SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ લુંછણિયું સામાન્યથી મેલું-કાળું હોવાથી એમાં ધ્યાનથી જોવું પડે. ઉપરછલ્લી નજર પાડવાથી જ કંઈ જ ખબર ન પડે. પ્રતિ-લેખનનો અર્થ જ એ છે કે એના પ્રત્યેક અવયવો ખૂબ જ ધ્યાનથી જોવા. બરાબર જોવા છતાં પણ કદાચ કોઈક જીવો ન દેખાયા હોય તો? એટલે સહેજ ખંખેરી લઈએ ? છે તો એમની વિરાધના ન થાય. ઘણીવાર એવું બને છે કે મોટું લુંછણિયું ધ્યાનથી જોવામાં પ્રમાદ થાય. બધા જ અવયવો ૪ સૂક્ષ્મદષ્ટિથી જોવામાં વાર લાગે એટલે કંટાળો કે ઉપેક્ષા પણ થાય. જો ગોચરીમાં વાપર્યા પછી માત્ર ત્યાં છે થોડી જ જગ્યામાં લુંછણિયું ઘસવાનું હોય કે દાળ-શાકનો ડાઘો ઘસવાનો હોય તો લુંછણિયાના છેડાનો જ થોડોક ભાગ બરાબર જોઈ લઈ એ જ ભાગ જુદો પકડી એના દ્વારા નીચે દાળ-શાકનો ડાઘ ઘસીને કાઢી છે શકાય. એ વખતે આખું લુંછણિયું જોવાની જરૂર ન પડે. પણ કાપ વગેરેમાં ઘણું ઢોળાયેલું પાણી સાફ કરવાનું હોય ત્યારે તો આખું લુંછણિયું બરાબર જ જોવું જ પડે. લુંછણિયાથી પાણી વગેરે લંડ્યા બાદ એ લુંછણિયું ખુલ્લુ કરી સુકવી દેવું. તથા ગોચરી છે જે માંડલીમાં વપરાયેલ લુંછણિયાનો સાંજ પહેલા કાપ નીકળવો જરૂરી છે. નહિ તો રાત્રિભોજનનો અતિચાર લાગે. ૧૪૦. હું ઉંઘતી વખતે માથા નીચે વીંટીયો વગેરે કોઈપણ વસ્તુ રાખીશ નહિ ? ડાબા પડખે સુતી વખતે ડાબા હાથને જ ઓશીકું બનાવીને ઉંઘવામાં જિનાજ્ઞાભંગ થતો નથી. છેપણ કેટલાંકોને ગૃહસ્થપણાની ટેવ હોય કે માથા નીચે ઓશીકું રાખીને જ ઊંઘે, ઓશીકા વિના ઉંઘ ન છે જે આવે તો તેવા સંયમીઓ અહીં ઓશીકાને બદલે ધાબડો, વીંટીયો, જાડી કામળી વગેરે રાખીને એના આ જ ઉપર માથું રાખીને ઉંધે. આમાં સુખશીલતા તો પોષાય જ છે, ઉપરાંત આ બધી વધારાની ઉપધિઓ રાખવાથી નકામો છે જે પરિગ્રહ ઘણો વધી જાય. હા ! આચાર્ય ભગવંતો વગેરે મહાપુરુષો વીંટીયો વાપરે તો હજી બરાબર. છે પણ બાકીનાઓએ એ વીંટીયા વગેરેનો વપરાશ ન કરાય. . જ લોચ કર્યા બાદ પાંચ-સાત દિવસ મસ્તક સીધું જમીન પર રાખીને કે હાથ ઉપર રાખીને સુવું છે છે પણ જો કઠિન પડે તો પછી અપવાદ માર્ગે માત્ર લોચ બાદ પાંચ-સાત દિવસ સુધી ઓશીકા જે કરનાર વીંટીયોકામળી વગેરે વસ્તુ વાપરી શકાય. પણ એ સિવાય માત્ર સુખશીલતા માટે, સારી ઉંઘ છે લાવવા માટે તો વીંટીયા વગેરેને મસ્તક નીચે રાખીને ન જ ઉંઘાય. ૧૪૧. હું લાઈટમાં કે એની પ્રભામાં વાંચન-લેખન કરીશ નહિ? પ્રાચીનકાળમાં સંયમીઓ દિવસ દરમ્યાન ખૂબ શાસ્ત્રાભ્યાસ કરતા અને રાત્રે એ બધાનું છે છે પુનરાવર્તન વગેરે કરવા દ્વારા દઢ કરતા. એમ કહેવાનું મન થાય કે સૂર્ય ઉગે છે, તે પણ સંયમીઓ માટે છે હિતકારી છે, અને સૂર્ય અસ્ત પામે છે એ પણ સંયમીઓ માટે અત્યંત હિતકારી છે. જો સૂર્ય કાયમ જ ઉદયમાં રહેતો હોત, તો સંયમીઓ સતત નવું નવું ભણ્યા જ કરત અને જુનું ભણેલું પુનરાવર્તન ન શું કરત. પણ સૂર્યાસ્ત બાદ નવું ભણવું શક્ય ન બને એટલે દિવસનું ભણેલું પુનરાવર્તન થાય.આમ એ | સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૧૫)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy