SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સાંજે છેક સૂર્યાસ્ત થઈ ગયા બાદ અંધારામાં દર્શન કરવા જવું ઉચિત જણાતું નથી. મોડામાં મોડું છે જ સૂર્યાસ્ત પૂર્વે પાણી ચૂકવીને તરત જ દર્શન કરી આવવા એ જ યોગ્ય છે. ૪ ઘણા સ્થળે મોડી સાંજથી વિવિધ વેશભૂષાવાળા ઘણા બહેનો દર્શન કરવા આવતા હોય છે. $ છે તેઓથી બચવા માટે પણ થોડા વહેલા દર્શન કરી આવવા યોગ્ય છે. છે જો શાસ્ત્રીયદષ્ટિએ વિચારીએ તો દેરાસરમાં દીવાઓ શરૂ થઈ ગયા પછી દર્શન કરવા જવામાં છે ૪ તેજસકાયની વિરાધનાની સંભાવના છે. કેમકે સૂર્યાસ્ત બાદ બહાર ભલે થોડોક પ્રકાશ હોય પણ છે ગભારાની પાસેના ભાગમાં તો લગભગ બધા દેરાસરોમાં અંધારું થઈ જ ગયું હોય છે અને માટે જ શરૂ જે કરેલા દીવાનો પ્રકાશ ત્યાં સ્પષ્ટ જણાતો હોય છે. એટલે એ વાત તો નક્કી છે કે આ સમયે સૂર્યપ્રકાશ છે છે દીવાની જ્યોતના પ્રકાશને હણી શકતો નથી. અર્થાત એ પ્રકાશ સચિત્ત છે અને શાસ્ત્રકારોએ (૨)શરીર છે જ ઉપર સચિત્ત પ્રકાશ પડતો હોય તો કામળી ઓઢીને પણ હલન-ચલન કરવાની ના પાડી છે. હોઠ 7 જે ફફડાવવાની પણ ના પાડી છે. એટલે આ સમયે જો ત્યાં ઉભા રહીને સ્તુતિ બોલીએ તો આપણા મુખ જ છે પર પડતા દીવાના સચિત્ત પ્રકાશના જીવોની શબ્દ વગેરે દ્વારા વિરાધના થાય. ખમાસમણાંદિ આપવામાં છે જ પણ એ જીવોની વિરાધના થાય. સંયમી તો ષકાયની માતા છે. એ શી રીતે આ તેજસકાયની વિરાધના ચલાવી લે? એટલે ? જ ખરેખર તો દવા શરૂ થાય એ પૂર્વે જ દર્શન કરીને નીકળી જવું જોઈએ. છે છતાં આવો સૂક્ષ્મ આચાર અઘરો પડતો હોય તો પણ છેલ્લે આવી ટેક તો રાખવી જ કે સૂર્યાસ્ત છે આ સમયે પાણી ચૂકવતાની સાથે જ તરત જ દર્શન કરવા જતા રહેવું. જેથી અજવાળામાં જ પાછા . જ ઉપાશ્રયમાં આવી જવાય. દેરાસરમાં મોડા જવું, પછી ત્યાં ભક્તિ કરવી અને ઘણું અંધારું થઈ ગયા પછી ઉપાશ્રયમાં પાછા ? છે આવવું એ જિનાજ્ઞા હોઈ શકે નહિ. કેટલાંક સંયમીઓ સાંજે વાતચીત વગેરેમાં પડી જઈને દર્શન કરવા જવાનું ટાળતા હોય છે. એવું છે ૪ ન થાય એ માટે આ નિયમ ઘડવામાં આવ્યો છે. ૨૩. હું ઉપાશ્રય કે દેરાસરમાં પ્રવેશ કરતી વખતે નિશીહિ બોલીશ : , નિશીહિસામાચારીના વર્ણનમાં બધી વાત વિસ્તારથી જણાવેલી જ છે. ટુંકાણમાં નિહિ એટલે ? છે સર્વ પાપોનો, આશાતનાનો ત્યાગ. દેરાસરમાં પ્રવેશ કરતી વખતે સંયમીએ ઉપયોગ મૂકવાનો છે કે હું “હવે હું દેવાધિદેવ પાસે જઉં છું. એટલે એમની આશાતના ન થાય એ માટે મારે સાવધ રહેવાનું છે.' : અને આ આશાતનાદિના ત્યાગની પ્રતિજ્ઞા રૂપે જ નિશીહિ બોલવાની છે. એમ ઉપાશ્રયમાં, ગુરુની નજીક જતી વખતે પણ ગુરુની આશાતના ન થાય એ માટે એકદમ ? જે સાવધ રહેવા માટેની પ્રતિજ્ઞારૂપે નિસીહિ શબ્દ બોલવાનો છે. છે જેમ વડાપ્રધાનની ઓફિસમાં પ્રવેશ કરતા પહેલા કર્મચારીઓ, મળવા આવેલા માણસો વાળ સરખા કરી લે, વસ્ત્રો વ્યવસ્થિત કરી લે, ધૂળ પડી હોય તો ખંખેરી નાંખે અને એકદમ સાવધ બનીને વડાપ્રધાનની ૪ જ ઓફિસમાં પ્રવેશ કરે. વડાપ્રધાનનો લેશ પણ અવિનય ન થાય એ માટેની બધી પૂર્વ તૈયારી રાખે. સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૪૪)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy