SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સુમન ! આ આચારરૂપ મોક્ષનો માર્ગ એ જ જીવનું સર્વસ્વ છે. તેનું પાલન કરનારો, ઉપદેશદ્વારા દાન કરનારા, તેના પાલકને સહાય કરનારા જે કોઈ છે તે જ આ જગતમાં સાચા ઉપકારી છે. આપણે શ્રીઅરિહંતદેવ વગેરે પરમેષ્ઠિ ભગવંતોને કે તેઓની આજ્ઞાના પાલક બીજાઓને ઉપકારી માનીએ છીએ, તેનું કારણ તેઓ આ આચારનો ઉપદેશ, પાલન, દાન અને સહાય કરે છે તે છે. સુમન ! આત્માનો શુદ્ધ સ્વભાવ તે તેનો ધર્મ છે અને તેને પ્રગટ કરવાનું સાધન આચાર છે. તેથી કાર્યનો કારણમાં ઉપચાર કરીને આચારને પણ ધર્મ કહ્યો છે. શ્રીજિનેશ્વરદેવોએ જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું અને બીજા લૌકિક આચારોનું પણ દાન જગતને કર્યું છે. તેમાં જ્ઞાનાચાર વગેરે પાંચને લોકોત્તર આચારો કહેવાય છે અને તે આચારોને આત્મસાત કરવાની શક્તિને પ્રગટ કરાવનારા દેશાચાર, કુળાચાર, લોકાચાર વગેરેને લૌકિક આચારો કહેવાય છે. પાલન કરનાર વ્યક્તિની અવસ્થાના ભેદે અને વિષયના ભેદે આચારના અનેક ભેદો કહ્યા છે, તો પણ તત્ત્વથી તે સઘળા આચારો મુક્તિના સાધનરૂપ હોવાથી એક જ ધર્મરૂપ છે. અર્થાત્ સઘળા સદાચારો તે ધર્મ છે. સુમન ! અહીં આપણે સદાચારને ધર્મ કહીશું અને એ આચારરૂપ ધર્મનો કેટલો ઉપકાર છે, વગેરે વિચારીશું. . સુમન ! આચારરૂપ ધર્મનો વિશ્વ ઉપર એટલો મોટો ઉપકાર છે કે તેનું વર્ણન પૂર્ણતયા કરી શકાય તેમ નથી. છતાં ટુંકમાં એમ કહી શકાય કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થતા જીવો તે તે જાતિમાં અને તે તે યોનિમાં જીવ્યા છે, જીવે છે, કે જીવશે, તે સર્વ પ્રત્યે ધર્મનો મોટો ઉપકાર છે. કારણ કે સર્વ જીવોને જીવન સામગ્રી આહાર-પાણી-વાયુ વગેરે ધર્મીઓના ધર્મના પ્રભાવે મળે છે અને તેથી આચારધર્મ સર્વ જીવોનો પ્રાણાધાર છે–પ્રાણ છે. સુમન ! કોઈ જીવ આહાર પાણી વાયુ વગેરે વિના જીવી શકે નહિ, પ્રત્યેકને તેની જરૂર રહે, યોગ્ય આહારાદિ ન મળે કે પ્રતિકૂળ મળે તો જીવનનો અંત આવે. ધન, સ્ત્રી, કુટુંબ, કે વસ્ત્ર-પાત્રાદિ વિના જીવી શકાય, પણ માફકસરના આહારાદિ વિના કોઈથી જીવી ન શકાય. સુમન ! પૃથ્વી ઉપર પ્રત્યેક જીવને યોગ્ય આહાર ઉત્પન્ન થાય છે અને મળી રહે છે, તથા લટકતી ખુલ્લી તલવારની જેમ મસ્તક ઉપર ઝઝુમી રહેલાં મરણાંત સંકટો પણ નડતાં નથી, તેમાં એક ધર્મ કારણ છે. જ્ઞાનીઓ કહે છે કે વિવિધ સંકટોથી ભરેલા આ સંસારમાં જીવોનું રક્ષણ કરનાર કોઈ હોય તો બંધુની જેમ સદા સાથે રહેનાર અતિવત્સલ ધર્મ અનુપ્રેક્ષા • ૧૩૭
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy