________________
જગતમાં પ્રવર્તે છે અને તેથી જ તેઓશ્રી ઉપાસ્યતમ છે.
પ્રત્યેક આત્માના મોલમાં પુણ્યનું ઉપાર્જન, સંવર અને નિર્જરા એ તત્ત્વો મુખ્ય ભાગ ભજવે છે. જો આ જગતમાં શ્રી તીર્થંકર પરમાત્મા જ ન હોત, તો પુણ્યોપાર્જન, સંવર અને નિર્જરાનો માર્ગ કોણ બતાવત? એ માર્ગ જ ન હોત તો કોઈનો પણ મોક્ષ કેવી રીતે થાત? એ દૃષ્ટિએ પણ શ્રી તીર્થંકર પરમાત્મા ઉપાયતમ છે.
હવે પ્રશ્ન એ છે કે એ ઉપાસ્યતમની ભક્તિ કેવી રીતે થાય? તે પૂર્વે આપણે ભક્તિના સ્વરૂપને સંક્ષેપમાં વિચારીશું.
- એક સ્થળે ભક્તિની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “માહાભ્યજ્ઞાન દ્વારા ઈષ્ટદેવ પ્રત્યે સર્વ કરતાં અધિક સુદઢ સ્નેહ થવો તેનું નામ ભક્તિ છે.”
| સર્વ પ્રથમ શ્રીઅરિહંત પરમાત્માનું સર્વાતિશાયિ મહાભ્ય આપણા હૃદયમાં અત્યંત દઢ થવું જોઈએ. એ થયા પછી તેમના પર તાત્ત્વિક પ્રેમ જાગે છે અને તેથી ભક્તિની પ્રાપ્તિ સહજ થાય છે.
ભરત નૃપ ઇલાચી જીરણ શ્રેષ્ઠિ ભાવે, વળી વલકલચીરી કેવળ જ્ઞાન પાવે, હલધર હરિણા ક્યું પંચમે સ્વર્ગ જાએ, 'ઈહજ ગુણ પસાએ તાસ વિસ્તાર થાઓ...૨ સૂક્તમુક્તાવલી ધર્મવર્ગ ગાથા-૪૬
અર્થ - ભાવનાના પ્રભાવે, ભરત ચક્રવર્તી અને ઈલાચીકુમાર કેવળ જ્ઞાન પામ્યા તથા જીરણશેઠે ભાવનાના બળથી સ્વર્ગીય સુખને પ્રાપ્ત કર્યું. વલકલચીરીએ ભાવનાના બળથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તથા બળભદ્રમુનિ, રથકાર અને હરિણ પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. એ રીતે ભાવનાના પ્રભાવથી અનેક જીવોનો વિસ્તાર થયો છે અને ભવિષ્યમાં થશે.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૩૫