________________
અનુબંધવાળો ધર્મ બની શકતો નથી. અનુમોદના તે પ્રમોદભાવ છે. પ્રમોદની સાથે સાથે કરુણા પણ જોઈએ. જેઓ ધર્મ નથી પામ્યા અથવા આપણા કરતાં અલ્પ ધર્મ પામ્યા છે, તેમના પ્રત્યે કરુણા જોઈએ. એ જીવો પણ સુંદર ધર્મને શીઘ્રતઃ પામે, એવી આપણી આંતરિક લાગણી હોવી જોઈએ. સમકક્ષાવાળા જીવોની સાથે મૈત્રી જોઈએ. આ પ્રમોદાદિ ભાવો તે વિવેક છે. વિવેકવાળો ધર્મ જ ધર્મ છે. વિવેકવાળો ધર્મ જ જગતને ધારણ કરે છે. વિવેકવાળો ધર્મ જ ચરાચર વિશ્વનો આધાર છે.
સુકૃતની અનુમોદનારૂપ વિવેક આરાધનામાં જેટલો ઉપયોગી છે, તેટલો જ ઉપયોગી ફલદર્શનવિષયક વિવેક છે. ધર્મનાં ફળોને જોઈને તેના કારણભૂત ધર્મની સ્મૃતિ તે ફલદર્શનવિષયક વિવેક છે. જગતની કોઈ પણ સારી વસ્તુ જોયા પછી આપણા મનમાં તેનું કારણ જે ધર્મ, તેનું મહત્ત્વ ભાસવું જોઈએ. સામાન્ય માણસો વસ્તુ તરફ જુએ છે. પણ કારણભૂત ધર્મ તરફ જોતા નથી. વિવેકી પુરુષો સદા સર્વત્ર સર્વનાં કારણરૂપ ધર્મનાં દર્શન કરતા હોય છે. કોઈને સારું મકાન મળ્યું, તો તે વખતે તે મકાનને અપાવનાર ધર્મ યાદ આવવો જોઈએ. અહીં બે પ્રકારના ધર્મને યાદ કરવો જોઈએ :
૧. જે સુકૃતદ્વારા તે મકાન મળ્યું તે સુકૃતરૂપ ધર્મ અને ૨. તે દ્વારા આત્મામાં પ્રાપ્ત થયેલ પુણ્ય. ધર્મ વિના કોઈ પણ સુંદર વસ્તુની પ્રાપ્તિ થતી જ નથી. એ રીતે આ વિવેકમાં સર્વત્ર ધર્મનાં દર્શન થવાં જોઈએ. સુંદર વસ્તુ તે ધર્મનું એક પ્રકારનું રૂપ છે.
પૂર્વે આપણે જોઈ ગયા કે મોક્ષનું પરિણામિ કારણ ધર્મ છે. મોક્ષ પૂર્વે થતા શુભ કે કાર્યોનું પરિણામિકારણ પણ ધર્મ છે. સમ્યક્ દૃષ્ટિ આદિ ગુણસ્થાનોનું આરોહણરૂપ કાર્ય
સુકૃતનો લાભ સૌને મળો.' સુકૃત કરતાં ચઢીયાતી વસ્તુ આ જગતમાં નથી. એવી વસ્તુ પ્રાપ્ત થયા પછી મહાપુરુષો તેનો લાભ સૌને પ્રાપ્ત થાય એવું કેમ ન ઇચ્છે ?
કલિકાલસર્વજ્ઞ આચાર્યશિરોમણિ શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજા ‘યોગશાસ્ત્ર'ના અંતમાં આવા જ પ્રકારની ઇચ્છાને વ્યક્ત કરતાં કહે છે કે—
संप्रापि योगशास्त्रात्तद्विवृतेश्चाऽपि यन्मया सुकृतम् । तेन जिनबोधिलाभप्रणयी भव्यो जनो भवतात् ॥ ं
યોગશાસ્ત્ર અને તેની ટીકાને રચવાથી મારા વડે જે સુકૃત (પુણ્ય) પ્રાપ્ત કરાયું, તેનાથી સર્વ ભવ્ય જીવો જિનબોધિની પ્રાપ્તિમાં અનુરાગવાળા બનો.
એવી જ જાતના આશયને સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિજીએ પણ પોતાના અનેક ગ્રંથોનાં અંતમાં વ્યક્ત કરેલ છે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૨૯