________________
છે. ‘“ોયમા ! પઢમં નાળ તો વ્યા, ત્યા ય સવ્વજ્ઞાનીવાળમૂયસત્તાનું અત્તસમરિસિત્ત, सव्वजगजीवपाणभूयसत्ताणं अत्तसमदंसणाओ य तेसिं चेव संघट्टणपरियावणकिलावणोद्धावणाइदुक्खुप्पायण भय विवज्जणं, तओ अणासवो.... ।"
“હે ગૌતમ ! પ્રથમ (આત્મ)જ્ઞાન થાય પછી દયા આવે છે અને દયાથી જગતના સર્વ જીવ-પ્રાણી-ભૂત અને સત્ત્વો પ્રત્યે આત્મસમદર્શિપણું આવે છે અને જગતના સર્વ જીવ-પ્રાણી-ભૂત અને સત્ત્વો પ્રત્યે આત્મસમર્દષ્ટિ થવાથી તેમને સંઘટ્ટાદિથી દુ:ખ ઉપજાવનાર કે ભય પમાડનાર પ્રવૃત્તિનો તે આત્મા ત્યાગ કરે છે, તેથી અનાશ્રવ થાય....'
,,
શ્રી મહાનિશીથ સૂત્ર.
એ
આત્મજ્ઞાન થવાથી સર્વજીવો પ્રત્યે આત્મતુલ્ય દૃષ્ટિ જાગે છે. આત્મતુલ્યદૃષ્ટિથી પ્રેરાઈને, નહિ કે કેવળ સ્વ-સુખની કામનાથી પ્રેરાઈને, જીવ જ્યારે અહિંસાદિનું પાલન કરે ત્યારે કર્મબંધ અટકે છે.
એ કારણે શ્રીદશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે :
" सव्वभूअप्पभूयस्य सम्मं भूयाइ पासओ । पिहिआसवस्स दंतस्स पावं कम्मं न बंधइ ॥ "
“સર્વ જીવોને આત્મતુલ્ય જાણે, જુએ, સંયમ પાળે તેને પામકર્મ ન બંધાય.” અનુભવી ઝવેરી ઉકરડા ઉપર પણ પડેલ રત્નને આવકારે છે, તેમ આત્મતત્ત્વનું જ્ઞાન થયા પછી તે મહાત્મા ચેતનાશક્તિને ગમે ત્યાં પડેલ—કીટ-પશુની તુચ્છ કાયામાં, ચંડાળના ઘરમાં, કે ચોર અને ખૂની તરીકે કેદની કોટડીમાં પણ દેખે તોયે એની અવહેલના કે અવગણનાની બુદ્ધિ તેને ન જાગે, તેના અંતઃકરણમાં એના પ્રત્યે પણ આદરની–સહાનુભૂતિની લાગણી જ જન્મે છે. શાસ્ત્ર અને સાચા આરાધકોનો અનુભવ આ વાતની શાખ પૂરે છે. વર્તમાન કાળે પણ જે વિરલ આરાધકો આત્મજ્ઞાન મેળવી શક્યા છે તેમનો અનુભવ આવો જ છે.
જીવ જ્યારે, જડ પ્રત્યેનો પ્રેમ અને આત્મદ્રવ્ય પ્રત્યેની ઉદાસીનતા ઓછી ક૨વા માંડે છે ત્યારે જ તે ધર્મસન્મુખ બને છે.
૨૭૪ • ધર્મ અનુપ્રેક્ષા