SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ છે પતાવવાની જ ઈચ્છા રાખે એ તો શી રીતે ચાલે? આમાં તો એ સંયમીના મનમાં એવા વિચારો રમતા છે જ હોય એમ માનવું? કે “આ છેવટે ક્યાં પરમાત્મા છે? પત્થરમાંથી ઘડી કાઢેલો એક આકાર છે ને? ' જ એને બેઠા બેઠા ખમાસમણા આપીએ તો ક્યાં એ કંઈ ઠપકો આપવાના છે ?” છે જો પ્રતિમામાં પરમાત્મા તરીકેનો સ્વીકાર હોય તો માત્ર ત્રણ ખમાસમણા પણ ઉભા થઈને ન છે છે આપી શકાય? આમાં કંઈ બધા ભગવાનને ઉભા ઉભા ખમાસમણા દેવાની વાત નથી. માત્ર જે છે જ ચૈત્યવંદન સંબંધી ત્રણ ખમાસમણા છે, એની જ વાત છે. ખરેખર તો જેટલા ખમાસમણ દઈએ એ બધા ? 3 જ સત્તર સંડાસાપૂર્વક જ આપવા જોઈએ, છેવટે એ શક્ય ન હોય તો ઉભા થઈને પંચાંગપ્રણિપાતપૂર્વક જે આપવા જોઈએ. (બે હાથ, બે ઘુંટણ અને મસ્તક જમીનને લાગે ત્યારે પંચાંગ પ્રણિપાત કહેવાય.) પણ છે ૪ લાંબા વિહારને કારણે થાક લાગ્યો હોય, એવો વીલ્લાસ ઉછળતો ન હોય ત્યારે એક ઉચિત પ્રવૃત્તિ જ તરીકે ય આટલી પ્રતિજ્ઞા તો હોવી જ જોઈએ. કેટલાંકો વળી ઉભા-ઉભા ખમાસમણા તો આપે પણ કાં તો અડધા જ ઉભા થઈને પાછા વળી ? છે જાય, કાં તો મસ્તક નીચે જમીનને અડાવ્યા વિના અધવચ્ચેથી જ પાછા ઉભા થઈ જાય, કાં તો એ છે ઘુંટણને બદલે એક જ ઘુંટણ જમીનને સ્પર્શાવીને ઉભા થાય. આવી જાતજાતની વિચિત્ર અવિધિઓ જોવા જ $ મળે છે. સાચા સંયમીએ આ બધી અવિધિ છોડી દેવી અને મનને બરાબર સમજાવવું કે “માત્ર ૧-૨ છે મિનિટની જ આ ક્રિયા છે. પરમકૃપાળુ પરમાત્માને આ વંદન છે. એમાં આળસ શેની? લાંબા વિહારનો ૪ જ થાક હોય તો ય ત્રણ ખમાસમણામાં શું વાંધો આવે? શું એટલો વીર્ષોલ્લાસ ફોરવી ન શકાય? હું તો શું ફ બરોબર ઉભો થઈશ અને બે ઘુટણ-બે હાથ-મસ્તક પાંચ અંગો બરાબર જમીનને લગાડવા પૂર્વક જ આ છે ખમાસમણા આપીશ. દેવાધિદેવે મારી કાળજી કરવામાં જો વેઠ નથી ઉતારી તો મારે એમને વંદન છે જ કરવામાં વેઠ શી રીતે ઉતારાય?” એ સિવાય જે અરિહંત ચેઇયાણું વગેરે કરો એમાં દરેકે પોતાની શક્તિ ગોપવ્યા વિના ઉચિત જ ૪ આચાર સેવવો. ૩૧. હું વિહારમાં ચાલતી વખતે કોઈની પણ સાથે વાતચીત નહિ કરું ઃ ઉત્તરાધ્યયનમાં ઈર્યાસમિતિનું નિરૂપણ કરતા જણાવ્યું છે કે, (૨૩) “સંયમી આત્મા જ્યારે ચાલે છે ૪ ત્યારે (૧) આજુબાજુ જોવાનું છોડી દે, કોઈના શબ્દો સાંભળવાનું ય છોડી દે. (૨) રે ! ગાથાઓનું જ આ પુનરાવર્તન, નવી ગાથા ગોખવી, નવકાર ગણવા, શાસ્ત્રીય પદાર્થો ઉપર ચિંતન કરવું, સાથે ? છે ચાલનારાને ધર્મોપદેશ આપવો વગેરે ધાર્મિક કહેવાતી પણ કોઈપણ પ્રવૃત્તિ ન કરે. (૩) માત્ર જીવોની છે ૪ રક્ષા માટે જમીન ઉપર જ નજર રાખીને ચાલે. એનો ઉપયોગ સતત જીવરક્ષામાં જ હોય. ૪ આજની હાલત કંઈક જુદી જ છે. આજે ઘણાઓની ફરિયાદ છે કે “અમારો ઈર્યાસમિતિનો જ ૪ ઉપયોગ રહેતો નથી. અને ખરેખર એવું દેખાય છે કે ધારી-ધારીને નીચે જોઈ જોઈને ચાલનારા ૪ જે સંયમીઓ કો'ક જ જોવા મળે છે. એમાં ય ૧૦-૧૦ કિ.મી.ના વિહારોમાં, એક ધાર્યા બે-ત્રણ કલાક છે. ૪ ચાલવાનું હોય ત્યારે તો અવિરતપણે ઈર્યાસમિતિનો ઉપયોગ પ્રાયઃ અશક્ય જ બની ગયો લાગે છે. સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૫૨),
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy