________________
પાત્રતા કેળવવાના ઉપાયો
નીચેના ગુણોને ખૂબ મહત્ત્વના માની તેને જીવનમાં ઉતારવા માટે શક્ય પ્રયત્ન કરવાથી જીવનમાં પાત્રતા કેળવાય છે. અંતે તો જીવનમાં કેળવાયેલી પાત્રતા એ જ સર્વ સદ્ગણોને ટકાવનાર, વધારનાર અને સાનુબંધ બનાવનાર એક અજોડ જડીબુટ્ટી છે.
(૧) કોઈને પણ નિંદનીય માનવો નહિ. પાપીમાં પાપી જીવ પ્રત્યે પણ ભવસ્થિતિ ચિંતવવી.
(૨) કોઈ પણ એક અસાધારણ ગુણને વરેલ આત્મા પ્રત્યે પણ હૃદયમાં બહુમાન ધારણ કરવું. ગુણનો લેશ પણ કોઈ જગ્યાએ જોવા મળે તો આનંદિત થવું.
(૩) લોકસંજ્ઞાને છોડી દેવી, શાસ્ત્રસંશાને કેળવવી. | (૪) હિતકર વચન નાના બાળકનું હોય તો પણ ગ્રહણ કરવું.
(૫) દુર્જન પ્રત્યે દ્વેષ ન કરવો. બીજા ઉપર દ્વેષબુદ્ધિ એ તત્ત્વજ્ઞાન પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિમાં નીચે મુજબ અદ્વેષ આદિ આઠ અંગો છે :
(a) અદ્વેષ એટલે બીજા જીવો અથવા તત્ત્વો ઉપર અપ્રિયતાનો અભાવ. (b) જિજ્ઞાસા એટલે તત્ત્વને જાણવાની ઇચ્છા. (c) શુશ્રુષા એટલે તત્ત્વને સાંભળવાની ઇચ્છા. (1) શ્રવણ એટલે તત્ત્વને સાંભળવું. (e) બોધ એટલે સાંભળેલ તત્ત્વોનો અવગમ. (1) મીમાંસા એટલે અવગમ પછીનું તત્ત્વનું મનન. () પ્રતિપત્તિ એટલે મનન પછી તત્ત્વનો સ્વીકાર. અર્થાત્ તત્ત્વ નિશ્ચય “આ
આવું જ છે” એવો નિર્ણય. (૧) પ્રવૃત્તિ એટલે તત્ત્વનિર્ણય પછીનું તદનુસાર અનુષ્ઠાન.
આ રીતે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ અષ્ટાંગી છે. તેની પ્રાપ્તિમાં અદ્વેષભાવ એ પ્રથમ હેતુ છે. તેથી કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ ન કરવો એ રહસ્ય છે.
(૬) પોતાના ભૌતિક કાર્યો માટે પારકી આશા કદી સેવવી નહિ. સ્વાશ્રયી
રહેવું.
. (૭) સ્વજનસંયોગોને નિઃસ્વાર્થભાવે વેદવા. સર્વ સંયોગસંબંધને બંધનરૂપ
ધર્મ અનુપ્રેક્ષા • ૨૪૭,