________________
એને દુઃખ ન થાય એટલા માટે મારે ઈર્યાસમિતિ સાચવવી.” એ વિચારમાંથી જન્મેલી, કીડી ઉપર પગ ન આવે એની કાળજી એ ધર્મ છે. કારણ કે એમાં પરાર્થવૃત્તિ રહેલી છે. પરંતુ “કીડી મરી જાય તો મને કર્મબંધ થશે અને તેથી ભવિષ્યમાં મને દુઃખ મળશે. માટે મને ભવિષ્યમાં એ નિમિત્તક દુઃખ ન આવે માટે “ઇર્યાસમિતિ' પાળું.” આ વિચારમાંથી જન્મેલ કીડીને બચાવવાની કાળજી એ પરમાર્થથી ધર્મ નથી. કીડી ન મરે એની કાળજી બંને ઠેકાણે સરખી હોવા છતાં, જ્યાં પરાર્થથી–સનસત્ત્વહિતાશયથી નહિ પણ ભાવિ સ્વદુઃખ ટાળવા માટે, એ કાળજી રખાય છે ત્યાં એ પરમાર્થથી ધર્મ નથી.
આર્તધ્યાનના પહેલા પાયામાં એનો સમાવેશ છે“મનોજ્ઞાન સંપ્રયોજે તત્ વિપ્રયોજાયસ્મૃતિસમન્વીહાર: ” - તત્ત્વાર્થ અ. ૯૩૧
વર્તમાન અનિષ્ટવિયોગની ચિંતા એ જેમ આર્તધ્યાન છે તેમ ભાવિ અનિષ્ટ વિયોગની ચિંતા એ પણ આર્તધ્યાન જ છે. ટૂંકમાં, સંતત્ત્વિહિતાશયની – પરાર્થનાવિચારમાંથી જન્મતી પ્રવૃત્તિ જ ધર્મ છે, એ વિચાર વિના–કેવળ પોતાનું જ ભાવિ દુઃખ ટાળવાના વિચારમાંથી જન્મતી પ્રવૃત્તિ અહિંસા, ક્ષમા, તપ, જપ, સંયમ વગેરે ગમે તે સ્વરૂપે હોય તો પણ તે પરમાર્થથી ધર્મ નથી.
ધર્મના પાંચ પ્રકાર : પ્રથમ નજરે કદાચ આ વાત ચોંકાવનારી લાગશે. પરંતુ ઉપા. શ્રીયશોવિજયજી મહારાજનું નીચેનું વચન વિચારતાં આ વાત સ્પષ્ટ થઈ જશે :
“લૌકિક લોકોત્તર ક્ષમા, દુવિધ કહી ભગવંત, તેહમાં લોકોત્તર ક્ષમા, પ્રથમ ધર્મ છે તંત. ૨. ઉપકારે અપકારથી, લૌકિક વળી વિવાગ, બહુ અતિચારતીરી ક્ષમા, નહિ સંયમને લાગ. ૫ મદ્દવ અજવ મુત્તિ તવ, પંચભેદ એમ જાણે, ત્યાં પણ ભાવ નિયંઠને, ચરમભેદ પ્રમાણ.” ૭—યતિધર્મ બત્રીશી
કોઈ પણ ધર્મ પ્રવૃત્તિ–નમ્રતા, સરળતા, સંતોષાદિના ઉપરોક્ત પાંચ પ્રકાર પડી જાય છે. દા.ત. ક્ષમા લઈએ, તો નીચે મુજબ એના પાંચ વિભાગ પડે : ' (૧) ઉપકાર ક્ષમા એટલે “અમુકે મારા ઉપર ઉપકાર કરેલો છે માટે મારાથી એની સામે ન બોલાય” એમ વિચારીને, અથવા આ પ્રસંગે ક્ષમા રાખવાથી લાભ છે, એમ સમજીને ક્ષમા રાખવી તે. | (૨) અપકાર ક્ષમા એટલે “જો હું શાંત નહિ રહું તો સામી વ્યક્તિ મારી અપકારી બની જશે - બળવાન આદિ હોવાના કારણે)” એમ વિચારીને રખાતી ક્ષમા.
(૩) વિપાક ક્ષમા એટલે “ક્ષમા ન રાખું તો એથી થતા કર્મબંધથી નરકાદિ . ભવોમાં કેવાં કડવાં ફળ ભોગવવાં પડે !” એ ભયથી, કે મનુષ્યભવમાં જ એથી પ્રાપ્ત
ધર્મ અનપેક્ષા • ૨૭૧