SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જોતા રહેવું જોઈએ, “આંબેલ સો થયાં”, “પૌષધ પચાસ થયા”, “પચીસ આગમનું વાંચન થઈ ગયું,” અને “સંયમ પર્યાય ૨૦ વર્ષનો થયો.” એ ગણત્રી રાખીએ છીએ તેમ એ બધી આરાધનાથી “આપણી સ્વાર્થવૃત્તિ કેટલી ઘટી ? પરાર્થવૃત્તિ કેટલી આવી ?” મોહ કેટલો ઘટ્યો ? નિર્મોહતા કેટલી આવી ? એ આત્મનિરીક્ષણ પણ સાથે સાથે કરતા રહેવું જરૂરી છે. તાવ માપવા જેમ થરમોમીટરનો ઉપયોગ કરીએ છીએ તેમ આપણા આત્મામાં વિકસતા ધર્મને પણ માપતા રહેવું જોઈએ. પરાર્થવૃત્તિ એ ધર્મની પારાશીશી છે. લોકોત્તર ધર્મ પરાર્થવૃત્તિમાંથી કે શ્રી જિનેશ્વરદેવના વચનના આલંબનથી જન્મે છે, કારણ કે, શ્રીજિનેશ્વરદેવની આજ્ઞા ૫૨માર્થમાંથી “સવી જીવ કરું શાસનરસી’ અર્થાત્ સકળ જગતની હિતચિંતામાંથી—જન્મેલી છે. કેવળ પોતાનું જ સુખ ઇચ્છવું અને જિનાજ્ઞા પાળવી એ બે વાતને મેળ જ નથી.૧ પરાર્થભાવનો લેશ પણ આવ્યા વિના, માત્ર સ્વાર્થવૃત્તિમાંથી જાગતી, કેવળ પોતાનું જ દુ:ખ ટાળવાની ઇચ્છા કે એ ઇચ્છામાંથી જન્મતી પ્રવૃત્તિ—પછી ભલે તે વિષયોથી દૂર રહેવાની હોય તો પણ—તાત્ત્વિક ધર્મ નથી, આર્તધ્યાન સૂક્ષ્મરૂપે એમાં બેઠેલું છે. સર્વ જીવ દુઃખી છે, એ દુ:ખ જોઈને એનું પોતાને સંવેદન થાય—એટલે કે જેમ પોતાનું દુઃખ દૂર કરવાની ઇચ્છા રહે છે તેમ સર્વ જીવનું દુઃખ દૂર કરવાની ઇચ્છા જાગે ત્યારે જ સમજવું કે ધર્મની શરૂઆત થઈ. “સર્વ જીવોનું દુઃખ ટળો.” એટલું જ નહિ પણ એ ભાવનામાંથી જન્મતી “સર્વ જીવોને સુખ મળો” એવી એવી ઇચ્છા–અનુકંપા— અને એ ઇચ્છાપૂર્વક પ્રવૃત્તિ એ જ ધર્મ છે. લોકોત્તર ધર્મની પ્રાપ્તિ માટે પરાર્થવૃત્તિ અને પરાર્થપ્રવૃત્તિ અવશ્ય જોઈએ. સર્વવરિત કે દેશિવરતિધર્મની વાત તો દૂર રહી, પણ વિરતિ રહિત એવા જીવને પણ જ્યારે માત્ર સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે એનામાં આ બુદ્ધિ જાગ્યા વિના રહેતી નથી.’’ " दट्ठूण पाणिनिवहं भीमे भवसागरम्मि दुक्खत्तं । अविसेस कंपं दुहावि सामत्थओ कुणइ ॥" “ભયાનક ભવસાગરમાં પ્રાણીસમૂહને દુઃખાર્દ જોઈને પોતાનું કે પરાયું એવો १. “... सत्त्वादिषु मैत्र्यादिभावः - तेषु यत्संज्ञानं शुद्धसंवेदनरूपं तेन विनिर्मुक्तं क्रियामात्रं प्रायः શુદ્ધાના બહુમાન વિદીનાનામિતિ ।'' શ્રીમુનિચંદ્રસૂરિ મ., ઉપદેશપદ ગા. ૨૪૧ ટીકા. ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૭૯
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy