SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ નથી દેખાતી, પરિણામે મહામંત્ર અને સકલદિવ્યશક્તિના નિધાનરૂપ બિરદાવાયેલા પણ શ્રીનવકાર મહામંત્ર પ્રતિ આરાધકોની જગતના અન્ય તુચ્છ મંત્રો પ્રતિ રખાતી વિવેકબુદ્ધિ-આદરવૃત્તિ જેવી પણ મનોવૃત્તિ નથી રહેતી. માટે એકડે એક ઘૂંટવાની જેમ શ્રીનવકાર મહામંત્રને જાપની પ્રાથમિક ભૂમિકાથી આરાધવાની અત્યંત ઉપયોગીતા હોઈ ઉપરની પાંચ બાબતો દરેક આરાધકે આત્મશક્તિના વિકાસની માંગણી કરવા માટે આદરપૂર્વક અપનાવવી ઘટે. વળી આધુનિક વિજ્ઞાનના કેટલાક પ્રયોગોથી એ વાત સાબિત થાય છે કે–નિયત જગ્યાએ, નિયત સમયે અને નિયત સંખ્યામાં ધારાબદ્ધ રીતે જાપ કરવાથી અમુક પ્રકારનું ચોક્કસ વાતાવરણ બંધાય છે. જેમાં પ્રવેશનાર ભયંકર આચાર-વિચારવાળો પણ ચમત્કારિક રીતે તે વાતાવરણના પવિત્ર સંસ્કારોથી ઘડીભરને માટે રંગાઈ જાય છે. કેટલાક વર્ષો પહેલાં અનુભવી એક વિદ્વાન વ્યક્તિ પાસેથી જાણવા મળેલ કે નક્કી કરેલ જગ્યાએ, નક્કી કરેલા સમયે માત્ર પાંચ જ મિનિટ પોતાના ગમે તે (અરિહંત, રામ, કૃષ્ણ, ઈશુ કે અલ્લાહ વગેરે) ઈષ્ટદેવના નામનો જાપ લાગલગાટ, (એક પણ દિવસની ખામી પડવા દીધા સિવાય) બાર વર્ષ સુધી જો કરવામાં આવે તો રોજના ફક્ત પાંચ જ મિનિટના જાપમાં નિયત આસન અને નિયત સમયનું બળ મળવાથી ત્યાંના વાતાવરણમાં જાપના અક્ષરોના આંદોલનનું એવું વિદ્યુબળ પેદા થઈ સ્થાયીરૂપે બન્યું રહે છે કે ભયંકર બદમાશી, લૂંટફાટ અને ચારસોવીશને છાજે તેવા કુકર્મને કરનારાને ગમે તેવી લાલચ આપીને તે આસન પર બેસાડવામાં આવે તો સમય–સંખ્યા અને આસનની નિયતતા જળવાયાથી બંધાયેલા વાતાવરણથી તે ગુંડાના માનસ પર એવો પ્રભાવ પાડશે કે તે ગમે તે કોમ કે ધર્મનો હશે છતાં આપોઆપ વગર પ્રેરણાએ આપણે જેનો જાપ બાર વર્ષ સુધી કર્યો હશે તે જ તે ગુંડાના મુખમાંથી નીકળવા માંડશે !” આ છે આધુનિક વૈજ્ઞાનિક સત્ય ! આ છે સ્થાન, સમય અને સંખ્યાની ચોકસાઈ જાળવવાનો મહિમા !! આ છે શબ્દશક્તિના વિદ્યુત તરંગોનો અનુભવ !!! માટે મોક્ષે ગયેલ અનંતાનંત પુણ્યાત્માઓના વિશુદ્ધ આત્મબળના વાહકરૂપે દિવ્યશક્તિનિધાન અને અનાદિસિદ્ધ શ્રીનવકારમહામંત્રના અડસઠ વર્ણોને સમય, સ્થાન, સંખ્યા, માળા અને દિશાની નિયમિતતા વ્યવસ્થા અને મર્યાદાને જાળવી અખૂટ આત્મશક્તિઓના સ્રોતને વહેતો કરવાનું કામ હસ્તામલકની જેમ ગુરુગમથી સહેલું કરવાની આરાધકોની પવિત્ર ફરજ છે. ૨૦૪ • ધર્મ અનપેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy