SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ અને એનું પાલન—રક્ષણ કરવું જોઈએ. સુમન ! પોતાના જીવનને અનુરૂપ સદાચારનું પાલન કરવું અને અસદાચારનો ત્યાગ કરવો, એ જ માનવજીવનનું મુખ્ય કર્તવ્યબિંદુ છે. એમાં સર્વ કર્તવ્યોનો સમાવેશ થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેલા સમગ્ર વિધિ નિષેધોનું તાત્પર્ય એક જ આ કર્તવ્યપાલનમાં રહેલું છે. સુમન ! આ કર્તવ્યપાલનરૂપ આચારધર્મના પાલનથી પોતાને મળેલા દુર્લભ માનવજન્મની સેવા થાય છે અને જે પોતે માનવજન્મની આવી નિષ્કલંક સેવા કરે છે, તેની સેવા તેનો માનવજન્મ કરે છે. એમ સુમન ! મનુષ્ય માનવતાની સેવા કરે છે, તો માનવતા તે મનુષ્યને ઉચ્ચ બનાવે છે. સુમન ! હવે તું સમજી શકીશ કે પોતાનું હિત કરનારા દુર્લભ માનવજન્મને અસદાચારથી દૂષિત કરવો એનાથી બીજું ગેરવર્તન ક્યું હોઈ શકે ? અને એની સર્વમાન્ય ઉચ્ચતા નિષ્કલંક અને અખંડ રહે, તે રીતે આચારધર્મના પાલનદ્વારા તેની સેવા ક૨વાથી વિશેષ સુંદર બીજું ક્યું કર્તવ્ય હોઈ શકે ? સુમન ! નાવડી અનેકને તરવાનું સાધન હોવાથી એક મનુષ્ય તેનો નાશ થાય તે રીતે યથેચ્છ ઉપયોગ કરી શકે નહિ. તેમ સદાચારોરૂપ આચારધર્મ પણ સર્વના હિતનું સાધન હોવાથી તેની મર્યાદાનો ભંગ કરી શકાય નહિ. માટે સ્વ-સ્વ-યોગ્ય આચારોની મર્યાદામાં રહીને જીવવું એ ધર્મ છે અને એ મર્યાદાઓને તોડીને યથેચ્છ જીવવું એ અધર્મ છે. કારણ એ છે કે સદાચારની મર્યાદાના પાલનથી સ્વ-પર સર્વ જીવોનું હિત થાય છે અને એ મર્યાદા તોડવાથી સ્વ-પર સર્વ જીવોનો દ્રોહ થાય છે. • સુમન ! એક કુટુંબના કુળાચારોને નહિ પાળનારો સમગ્ર કુટુંબનો, જ્ઞાતિના આચારોને નહિ પાળનારો સમગ્ર જ્ઞાતિનો કે દેશના આચારોને નહિ પાળનારો સમગ્ર દેશની પ્રજાનો દ્રોહી છે, તેમ શ્રીજિનશાસનના જિનકથિત નાના મોટા આચારો પૈકી જે આચારોને પાળવા માટે પોતે જવાબદાર છે, પુણ્યના બળે તેના પાલનની યોગ્યતા તથા સામગ્રી જેને મળી છે, તે જીવ એ આચારોનું પાલન ન કરવાથી સમગ્ર વિશ્વનો દ્રોહી બને છે. કારણ કે જૈનશાસન એ સમગ્ર વિશ્વનું હિતકર શાસન છે. તેમાં એક પણ જીવના હિતની ઉપેક્ષા નથી, એના પ્રરૂપક વીતરાગ અરિહંતદેવ છે, તેઓ વિશ્વના પિતા છે, ત્રણે જગતના નાથ છે, તેથી તેઓના શાસનમાં વિશ્વના સમગ્ર જીવોના ૧૮૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy