SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વોનિક શ્રાવકો વગેરેની વાત હતી. પણ કોઈક સંયમી એમ સમજતા હોય કે, “જે મારા ભક્તો મને ૪ - જવંદન કરવા આવ્યા હોય. મારા બા-બાપુજી, ભાઈ-બહેન, ફુઆ-માસા-કાકા, સ્વજનો મને જ મળવા જ માટે આવ્યા હોય. મારા ગુરુ કે વડીલને મળવા માટે આવ્યા ન હોય તેઓ તો સીધા મારી પાસે જ જ જ આવવાના. તેઓને ગુરુ-વડીલનું કોઈ જ કામ નથી. તો એમની સાથે તો વાતચીત કરી શકાય ને?” છે તો એ સમજણ ખોટી છે. સંયમીઓનો ગુરુ/વડીલ પ્રત્યેનો ઉચિત વિનય આ જ છે કે પોતાને જ મળવા જ જ આવેલા સ્વજનાદિ હોય તેઓને પણ પહેલા ગુરુ કે વડીલ પાસે મોકલવા. તેઓ ગુવદિને વંદન કરી લે, ત્યાર બાદ જ ગુર્નાદિની અનુમતિ લઈ એ સ્વજનો વગેરે સાથે બેસી શકાય. કે આવું કરવામાં આવે તો આવનારા સ્વજનોને પણ ઔચિત્યનો ખ્યાલ આવે. તેમને સંયમી પ્રત્યે છે ૪ બહુમાન જાગે કે “અમારા મહારાજ કેટલા બધા વિનયી છે ! ગુરુ-વડીલ પ્રત્યે કેવો ઉત્કૃષ્ટ આદર-ભાવ $ ન ધરાવે છે !” આ બધું થાય કે ન થાય પણ સંયમીને પોતાને તો આવા ઔચિત્ય-સેવનથી પ્રચંડ કર્મક્ષયની જ છે પ્રાપ્તિ થયા વિના ન જ રહે. એટલે પોતાને મળવા આવેલા સ્વજનાદિને પણ સૌપ્રથમ ગુરુ-વડીલાદિની પાસે જ મોકલી ૪ જ આપવાનો આ નિયમ યોગ્ય જ છે. ક ૧૬૬. (વિજાતીયપરિચયાદિ ન થાય તે માટે) હું ગૃહસ્થોને રક્ષાપોટલીઓ આપીશ નહિ : ખેદની વાત છે કે આજે રક્ષાપોટલી રાખવાનો, બાંધવાનો આખો ઉદ્દેશ જ બદલાઈ ગયો છે. જે જે ગૃહસ્થો લગભગ સાંસારિક સુખોની દષ્ટિથી જ, સાંસારિક મુશ્કેલીઓ ન આવે એવી વિચારધારાથી જ જ રક્ષાપોટલીઓ બાંધતા થયા છે. જ “મારા સમ્યગ્દર્શનાદિગુણોને ખતમ કરનારા નિમિત્તોથી આ મંત્રિત રક્ષાપોટલી મારું રક્ષણ આ જ કરશે.” એવી નિર્મળભાવના, શ્રદ્ધા ઘણી ઓછી જોવા મળે છે. ૫૦-૧૦૦ વર્ષ પહેલા પ્રાયઃ સિદ્ધચક્રપૂજન વખતે બધાને રક્ષાપોટલી અપાતી એ વખતે જો છે સાધુઓ હાજર હોય તો તેઓ રક્ષાપોટલીને મંત્રિત કરી આપતા અને નહિ તો વિધિકારક જ ૪ જ રક્ષાપોટલીઓને મંત્રિત કરીને બધાને એક એક બાધા આપવાપૂર્વક રક્ષાપોટલીઓ આપતા. પણ આ જ સિવાય રક્ષાપોટલીઓ અપાતી ન હતી. સંયમીઓ રક્ષાપોટલી રાખતા ન હતા. - આજે તો દુકાનોમાં રક્ષાપોટલીઓ વેંચાતી મળે છે. શ્રાવકો પણ ઉપાશ્રયમાં આવેલા સંયમીઓ જ પાસે રક્ષાપોટલીઓ માંગતા થયા છે. શ્રાવકોને ખુશ કરવા કેટલાંક સંયમીઓ રક્ષાપોટલીઓ રાખતા ૪ અને આપતા પણ થયા છે. કેટલાંકો તો વળી અવનવી, આકર્ષક રક્ષાપોટલીઓ તૈયાર કરાવે છે. શ્રાવકોને માટે સંયમીઓ રક્ષાપોટલી બનાવડાવે, પોતાની પાસે મોટા પ્રમાણમાં રાખે અને જે માંગનારા શ્રાવકોને તે આપીને ખુશ કરે, ભક્ત બનાવે એ કેટલું ઉચિત? એ તો આજના ગીતાર્થસંવિગ્ન મહાપુરુષો જ નક્કી કરે. રક્ષા પોટલીઓ આપવામાં ધીમે ધીમે બહેનોને પરિચયાદિ વધવાની મોટી શક્યતા છે. આ રીતે રક્ષાપોટલીઓ આપનારા સંયમીઓના મનમાં શું ખરેખર એ શ્રાવકોનું હિત કરવાની ? સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૭૩) (
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy