SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ જે પોતાનું નાનકડું કામ પણ ન સોંપે. સંપૂર્ણ સ્વાવલંબી બનીને જ જીવે. હવે જો સંયમીને પણ કામ ન છે ૪ સોંપાય તો તપેલા લોખંડના ગોળા જેવા ગૃહસ્થોને તો કોઈપણ કામ શી રીતે સોંપાય? છતાં આજની પરિસ્થિતિ વિચારીએ કે દૂકાનમાંથી દવા લેવા માટે સંયમી ન જ જઈ શકે. ડોક્ટરને બોલાવવા હોય તો ગૃહસ્થને કહેવું પડે. સ્ટેશનરી જોઈતી હોય તો ગૃહસ્થ પાસે મંગાવવી પડે. હું આમ અનેક કાર્યો એવા થઈ પડ્યા છે કે જે સંયમી જાતે ન કરી શકે. જાતે કરવા જાય તો ઉચિત પણ છે. જ ન દેખાય. ત્યારે એ કામો ગૃહસ્થોને ભળાવવા પડે છે. પણ જે કામો સંયમી પોતે કરી શકતો હોય એ તો ગૃહસ્થોને ન જ સોંપાય ને ? વંદન કરવા ? છે આવેલા શ્રાવકને સંયમી કહે કે, “જુઓ, આ બે ચોપડી સામે બેઠેલા સંયમીને આપી દો.” અથવા “આ છે છે પાણીનો ઘડો નીચે લઈ જાઓ” અથવા “આ ટેબલ ત્યાં મૂકી આવો.”... આવા ઢગલાબંધ કામો એવા જ છે કે જે કામો સંયમી જાતે જ કરી શકતો હોવા છતાં પ્રમાદ, ઉભા થવાની આળસ વગેરેને લીધે જ જ ગૃહસ્થોને સોંપી દેતો હોય છે. - હવે તો સંયમીઓ વિહારમાં ઉપધિ ઉંચકવાનું કામ પણ ગૃહસ્થને સોંપે, સ્થાને પહોંચ્યા બાદ છે છે પાણીના ઘડાઓ ઉંચકી લાવવાનું કામ પણ ગૃહસ્થને સોંપે, સંથારો પાથરવાનું કામ પણ ગૃહસ્થને સોંપી જ દે... હવે ગોચરી વહોરી લાવવાનું કામ પણ ગૃહસ્થને સોંપાઈ જાય તો એ નવાઈ નહિ રહે. ૨૦૦-૫૦૦ ડગલામાં જ ભંડાર હોય તો સંયમી જાતે જઈને પુસ્તકો કઢાવી શકે એને બદલે જ જે ગૃહસ્થને આદેશ કરે એ પણ ઉચિત દેખાતું નથી. ટૂંકમાં જ્યાં એમ લાગે કે “આ કામ સંયમી ન કરી શકે, કરે તો સારું ન લાગે (દુકાન ઉપર જ ઉભો રહીને સંયમી દવાઓ લેતો હોય એ અજુગતું લાગે.) તેવા કામો ભલે ગૃહસ્થને સોંપવા પડે. પણ જે કામ સંયમી સ્વયં કરી શકે તે કામ માત્ર પ્રમાદ, આળસાદિને કારણે ગૃહસ્થને ન સોપાય.” એ આ છે બાધાનો સાર છે. ૨૧૪. હું ગુરની સહર્ષ રજા વિના કોઈપણ પુસ્તક છપાવીશ નહિ કે મેગેઝીન શરૂ કરીશ નહિ: $ ગીતાર્થ-સંવિગ્ન મહાત્માઓ લોકો ઉપર ઉપકાર કરવા માટે પુસ્તકો છપાવે. મેગેઝીન ચલાવે છે જ એ બેશક અપવાદ માર્ગે શાસ્ત્રમાન્ય બને, કેમકે એમાં ખરેખર અનેક જીવો ઉપર ઉપકાર થતો હોય છે. $ પણ આવા સુપાત્ર મહાત્માઓના પુસ્તકો-મેગેઝીનો છપાતા જોઈને હવે તો નાના નાના જ સંયમીઓને પણ આ બધી ચાનક લાગે છે. જેઓને એવો કોઈ વિશેષ શાસ્ત્રબોધ નથી, તેઓ છેવટે કંઈ જ નહિ તો સ્તુતિઓની, સ્તવનોની, ભક્તામર કે કલ્યાણ મંદિરની ચોપડીઓ છપાવી એમાં પોતાના નામ છે જ અને ફોટાઓ મૂકી દેતા હોય છે. આજે જિનશાસનમાં એવો કોઈ ધણી દેખાતો નથી કે જે આવી બાબતોને લાલ આંખ કરીને જ છે અટકાવે. સેંકડોની સંખ્યામાં સ્તુતિ-સ્તવનોની ચોપડીઓ છપાઈ ચૂકી છે કે જે ચોપાડીઓ લગભગ ઘણી છે જ ખરી સરખી હોય છે. જો આ ચોપડીઓનો ખૂબ જ ઓછો ઉપયોગ થતો હોય તો બહેતર છે કે એ છપાવવી જ નહિ. ૪ એટલે સંયમીઓએ પ્રથમ તો આ ચોપડી છપાવવા વગેરે કોઈપણ પંચાતમાં પડ્યા વિના શું સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૨૨) - :
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy