SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવેલી કે ભવિષ્યમાં થનારા સંયમીઓ અમારા શાસ્ત્રો વાંચી આત્મહિત સાધશે.” પણ એમની છે ૪ ભાવના અત્યારે તો નિષ્ફળ બનતી દેખાઈ રહી છે. • એ મહાપુરુષો કદાચ સ્વર્ગમાં હશે તો વિચારતા હશે કે “અરેરે ! અમે આ હજારો સંયમીઓ જ તે માટે સખત મહેનત કરીને શાસ્ત્રો રચ્યા અને તેઓ શાસ્ત્રો છોડીને આ છાપાંઓ વાંચવામાં પડ્યા? જ છે અમારી શરમ પણ એમને ન નડી ?” વધુ પુણ્યશાળી કોણ? એ જ સમજાતું નથી. આ છાપા બહાર પાડનારાઓ? કે જેમના છાપાઓ સંયમીઓ હોંશથી વાંચે છે. કે પછી એ શાસ્ત્રકારો? કે જેમના લખેલા હજારો શાસ્ત્રો એવા છે કે જે જ આ પોથીમાંથી ય બહાર નીકળવાના બાકી છે. છે ૯. હું ચિત્રલેખા, અભિયાન વગેરે મેગેઝીનો, નવલકથાઓ વાંચીશ નહિ : આ છાપાઓ રોજે રોજ બહાર પાડેજ્યારે આ ચિત્રલેખા, અભિયાન વગેરે પુષ્કળ મેગેઝીનો છે ૪ અઠવાડિયે, પંદર દિવસે કે મહિને બહાર પડે છે. આ બધા મેગેઝીનો પણ ઓછા ખરાબ નથી. આ - આ ઉપરાંત કેટલાંક સંયમીઓ વ્યવસાયી જૈન-જૈનતર લેખકોએ લખેલી ધાર્મિક (!) # આ નવલકથાઓ વાંચે છે. અલબત્ત એ નવલકથાના મુખ્ય પાત્રો રાજા વિક્રમ, ઇલાચિકુમાર વગેરે ધાર્મિક જ પાત્રો જ છે. એમાં અંતે જૈનધર્મનું સારું જ બતાવેલું છે. પણ એ પહેલાના પાનાઓમાં ક્યાંક શૃંગારનું, ન તો ક્યાંક રહસ્યમય ઘટનાઓનું વર્ણન હોય છે. આ બધું જ આત્મવિકાસ માટે તદ્દન પ્રતિકૂળ છે. આખા જ આ પુસ્તકના ૩-૪ પાનાઓ સિવાય બાકીનું તમામ લખાણ લગભગ વિકથારૂપ જ હોય છે. આવા તો બીજા જ ઘણા નવલકથા જેવા પુસ્તકો હોય છે. આવા કોઈપણ પ્રકારના પુસ્તકો સંયમીએ ન વાંચવા. - આ ઉપરાંત જોક્સના પુસ્તકો, કોમીક્સ વગેરે પણ સદંતર ત્યાગી દેવા. તે ખરેખર તો સંયમી સંસ્કૃત કે પ્રાકૃત સિવાય બીજું કંઈ જ ન વાંચે એ શ્રેષ્ઠ છે. વર્તમાનકાળમાં ? છે આચાર્ય ભગવંતો વગેરે દ્વારા લખાતા પુસ્તકો, મેગેઝીનો વાંચે એ ય સારું છે. જિનાજ્ઞા-શાંતિ સૌરભ ? વાંચે એનો ય વાંધો ભલે ન લઈએ, એ સિવાયના બાકીના સાહિત્યોથી સંયમીઓએ બાર ગાઉ છેટા રહેવું. જે ઉપદેશરહસ્યમાં ઉપાધ્યાયજી મ. એ કહ્યું છે (૧૪) “વિકથાપૂર્વકના શાસ્ત્રાભ્યાસને સ્વાધ્યાય ન જ જ કહેવાય.” અર્થાત વિકથાઓ સ્વરૂપ વાંચન કરનારાઓ બાકીના કાળમાં સ્વાધ્યાય કરે તો પણ એ સાચો જ તે સ્વાધ્યાય નથી. જેમાં બાકીના કાળમાં પણ વિકથાનું વાંચનાદિ ન હોય એ જ સ્વાધ્યાય સ્વાધ્યાય ? ન કહેવાય. ૧૦. હું એંઠા મુખે બોલીશ નહિ? * લગભગ ૭૦ વર્ષની વૃદ્ધ ઉંમરે એક સુવિહિત, ગીતાર્થ આચાર્યદેવ એકવાર બપોરની ગોચરી ૪ બાદ ભગવાનની સામે પંચાંગ પ્રણિપાત ખમાસમણા આપતા હતા. શિષ્ય આ દશ્ય પહેલી વાર જોયું. આ આ “આટલા બધા ખમાસમણા શા માટે આપતા હશે?” શિષ્ય પૂ. ગુરુદેવશ્રીને પૂછ્યું. તેઓશ્રી કહે, “૫૦ છે. વર્ષ પૂર્વે મેં નિયમ લીધેલો કે જો એંઠા મોઢે બોલાઈ જાય તો ૧૫ ખમાસમણા આપવા.” આજે છે જ પહેલીવાર હું ભુલમાં એંઠા મોઢે બોલ્યો. આ કારણસર ખમાસમણા આપું છું. ૫૦ વર્ષ પૂર્વેનો નિયમ યાદ હોવો, ૫૦ વર્ષમાં એક પણ વાર ભૂલ ન થવી અને આજે ભુલ $ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૩૩)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy