SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ બોલો, છે તૈયારી ! જો એ વ્યક્તિને ખબર પડે કે “મારા માટે અમુક સંયમીએ અમુકને આવી છે જ વાત કરી છે.” તો એને કેટલો આઘાત લાગે ? એ જાત-અનુભવ કરીને નક્કી કરી લેવું. આપણા માટે ? જ કોઈક સંયમી બીજાઓ પાસે નિંદા કરે અને આપણને ખબર પડે તો કેટલો બધો આઘાત આપણને લાગે ? છે છે? તો એ જ આઘાત બીજાઓને નહિ લાગતો હોય? તો શા માટે બીજાઓને દુઃખ દેનારી આ નિંદાની છે આ પ્રવૃત્તિ કરવી ? એમાં ય બીજાના મુમુક્ષુઓ પડાવી લેવા માટે બીજાના છતાં-અછતાં ઉત્તરગુણ સંબંધી દોષોને જ ઊભા કરીને એમને હલકા ચીતરવા એ અતિભયંકર પાપ કહેવાય. છે જો મોહને પરવશ થઈને નિંદા થઈ જાય તો તેની શિક્ષા રૂપે બે દ્રવ્યનું એક ટંક કે એવી બીજી કોઈપણ શિક્ષા ધારી શકાય. ૧૬૩. હું મારી જાતે મારો કોઈપણ શિષ્ય નહિ બનાવું. ગુરુ મને જે શિષ્ય કરી આપે એનો જ જ સ્વીકાર કરીશ. મારી પાસે કોઈપણ મુમુક્ષ તૈયાર થાય તો “એ મારો શિષ્ય થાય” એવી લેશપણ જે અપેક્ષા વિના મારા ગુરુને જ એ સમર્પિત કરી દઈશ : શિષ્યો કરવા કે શિષ્યો થવા એ પાપ નથી પણ શિષ્યની લાલસા અને એ માટે કરાતા માયાજ દંભ-કાવાદાવાઓ ભયંકર પાપ છે. એમાં ય વિષમકાળની બલિહારી કેવી ? કે માત્ર એક-બે-પાંચ ૪ વર્ષના દીક્ષા પર્યાયવાળાઓ પણ શિષ્યો બનાવવા માટે તલપાપડ બનતા દેખાય છે. એ માટે જૂઠ- ૬ જે કપટનો આશરો લેતા પણ કેટલાંક દેખાય છે. ગુરુ તો એ જ બની શકે કે જે ગીતાર્થ હોય અને સંવિગ્ન હોય. જેઓએ ઠોસ શાસ્ત્રાભ્યાસ કર્યો છે જ જ નથી. જેઓ આચારસંપન્ન નથી તેઓ ગુરુ બનવાને લાયક જ ક્યાં છે ? જ પ્રાચીનકાળમાં તો ગચ્છાધિપતિ જ ગુરુ બનતા. એક ગચ્છના ૫૦૦ સાધુઓ હોય તો એ બધાના જ ગુરુ માત્ર એક જ કહેવાતા “ગચ્છાધિપતિ.” પણ જે નૂતનદીક્ષિત થાય તેની સાથે સંઘાટક ગોચરી કોણ ? જાય ? એની સાથે વિહારમાં કોણ રહે ? એની સાથે ઠલે કોણ જાય ? તે વખતે તો અંડિલભૂમિ, છે જ વિહાર, ગોચરી વગેરેમાં બે-બે સાધુઓ જ સાથે જતા. એકલા કોઈ જઈ ન શકતું. એટલે તે વખતે જ જ ગચ્છમાં બે-બે સાધુઓની જોડ બનાવી દેવાતી. અર્થાત્ કોઈની દીક્ષા થાય તો એની સાથે જુના એક જે સાધુનું નામ જોડી દેવાતું અને બે મને કહેવાતું કે તમે એક-બીજાના સંઘાટક છો. તમારે ગોચરી-પાણીજ ઠલ્લે-વિહારમાં સાથે રહેવાનું. આટલી બાબતની કાળજી તમારે પરસ્પર કરવાની. મોટી મુશ્કેલી થાય ? તો તો આખો ગચ્છ હાજર જ છે. ગ્રંથોમાં લખ્યું છે કે, (9દીક્ષા વખતે સાધુને આચાર્ય અને ઉપાધ્યાય એ બેના દિબંધન કરવા છે અને સાધ્વીજીને એ બે ઉપરાંત પ્રવર્તિનીનું દિબંધન કરવું.” આના ઉપરથી ખ્યાલ આવે છે કે આચાર્ય જ કે ઉપાધ્યાય જ ગુરુ બનતા. બીજા કોઈનું દિબંધન હતું જ નહિ. આમ ગચ્છની વ્યવસ્થા માટે દરેક સાધુઓને સંઘાટક નક્કી કરી આપવામાં આવતા. આગળ જ છે જતા એ જ સંઘાટકો હવે ગુરુ તરીકે ઓળખાવા લાગ્યા છે. આવા સંઘાટક-ગુરુઓ આજે અગીતાર્થ જ હોય, અસંવિગ્ન હોય છતાં શિષ્યો કરે છે અને શિષ્યોને લઈને, ગુરુને છોડીને ચારે બાજુ ફરે છે. આ છે સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૦૦)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy