SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ન જ કોઈકને આશ્ચર્ય પણ થશે કે “શું સાધુઓ આવી રીતે પુંઠા વગેરેથી પવન વીંઝે છે ખરા? આ જ તો. બને જ નહિ.” ? * પણ કળિયુગની ભીષણ તાકાતને ન જાણનારા એમને ક્યાં ખબર જ છે કે આજે કેટલાંક ? જ સંયમીઓ ઈલેક્ટ્રીકથી ચાલનારા, ભયંકર હિંસાના કારણભૂત એવા ટેબલફેનથી માંડીને મોટા મોટા પંખાઓનો પણ ઉપયોગ કરે છે. એક શ્રાવકે એક ઉપાશ્રયમાં રાત્રિનું જે દશ્ય જોયું એમાં એણે પ્રત્યેક ૪ સંયમી પાસે પોત-પોતાનો સ્વતંત્ર નાનકડો ટેબલફેન (ઈલેકટ્રીકથી ચાલતો પંખો) જોયો. જ સુખશીલતાદિ દોષો કેટલી હદની શિથિલતાઓ ઘુસાડી દેશે એની કલ્પના કરવી દુષ્કર છે. છે એટલે “પાણી પહેલા બાંધી પાળ” એ ન્યાયે અત્યારે કોઈપણ પ્રકારના પંખાદિ ન વાપરનારા સંયમીઓ જ પણ મનને દઢ બનાવી દે કે “ભવિષ્યમાં ગમે તેવા નિમિત્તો આવે, ગમે એટલી ગરમી પડે, બધું સહન જ કરીને પણ આ રીતે ઇલેક્ટ્રીક પંખા તો નહિ જ, પણ પુંઠાના પંખા કે વસ્ત્રોના પંખા પણ હું બિલકુલ જ વાપરીશ નહિ.” ૪ ૧૯૧. હું મારી કોઈપણ વસ્તુ ઉજઈમાં કે કામળીકાળમાં ખુલ્લા આકાશમાં રહેવા દઈશ નહિ ? છે જેમ જાતે ઉજઈમાં ન જવાય, ઉજઈમાં ઉભા ન રહેવાય. જેમ જાતે કામળી કાળમાં ખુલ્લા જ આકાશમાં ન જવાય, એમ આપણી ઉપધિ પણ ઉજઈ વગેરેમાં ન રખાય. બહારથી ઉજઈ આવતી હોય ? તો આપણે તો દૂર થઈ જઈએ છીએ કે કામળી ઓઢી લઈએ છીએ. પણ આપણી કોઈપણ વસ્તુ ઉજઈમાં જ કે પડી રહે તો આપણા ઉપકરણ દ્વારા ઉજઈની વિરાધના થાય એનો દોષ આપણને લાગે જ. છે એટલે દાંડો, સંથારો, દંડાસન, ઝોળી વગેરે તમામ વસ્તુઓ એવા જ સ્થાને રાખવી કે જ્યાં છે જ ઉજઈ ન આવે અને જો ઉજઈ આવે તો ત્યાંથી એ વસ્તુઓ હટાવી દેવી. જ એ જ રીતે કામળી કાળમાં ખુલ્લા આકાશમાં પ્યાલો વગેરે ન મૂકવો. ખુલ્લા આકાશમાં દોરી જ બાંધી હોય તો કામળી કાળ પૂર્વે છોડીને અંદર લઈ લેવી પડે. પાતરાઓ સુકવવા મૂક્યા હોય તો ય જ જે કામળી કોળ પૂર્વે અંદર લઈ જ લેવા પડે. આવી બધી બાબતમાં કાળજી કરવી. ૪ ૧૨. હું ગાઢ કારણ વિના કામળી ઓઢીને પણ ઉજઈવાળા સ્થાને કે કામળીકાળમાં ખુલ્લા આકાશમાં નહિ ઉભો રહું? છે. કામળી ઓઢવા માત્રથી ઉજઈની બધી વિરાધના અટકી જાય છે એવી કોઈની માન્યતા હોય તો જ છે એ ખોટી છે કેમકે કામળી પહેરવા છતાં મોટું, હાથ-પગ વગેરે ભાગો ઉપર તો કામળી આવી જ નથી. જ એટલે એ ભાગો ઉપર સીધી ઉજઈ પડે અને ઉજઈના જીવોની વિરાધના થાય. એટલે “ઉજઈમાં કે કામળીકાળમાં કામળી પહેરીને જવાય.” એવું કોઈ ન માની લે. કામળી પહેરીને પણ ઉજઈમાં કે કામળીકાળમાં ન જ જવાય. પણ જ્યારે સ્પંડિલ માટે કે એવા ગાઢ કારણસર જ કે ઉજઈમાંથી પસાર થવું પડે કે કામળીકાળમાં બહાર જવું પડે ત્યારે વિરાધના ઓછી થાય એ માટે છે જ કોમળીનો વપરાશ કરવાનો છે. કામળીથી સંપૂર્ણ વિરાધના અટકી શકતી નથી. જ કેટલાંક સંયમીઓ રાત્રે કામળી ઓઢીને અગાસીમાં અડધો એક કલાક ઉભા રહેતા હોય છે. ત્યાં જ જ ખુલ્લામાં ઉભા રહીને વાતચીત કરતાં હોય છે. એમ કેટલાંકો ઉજસ્થાનમાં કામળી ઓઢીને વાતચીતો જ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ = (૧૯૩)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy