SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સુમન ! સમજવા માટે જરા ધ્યાન દઈને સાંભળ. એક ગુરુ અને શિષ્ય છે. ગુરુ શિષ્યને ભણાવે છે અને શિષ્ય ભણે છે. આ કાર્યમાં બીજા કારણોને ગૌણ કરીયે તો પણ શિષ્યનો ઉદ્યમ અને બુદ્ધિ તથા ગુરુનો ભણાવવાનો પ્રયત્ન ત્રણ કારણોને માનવા જોઈએ. ત્રણેના યોગ વિના ભણવું દુઃશક્ય છે. સુમન ! આ કાર્યમાં ભણનારનો પ્રયત્ન અને બુદ્ધિ બન્ને કા૨ણ છતાં ‘ગુરુ કૃપાથી હું ભણી શક્યો' એમ માનનાર શિષ્યની બુદ્ધિ માર્ગાનુસારિણી ગણાય છે અને ગુરુની કૃપા ભલે હોય, પણ મારી બુદ્ધિ વિના ગુરુ શી રીતે ભણાવે ? માટે મારી બુદ્ધિથી હું ભણી શક્યો.' એમ માનનારની બુદ્ધિ ઉન્માર્ગગામિની કહી છે. પહેલી બુદ્ધિમાં ન્યાય છે, બીજી બુદ્ધિમાં અન્યાય છે. આ દૃષ્ટાન્તમાં ગુરુ પણ જો શિષ્યના ઉદ્યમ અને બુદ્ધિને મુખ્ય માને અને પોતાના પ્રયત્નને ગૌણ માને તો ગુરુની બુદ્ધિ માર્ગાનુસારિણી અને ‘પોતે ભણાવ્યો માટે જ શિષ્ય ભણી શક્યો' એમ માને તો તે બુદ્ધિ ઉન્માર્ગગામિની ગણાય. કારણ કે તે અહંકારવર્ધક છે. સુમન ! એ જ રીતે સમજ, કે ભણવા-ભણાવવાનો પ્રયત્ન કરવા છતાં શિષ્ય ન ભણી શક્યો. ત્યારે જો શિષ્ય માને કે ગુરુએ તો મારા પ્રત્યે ઘણો ઉપકાર કર્યો, પણ મારી બુદ્ધિ મંદ હોવાથી હું ન ભણી શક્યો, તો તે બુદ્ધિ માર્ગાનુસારિણી અને પોતાની મંદબુદ્ધિને ગૌણ, કરી ‘ગુરુએ ભણાવવામાં લક્ષ્ય ન આપ્યું, માટે હું ન ભણી શક્યો', એમ માને તો તે બુદ્ધિ ઉન્માર્ગગામિની સમજવી. ગુરુ પણ એમ માને કે ‘શિષ્ય જડ હોવાથી ન ભણી શક્યો, મેં તો ઘણા પ્રયત્નો કર્યા'. તો તે બુદ્ધિ ઉન્માર્ગગામિની છે. તેને બદલે એમ માને કે ‘મારી ભણાવવાની કળામાં ત્રૂટિ હોવાથી શિષ્ય ન ભણી શક્યો, કળાવંત ગુરુઓ તો પત્થરને પણ, પલ્લવિત કરી શકે છે, મારામાં એ શક્તિ નથી માટે તે ભણી ન શક્યો' તો એ બુદ્ધિ માર્ગાનુસારિણી છે. એમ સુમન ! માની લે કે એક માણસે કંઈ કુપથ્ય કર્યું અને બિમાર પડ્યો. તેમાં જો તે પોતાની ભૂલને બદલે કુપથ્યનો દોષ આગળ કરે તો તેની બુદ્ધિ ઉન્માર્ગગામિની ગણાય અને ‘મારી લોલુપતા કે અજ્ઞાનતાને કારણે હું બિમાર પડ્યો' એમ માને તો તે માર્ગાનુસારિણી ગણાય. સુમન ! સામાન્યતયા કોઈ પણ શુભ-અશુભ કાર્યમાં પોતે અને બીજા નિમિત્ત હોય છે, તેમાં શુભ કાર્યનો યશ બીજાને આપવો અને અશુભ કાર્યનો દોષ પોતાનો માનવો, એ ન્યાય છે તેથી વિપરીત શુભકાર્યનો યશ પોતે ઉપાડી લેવો અને અશુભનો દોષ બીજાને શિરે મૂકવો તે અન્યાય છે. એક સઘુક્તિ છે, બીજી અસઘુક્તિ છે. એક બુદ્ધિ અહંકારપ્રભાવિત છે. બીજી નમસ્કારપ્રભાવિત છે. એક ભાવશુદ્ધિરૂપ છે બીજી ૧૨૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy