________________
અંતઃકરણમાં રહેલી વૃત્તિને પોતાના અંતરમાં ભાવથી સ્થાપી શકાય તે હેતુએ નમસ્કાર, કરવાનો છે:
• મૂળમંત્રના પહેલા પાંચ પદો શ્રીપરમેષ્ઠિ ભગવંતોની પ્રશંસારૂપ છે. પાછળના ચાર પદો ચૂલિકાના છે. તેમાં શ્રીપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરનારાઓની પ્રશંસા છે. ચૂલિકા સહિત મૂળમંત્ર નિશ્ચય દૃષ્ટિથી સર્વ જીવોમાં રહેલ જીવત્વની અને એમાં છુપાયેલા સિદ્ધત્વની પ્રશંસારૂપ છે, તેથી તે સર્વોત્તમ મહામંત્ર છે.
સહાય કરે તે સાધુ સહાય કરે તે સાધુ, સહાય તે જ કરે કે જે પ્રેમથી ભરપૂર હોય, ઈર્ષ્યા અસૂયાથી રહિત હોય. દ્વેષના લેશથી મુક્ત હોય. સાધુનું મુખ્ય લક્ષણ ક્ષમા છે. ક્ષમા ધર્મ પ્રેમથી જ શક્ય છે. પ્રેમ કરવામાં ન્યાયબુદ્ધિ છે, વિશિષ્ટ મતિ છે, નિરાગ્રહવૃત્તિ છે. તત્ત્વમાર્ગે દઢ ટકી રહેવાની આત્મશક્તિ છે, પ્રેમધર્મ જેવી મહાન્ વસ્તુ સાધવા માટે જે વિશિષ્ટ શક્તિઓ જોઈએ, તે ચાર છે. (૧) નિરાગ્રહવૃત્તિ (૨) વિશિષ્ટમતિ (૩) ન્યાયબુદ્ધિ (૪) ધ્યેય પ્રત્યે નિશ્ચળ ટકી રહેવાની આત્મશક્તિ. - નિરાગ્રહ વૃત્તિમાંથી એક શક્તિ પેદા થાય છે. જે પ્રેમ માર્ગે જીવને ટકાવે છે. એ જ રીતે મતિની નિપુણતામાંથી એક શક્તિ પેદા થાય છે, જે જીવને પ્રેમ તત્ત્વનું મહત્ત્વ સમજાવવામાં સહાય કરે છે. ન્યાય બુદ્ધિની પણ તેટલી જ આવશ્યકતા છે. કે જેના વિના પ્રેમનું મહત્ત્વ અંકિત થવું અશક્ય છે. એ બધું હોવા છતાં દઢતા ન હોય તો પણ આ માર્ગ પર ટકી શકાતું નથી. તેથી એ ચાર પ્રકારની શક્તિઓ જે જે ઉપાયોથી વિકસિત થતી હોય તે સઘળા ઉપાયોને શાસ્ત્રકારોએ ધર્મમાર્ગ તરીકે સંબોધેલા છે. એ ધર્મ એ જ અમૃત છે કેમ કે તેના પરિણામે પ્રેમરૂપી અમૃતના પરિપૂર્ણ પાન માટે અધિકારી થવાય છે. દ્વેષ એ મૃત્યુ છે. પ્રેમ એ જીવન છે. જીવનની ઇચ્છાવાળાએ પ્રેમરૂપી અમૃતનું સતત પાન કરવું જોઈએ. એ અમૃતનાં પાન વડે મૃત્યરૂપી વિષનું મારણ થાય છે.
સર્વપદની સાર્થકતા १. सर्वग्रहणं च सर्वेषां गुणवतां विशेष नमनीयता प्रतिप्रादनार्थं इदं चार्हपदेष्वपि વોદ્ધવ્ય, ન્યાયસ્થ સમાનવાવિતિ |
ધર્મ અનુપ્રેક્ષા • ૫૩