SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલ સમકિતના પણ લિંગોમાંનું એક છે. અનુકંપા એટલે શું ? શ્રીયોગશાસ્ત્રકાર ભગવંત અનુકંપાની ઓળખાણ આ રીતે કરાવે છે : "दुःखितेषु अपक्षपातेन दुःखप्रहाणेच्छा अनुकंपा । सा च द्रव्यतः शक्तौ सत्यां દુ:સ્વપ્રતિષ્ઠાોળ, માવતઃ આર્દ્ર હૃદ્યત્વેન ।' વિરતિધર બનવા માટે પોતે કોઈને દુઃખ ન આપવું એટલું જ પૂરતું નથી, પણ કોઈનું પણ દુઃખ જોતાં પીગળી ઊઠે એવું હૈયું બની જવું જોઈએ. એવું કોમળ અંતઃકરણ બન્યા પછી જ વિરતિધર્મની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકે. ધર્મનું પ્રથમ પગથિયું દાન કહ્યું છે. કારણ કે એથી એકલપેટાવૃત્તિ ટળે છે અને પોતાને પ્રાપ્ત સુખો અને તેની સામગ્રીમાંથી બીજાને ભાગ આપવાની પ્રવૃત્તિથી ધીમે ધીમે પરાર્થવૃત્તિનું આત્મક્ષેત્રે વાવેતર થાય છે. દાનોમાં પણ અનુકંપાદાન પ્રથમ છે. “માટે ભવ્ય જીવે શક્તિ અનુસાર અનુકંપા સહિત દાન-ધર્મનું પાલન કરવું જોઈએ. એનાથી જ શેષગુણોની પ્રાપ્તિ થાય છે.” અનુકંપા એ ‘સર્વ’ના વિચારનો-પરાર્થનો પ્રારંભ છે. જગતના બીજા દુખાર્દ જીવોને રીબાતા જોઈ તેમને માટે હૈયામાં કરુણાની કોઈ લાગણી ન જાગે અને કેવળ પોતાનું ભવદુઃખ ટળીને પોતાને વહેલું વહેલું મોક્ષનું સુખ મળી જાય એવી સ્વમનઃકલ્પિત ઇચ્છા કરનાર મુમુક્ષુ તત્ત્વતઃ આર્તધ્યાનના વમળમાં જ અટવાઈ રહેલો છે. બીજાનાં દુ:ખ પ્રત્યે લાગણીશૂન્ય હૈયે, કેવળ પોતાનું જ દુઃખ ટાળવાની ઇચ્છામાંથી થતી પ્રવૃત્તિને આપણે ભલે અહિંસા, ક્ષમા, તપ, જપ કે સંયમના નામથી ઓળખીએ તો પણ પરમાર્થથી તો એ આર્તધ્યાન જ રહે છે. પરના જરાપણ વિચાર વિના કેવળ સ્વના વિચારમાંથી—કોરા સ્વાર્થમાંથી ઉદ્ભવેલ એ પ્રવૃત્તિનો બાહ્ય દેખાવ ભલે ધર્મનો હોય પણ એથી આપણે આપણા ક્ષુદ્ર અતિમર્યાદિત અહંની જ ઉપ્રાસના કરીએ છીએ. પરમાર્થથી ધર્મ “ભવિષ્યમાં મને દુ:ખ ન મળે માટે અહિંસા પાળું.” એ રીતે, વિપાકની કે ભાવિ નુકશાનની વિચારણાથી પાળેલી અહિંસા એ પરમાર્થથી ધર્મ નથી. ધર્મ પરાર્થભાવમાંથી જન્મે છે. રસ્તે જતાં, કીડી ઉપર પગ ન આવે એવી કાળજીની પાછળ આશય શો છે, એના ઉ૫૨ જ પરમાર્થથી એ ધર્મ છે કે નહિ એનો વિભાગ કરી શકાય. “જો કીડી ઉપર પગ આવી જાય તો એને દુઃખ થાય—જેમ મને દુઃખ થાય છે તેમ, માટે ૧. ‘‘ધર્મીસ્સારૂપમિાં નન્દા સીાં મસ્ત પનંતે ।' - દાનવિંશિકા ગા. ૧૯ " तम्हा सत्तऽणुरूवं अणुकंपा संगण्ण भव्वेणं । अणुचिट्ठियव्वमेयं इत्तोच्चिय सेसगुणसिद्धी ॥" ૨૭૦૦ ધર્મ અનુપ્રેક્ષા દાનવિંશિકા ગા. ૨૦ -
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy