SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણનો આદર્શ અને શક્યનું પાલન ધર્મથી આપણે વિમુખ રહીએ છીએ. ધર્મમહાસત્તાની સન્મુખ આપણે થઈ શકતા નથી, તેના કેટલાક કારણો છે. “માત્ર હું પોતે સુખી થાઉં' એવી ક્ષુદ્ર ઇચ્છા આપણામાં પ્રવર્તે છે. કેવળ પોતાના જ દુઃખ નિવારણની ઇચ્છા અને કેવળ પોતાના જ સુખની ચિંતા એ આર્તધ્યાનનું કેન્દ્ર છે. આ કેન્દ્રની આસપાસ આર્તધ્યાનના વર્તુળો વિસ્તાર પામે છે. આર્તધ્યાન ગયા સિવાય ધર્મધ્યાન નહિ આવે, જેટલા અંશે સ્વાર્થવૃત્તિ ટળે તેટલા પ્રમાણમાં ધર્મની પ્રાપ્તિ થઈ શકે. અનાદિકાળથી જીવે સ્વ (પોતા)નો જ વિચાર કર્યો છે. પરનિરપેક્ષ સ્વ (પોતા)નો વિચાર સર્વ પાપોનું બીજ છે. માત્ર પોતાનો વિચાર એટલે સ્વાર્થ. પાપપ્રવૃત્તિ કે પાપવૃત્તિના મૂળમાં સ્વાર્થ ભરેલો છે, તેથી પાપવૃત્તિને દૂર કરવા સ્વાર્થ દૂર કરવો પડશે. ધર્મવૃત્તિને પ્રાપ્ત કરવા પરાર્થનો ભાવ લાવવો પડશે. “બીજાનું ગમે તે થાઓ પરંતુ પોતાને સુખ મળો” આ વૃત્તિ દરેક જીવમાં સુલભ છે અને સર્વની ઉપેક્ષાપૂર્વકના સ્વ (પોતાના) સુખના ભાવથી અનાદિ ભવભ્રમણ થયું છે. ધર્મમહાસત્તાથી વિમુખતા રહી છે. જેમ ઈંડામાં રહેલું બચ્ચું ઈંડાના પટલને તોડીને બહાર આવે છે, તેમ સ્વાર્થવૃત્તિના પટલને તોડીને જીવે બહાર આવવું પડશે. અને ત્યારે જ આત્મવિકાસનો માર્ગ પ્રાપ્ત થશે. જો આપણે સર્વના હિતનો ભાવ ન લાવી શકીએ તો મનનું સંકુચિતપણું છે. મન મળ્યા પછી જો સર્વના હિતનો ભાન નહિ સ્પર્શે, મૈત્રી આદિ ભાવો જો નહિ જાગે તો મન ફરીથી મળવું દુષ્કર થશે. મનુષ્યનું મન આપણને મળ્યું છે. અચિત્ત્વ શક્તિ સંપન્ન આ મન છે. આ મન વડે માત્ર એક ક્ષણવાર સાચા હૃદયથી “સર્વ જીવોનું હિત થાઓ” એ ભાવ તો ભાવી જુઓ. મન વડે આ ભાવની તાકાત કેટલી છે તે સમજાશે અને આ ભાવ વડે મનની તાકાત કેટલી છે એ સમજાશે. સર્વનું હિત માત્ર વૃત્તિમાં, ભાવમાં રહી શકશે, પ્રવૃત્તિમાં તો યથાશક્તિ પ્રયત્ન રહેશે. પૂર્ણનો આદર્શ અને શક્યનું પાલન એ પરમ ઉપકારી પુરુષોએ દર્શાવેલો ૯૦૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy