SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ રાજમાર્ગ છે. “સર્વનું હિત વૃત્તિમાં દૃઢ બનાવવા માટે મૈત્યાદિ ભાવોનું વારંવાર સેવન અનિવાર્ય બને છે. મૈત્ર્યાદિ ભાવોના સેવન વિના ધર્મ પ્રત્યે, ધર્મની મહાશક્તિ પ્રત્યે, ધર્મમહાસત્તા પ્રત્યે સન્મુખતા આવી શકતી નથી. સર્વ સત્ત્વ હિતાશય જેમ ભાવ નિરપેક્ષ ક્રિયા ન બની જાય તે માટે સાવધ રહેવાનું છે તેમ ક્રિયા નિરપેક્ષ ભાવ ન બની જાય તે માટે વિશેષ સાવધ રહેવાનું છે. જો ક્રિયા નિરપેક્ષ કોરો ભાવ–માત્ર તરંગ હોય તો હજી આરાધના શરૂ થઈ જ નથી અને પોતે આરાધક છે એવી ભ્રમણા જાગશે. માત્ર કોરો ભાવતરંગ નિષ્ફલ છે, હાનિકારક છે, કારણ કે ક્રિયા નિરપેક્ષ ભાવ વડે મિથ્યા અહંભાવ પોષાશે. સર્વ જીવોના હિતનો ભાવ હૈયામાં ધારણ કરીને મૈત્યાદિ ભાવનાઓનું આસેવન કરતાં પોતપોતાની ભૂમિકાને યોગ્ય ઉચિત વ્યવહાર આચરવાનો છે. પૂજ્ય શ્રીયશોવિજયજી મ. ફરમાવે છે કે : નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર. સર્વ સત્ત્વો માટેના હિતભાવપૂર્વક જ મૈત્ર્યાદિ ભાવનાઓ દૃઢ બને છે અને મૈત્ર્યાદિ ભાવનાઓ વડે જ સર્વ સત્ત્વો માટેનો હિતભાવ આપણા હૈયામાં પુષ્ટ થાય છે. જેમના હૃદયમાં ધર્મની મહાશક્તિ જાગૃત થઈ છે. એવા ૫૨મસ્થાનને પામેલા મહાપુરુષો, શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના હૈયામાં સર્વ સત્ત્વહિતાશય મુખ્ય હોય છે. સર્વ જીવોનું હિત મુખ્ય છે. તેથી સર્વ જીવો માટેનો હિતભાવ આપણને તેમની સન્મુખ બનાવે છે, ધર્મ સન્મુખ બનાવે છે, ધર્મમહાસત્તા સન્મુખ બનાવે છે. “હજી મારું હિત થયું નથી ત્યાં, હું સર્વનું હિત કઈ રીતે ભાવું ?” આ શંકા કૃપા કરીને આરાધકે ન કરવી. જે હિત પોતાને યોગ્ય લાગ્યું છે, જે એકાંતે હિતકારક છે. તે જેમ પોતાના માટે ઇચ્છે તેમ સર્વ માટે ઇચ્છે. “સર્વ હિતની ભાવનાથી સ્વનું હિત શી રીતે થાય ?” એવી શંકા કૃપા કરીને આરાધકે ન કરવી. સર્વ હિતના ભાવ વડે જ સર્વ સાપેક્ષ સ્વહિતનો ભાવ વધુ દૃઢ, વધુ નિર્મળ, વધુ પુષ્ટ બને છે. ધર્મ-ચિંતન ૦ ૯૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy