર અનાદિ કાળથી આપણામાં રહેલા દ્વેષભાવરૂપી વિષને દૂર કરનાર છે. વિશ્વપ્રેમ એ અશુભ રાગરૂપી જ્વરનો વિનાશક છે. નિષ્કામ વિશ્વપ્રેમથી અશુભ રાગ અવશ્ય દૂર થાય છે. ધર્મમહાસત્તાની સન્મુખતા આપણને સ્વાર્થના સાંકડા વિષવર્તુલમાંથી મુક્ત કરાવી, પરાર્થને પ્રગટાવી સર્વાર્થને પ્રાપ્ત કરાવે છે. જેને અંતે સાધક ૫૨મ અર્થને પામે છે. ધર્મમહાસત્તા પ્રત્યેની સન્મુખતા એ શ્રીજિનેશ્વર ભગવંતો પ્રત્યેની સન્મુખતા છે, શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યેની સન્મુખતા છે. આવી સન્મુખતાથી સુદેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ભક્તિ જાગે છે. મોહને ઘટાડવા માટે ભક્તિ જગાડવી પડશે. જેમ જેમ ભગવાન ઉપરની ભક્તિ વધશે, તેમ તેમ સંસારના પદાર્થો ઉપરનો મોહ ઘટશે. સ્ત્રી, ધન વગેરે પ્રત્યેના તિરસ્કારની વાતો કરવા માત્રથી પાર્થિવ પદાર્થો ઉપરનો ભાવ ઓછો થતો નથી. અનાદિકાળથી આપણે સંસાર સન્મુખ રહ્યા છીએ, ધર્મમહાસત્તાથી વિમુખ રહ્યા છીએ. ભવમાં ભ્રમણ કરાવનાર દુ:ખોત્પાદક કારણોની સન્મુખ રહ્યા છીએ. ભવથી મુક્ત કરાવનાર, સાત્ત્વિક સુખોત્પાદક કારણોથી વિમુખ રહ્યા છીએ. આરાધનામાં વેગ ધર્મમહાસત્તા પ્રત્યેની સન્મુખતાથી આપણને સ્પષ્ટ સમજાય છે કે દુઃખી થવાનો માર્ગ અ૫કા૨ીઓને ન ભૂલવામાં અને ઉપકારીઓને ભૂલવામાં છે. સુખી થવાનો માર્ગ અપકારીઓને ભૂલવામાં અને ઉપકારીઓને ન ભૂલવામાં છે. . માટે પોતાના અપકારીઓને ભૂલી જવા. પોતાના ઉપકારીઓને યાદ કરવા. અપકાર કરવો છોડી દેવો અને અપકારીઓ પ્રત્યે પણ ઉદાર બનવું. ધર્મમહાસત્તાની સન્મુખ રહેવાથી સમજાય છે કે જો આપણે દુ:ખ ન જોઈતું હોય તો દુઃખ આપવું બંધ કરવું પડશે. જો આપણે સુખ જોઈતું હોય તો સુખ આપવું શરૂ ૧૦૨ ૭ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy