SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ છે કાતરની અને નખ કાપવા માટે નીલકટરની છૂટ પણ શાસ્ત્રકારોએ આપી છે, પણ આ બધી વસ્તુઓ છે જ બધા સંયમીઓએ નથી રાખવાની. નાનકડા ગચ્છમાં ગુરુ કે ગુરુએ જવાબદારી સોંપેલ સાધુ આ બધી ! જ વસ્તુઓ રાખે અને બાકીનાઓ જરૂર પડે ત્યારે તેનાથી જ કામ ચલાવી લે. જે ગચ્છમોટો હોય અને એકાદ સોંય વગેરેથી ચાલી શકે એમ ન હોય તો વધારે સોંય વગેરે રખાય છે ખરી પણ લોખંડાદિ ધાતુઓની બનેલી સોય, કાતર, નીલકટર ગુરુ રાખે અને લાકડાની સોંય, કાતર છે ૪ વગેરે બાકીના સંયમીઓ રાખે. બાકીના સંયમીઓ ધાતુની સોંય રાખી ન શકે. ? પણ આજે તો લાકડાની સોય, કાતર જોવા મળતી જ નથી. આ બધા સાધનો લગભગ ધાતુના | જે જ જોવા મળે છે. આ બધા સાધનો બીજા સંયમીઓને રાખવાની ના પાડવાનું કારણ એટલું જ છે કે તે છે ૪ સંયમીઓ અપરિપક્વ હોવાથી કદાચ ક્યારેક આ સાધનોનો હિંસા માટે ઉપયોગ કરી બેસે. અથવા તો છે જ આવા સાધનો વાપરવા-સાચવવાની આવડત ન હોવાથી અજાણતા પણ એના દ્વારા કોઈક નુકશાન થઈ ? જ જાય. લાકડાની સોંય કે કાતર ધાતુની સોંય વગેરે કરતા ઓછી નુકસાનકારક બને એટલે નાછૂટકે તેની 3 છૂટ આપવામાં આવી છે. તે શક્ય હોય તો આખા ગ્રુપમાં માત્ર એક જ સંયમી આ બધી વસ્તુ રાખે અને બાકીના તમામ છે જે સંયમીઓ આવી કોઈપણ વસ્તુ ન રાખે એ ખૂબ યોગ્ય ગણાય. પણ છતાં આ વસ્તુઓ રાખવી હોય તો પણ જરૂરિયાત પુરતા જ સંયમીઓ રાખે. જ્યારે પણ છે આ વસ્તુઓની જરૂર પડે ત્યારે ગૃહસ્થોના ઘરોમાંથી મળી જ જાય છે. એનો વપરાશ કરીને પાછી આપી છે શકાય છે. અહીં નવા જમાનાની વસ્તુ સ્ટેપલરની બાધા લેવાની વાત છે. સ્ટેપલર એ અનિવાર્યસાધન છે નથી. બે છટા પાનાને ભેગા કરવા વગેરે માટે સ્ટેપલર વપરાય છે. પણ એને બદલે એ બે પાનાઓમાં છે કાણા પાડીને દોરા વડે બાંધી શકાય છે. (ઓઘાની દશીનો દોરો પણ તાત્કાલિક કામમાં આવી શકે છે.) છે ૪ સ્ટેપલરની પીન ધાતુની અને વાગે તેવી તીક્ષ્ણ હોય છે. અને પાના છૂટા કર્યા બાદ એ ફેંકી જ દેવાય ? જ છે. એ કોઈને વાગી જવાથી નુકસાન પણ થાય. છે એટલે પાનાઓ ભેગા કરવા કે ટપાલનું કવર બંધ કરવા માટે સ્ટેપલરનો ઉપયોગ ઉચિત નથી જણાતો. ટપાલના કવર તો ગુંદરાદિ દ્વારા બંધ કરી જ શકાય છે. એના માટે સ્ટેપલર શા માટે વાપરવું છે સોંય, કાતર વગેરે સાધનો એવા છે કે જે કાયમી ઉપયોગમાં આવે અને લગભગ અનિવાર્ય છે. છે જ્યારે સ્ટેપલરમાં તો એક પીન વપરાઈ ગયા બાદ બીજીવાર એ પીન ફરી વાપરી શકાતી નથી. એના છે જે બદલે ટાંકણી હજી ઓછી ખરાબ, કેમકે એક જ ટાંકણીનો ઉપયોગ તો વારંવાર થઈ શકે છે. આધુનિક સાધન, વિરાધનાનું કારણ સ્ટેપલર સંયમીઓએ ન વાપરવું. ૧૯૦. હું ગમે તેવી ગરમીમાં પણ કોઈપણ વસ્તુને પંખા તરીકે વાપરીશ નહિ ? પસીનાનો ટુકડો સહેજ ખંખેરીને કે હલાવીને પવન ઉત્પન્ન કરવાની પણ જો શાસ્ત્રકારોની ના જ હોય તો પછી ઉનાળામાં જાડા પુઠા વડે પવન વીંઝવો, એ યોગ્ય શી રીતે હોઈ શકે? સંગ્નિ સંયમીઓની નિયમાવલિ ૦ (૧૯૨) |
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy