________________
મુક્તિનો સપુરુષાર્થ
(‘શિવમસ્તુ સર્વગતિઃ'નું રહસ્ય) * પૂ.શ્રીદશપૂર્વધર આ. શ્રીઉમાસ્વાતિજી મહારાજે સંક્ષેપરુચિ બાલજીવોના હિતાર્થે રચેલ શ્રીઅહિત્યવચનસંગ્રહ (શ્રીતત્ત્વાર્થાધિમ સૂત્રોના પાંચમા અધ્યાયમાં પદ્રવ્યોના સ્વરૂપના વિવેચન પ્રસંગે જીવદ્રવ્યનું વ્યવહાર–સાપેક્ષબુદ્ધિથી સ્વાભાવિક લક્ષણ બતાવતાં જણાવ્યું છે કે
પરસ્પરોપગ્રહો ગીવાના' (અ. ૫. સૂ. ૧૭) અર્થાત “પરસ્પર સહકારની લેવડદેવડ” એ જીવદ્રવ્યની ખાસીયત છે.
તેમાં પણ સામાજિક રીતે જીવનાર માનવો માટે તો એક-બીજાના આચારવિચારના સહકારની પૂર્ણ જરૂર પડે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે.
પરંતુ “હું અને મહારું”ના ચક્રાવામાં અટવાઈ ગયેલ આપણને સહજ રીતે અતૃપ્તિ, અસ્થિરતા અને કલુષિતભાવ જન્માવનારા જગતના મોહકપદાર્થોના ટેકાથી જીવનની શક્તિઓના વિકાસનું ભ્રામક લક્ષ્યબિંદુ મોટે ભાગે નજર સામે હોય છે, કે જેથી આપણે પામર દીન-હીન, અલ્પશક્તિક અને કંગાલપણાના માની લીધેલા વિચારોના ગાઢ સંસ્કારોથી અસંહાય જેવી અવસ્થામાં વર્તીએ છીએ.
પરિણામે આપણા જેવાના ભવ્ય ઉત્થાન માટે અનંત ઉપકારી નિષ્કારણ કરુણાના ભંડાર અને વિશ્વવત્સલ આત્માઓએ વહેવડાવેલ અખૂટ આત્મશક્તિના સ્રોતમાંથી વણમાગ્યા મળતા સહકારની આપણે જરા પણ કદર કરી જાણતા નથી, અને સ્વાભાવિક રીતે કર્મ-મોહરાજાના સાગ્રીત તરીકે આપણા નિજસ્વરૂપની શુદ્ધતાને આવરવાનું કાર્ય આપણા જ સહકારના દુરુપયોગ કરનારા જગતના પદાર્થો પાછળ અને તેના અશુભ સંસ્કારોને જીવનનું લક્ષ્ય માનનારા મોહમૂઢ જીવો પાછળ આપણી વાસના-કામનાની ભૂખ મટાડવાની ગરજથી ભટક્યા કરીએ છીએ.
તેમ છતાં પૌલિકભાવોનો ભીખના ટુકડારૂપે મેળવેલો સહકાર છેવટે આપણા વિષમ ભવભ્રમણના કાર્યને વધુ વેગવંત બનાવી સરવાળે આપણને વધુને વધુ જડભાવના સહકારના વધુ ભિખારી જ બનાવે છે.
- આ રીતે “મળે કંઈ નહિ અને ભીખ અટકે નહિ.” આવી કઢંગી સ્થિતિનું મૂળ આપણી પોતાની સહકારની લેવડ-દેવડ કરવાની નીતિ-રીતિના મૂળમાં રહેલી “હું અને મહારું”ની ભાવના છે.
જો તેના બદલે ‘શિવમસ્તુ સર્વનતિઃ'ની ઉદાત્ત ભાવનાના અદ્ભુત બીજને સ્થાપી તદનુકૂળ જીવન જીવવાના લક્ષ્યપૂર્વક જે કંઈ વ્યાવહારિક કે આધ્યાત્મિક પુરુષાર્થ ફોરવાય
ધર્મ અનપેક્ષા - ૨૦૫