________________
જીવનમાં શ્રીનવકાર
(શ્રીનમસ્કાર મહામંત્રના સ્વભાવ-સિદ્ધ સ્થાન અંગે ચાંય બે-મત છે જ નહિ. જીવનમાં શ્રીનવકાર મોખરે રહે એટલે શ્રીજિનેશ્વરભગવંતની આજ્ઞાનું પૂરેપૂરું પાલન થાય જ, તે પછી ન શ્રીજિનાજ્ઞા મુજબના અનુષ્ઠાનનું ગૌરવ ઘટે કે ન કોઈનાય ધર્મપુરુષાર્થમાં મંદતા આવે. ગંભીર ચિંતન તત્ત્વદર્શી ભગવંતોના મહામંત્ર પ્રત્યેના ભાવ સાથે અનુષ્ઠાનો પ્રત્યેના પરંપરાગત આપણા યથાર્થભાવને સ્પષ્ટપણે વ્યક્ત કરે છે. તેમ જ શ્રીનવકાર અને ધર્માનુષ્ઠાનો ઊભયની આવશ્યકતાને સરળ છતાં ભાવવાહી શૈલીમાં બીરદાવે છે.)
શ્રીજૈન શાસનમાં સાધુ અને શ્રાવક બન્નેયના જીવનમાં શ્રીનમસ્કાર મહામંત્રનું કેવું અને કેટલું અગત્યનું સ્થાન છે એ હકીકત આપણે બહુ જ ટુંકમાં અહીં વિચારવી છે. જૈનકુળમાં જન્મ પામવાની કોઈ પણ વિશેષતા હોય તો તે ખાસ કરીને એ જ છે કે, એને જન્મતાંની સાથે જ સર્વપાપપ્રણાશક નમસ્કાર મહામંત્રના અડસઠ અક્ષરો સાંભળવા મળે છે, જીવન દરમિયાન પ્રતિદિન અહોરાત્રીની અનેકવિધ આધ્યાત્મિક ચર્ચા વય અને યોગ્યતા પ્રમાણે સહજ રીતે પ્રાપ્ત થાય છે, તેમાંય જાગતાની સાથે નવકાર, દિવસમાં પણ અનેકવાર નવકાર, સૂતી વખતે પણ નવકા૨ અને મરણ વખતે છેલ્લા શ્વાસોચ્છવાસ પણ એ નવકારના શ્રવણ સાથે જ પૂરા થાય છે. જેના પ્રતાપે નિયમા દેવલોક અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી એ પુણ્યાત્માને નરક અને તિર્યંચગતિના દ્વાર સર્વથા બંધ થઈ જાય છે. જો જીવનમાં આ મહામંત્રનું ગૌરવભર્યું સ્થાન ન રહે, તો બીજી અનેક ક્રિયાઓ કરવા છતાં, તેનો સાચો લાભ મળી શકતો નથી અગર એ ક્રિયાઓ નિષ્ફળ જાય એમ પણ બને એમ મહાપુરુષો જણાવે છે.
સાધુ જીવનની શરૂઆત પણ એ જ મહામંત્રના સ્મરણથી જ થાય છે. દીક્ષિત થનારને ઉપાશ્રયમાં આવતાની સાથે જ સૌ પ્રથમ નમસ્કાર મહામંત્રની એક માળા ગણવાની શાસ્ત્રીય પ્રણાલિકા છે. જે આજે પણ ચાલુ જ છે. સાધુને પોતાની પ્રતિદિન સામાચારીમાં પણ પ્રાતઃકાળથી માંડી શયન કરે ત્યાં સુધી એક જ દિવસમાં એ
૧. નાર્ વિ નો વૃઢિપ્નદ્ (નમસ્કાર ફલ પ્રકરણ શ્લો. ૫)
२. जेणेस नमुक्कारो पत्तो पुन्नाणुबंधिपुन्नेणं ।
નારય-તિરિયાઓ તસ્ત્રાવસ્સું વિરુદ્ધાઓ ॥ (બૃહદ્ નમસ્કાર ફલસ્તોત્ર-૫૫)
૩. નામિનિ પચ્છિમનામે, સબ્વે નાતિ વાતવુડ્ડારી । પરમિટ્ટિપરમમંત જાંતિ સત્તદુવારાઓ ॥ (યતિદિનચર્યા)
૨૦ ધર્મ અનુપ્રેક્ષા