SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ? છે સાથે કોઈપણ વાતચીત ન કરવાનો નિયમ લઈ શકાય. આ જ નિયમ સાધ્વીજીઓએ સાધુઓ અંગે લેવાનો છે. તેઓ પણ નિયમ લઈ શકે કે “અમારી જ જવાબદારી જેમના માથે છે, એવા આચાર્ય ભગવંત કે એકાદ પીઢ-પરિપક્વ-ગીતાર્થ સાધુ વિના બાકીના કોઈપણ સાધુ સાથે અમે પરિચય નહિ કરીએ, વાતચીત નહિ કરીએ. જે કંઈ પ્રશ્નો હશે, એ બધા ? છે આચાર્ય ભગવંતને જ જણાવશું.” ૯૮, હું એકલા બહેનો સાથે વાતચીત નહિ કરું. બા-બહેન વિગેરે એકલા જ ઉપાશ્રયમાં સાધુને મળવા માટે આવે. ક્યારેક એકલી શ્રાવિકાઓ જ પ્રશ્નો પુછવા કે બીજા કોઈ કામ માટે ઉપાશ્રયમાં સાધુ પાસે આવે, મુમુક્ષુ બહેનો હિતોપદેશ પામવા છેમાટે સાધુ પાસે આવે, શ્રાવિકાઓ સંસારના દુઃખોથી ત્રાસીને હૈયું હળવું કરવા માટે સાધુઓ પાસે છે આવે. બહેનો સાધુના વ્યાખ્યાન કે પુસ્તકાદિની અનુમોદના કરવા માટે સાધુ પાસે આવે. આમ અનેક રીતે બહેનો સાથે વાતચીત થવાની શક્યતાઓ છે. દશવૈ.માં કહ્યું છે કે (૪)જે રે # સ્ત્રીની ઉંમર 100 વર્ષની હોય અર્થાત્ જે સ્ત્રી અત્યંત વૃદ્ધ હોય. જે સ્ત્રીના બે હાથ અને બે પગ કપાઈ ? ૪ ગયા હોય. જે સ્ત્રીના કાન અને નાક કપાઈ ગયા હોય. આવી પણ સ્ત્રીથી સાધુએ સાવચેત રહેવું. જો આ વાત સાચી જ છે તો પછી યુવાન, રૂપવાન, ભક્તિવાળી શ્રાવિકા વિગેરે સાથે તો વાતચીત વિગેરે કરી જ શી રીતે શકાય? ભાઈઓ સાથે હોય, ભાઈઓ આગળ બેઠા હોય. બહેનો બાજુમાં દૂર બેઠા હોય, સાધુ ભાઈઓ જે સામે જોઈને વાતો કરતા હોય તો હજીય કદાચ ચાલે (એ પણ બધા સાધુઓ બેઠા હોય તે હોલમાં તો જ ન જ ચાલે. સાધુએ અલાયદા સ્થાનમાં બેસવું જોઈએ. જેથી બીજા સાધુઓને મુશ્કેલી ન થાય.) પણ છે એકલા બહેનો સાથે તો ધર્મોપદેશ આપવા માટે, પ્રશ્નોનો ઉત્તર આપવા માટે પણ વાતચીત કરવી યોગ્ય રે જણાતી નથી. એકલા બહેનો સાથે વાતચીત કરનારા સાધુ માટે કોઈ ગમે તેવી શંકા પણ કરે. એટલે સાધુઓએ એકલા બહેનો સાથે વાતચીત ન કરવી. (ગોચરીમાં નાછૂટકે નીચી નજર રાખીને એકલા બહેનો સાથે વાતચીત અનિવાર્ય છે.) આજ વાત સાધ્વીજીઓએ ભાઈઓ માટે સમજવી. એકલા ભાઈઓ સાથે કોઈપણ જ સાધ્વીજીઓએ વાત ન કરવી. સંસારી સ્વજનો મળવા આવેલા હોય તો પણ એમાં સ્ત્રીઓ સામે નજર જ રાખીને વાતચીત કરી શકાય. પણ પુરુષો સાથે વાતચીત ન કરાય. સંસારી સ્ત્રીઓની ગેરહાજરીમાં છે એકલા પુરુષો સાથે તો વાતચીત કોઈપણ હિસાબે ન કરાય. ૯૯. હું સર્યાસ્ત બાદ ભાઈઓ હાજર હોય તો પણ બહેનોને વિદાય આપી દઈશ. એમને ૪ ઉપાશ્રયમાં બેસવા નહિ દઉં. ભાઈઓની હાજરીમાં બહેનો બેઠા હોય અને સાધુ ભાઈઓ સામે જોઈને વાતચીત કરે એની છૂટ જ ૯૮માં નિયમમાં આપી. પણ સૂર્યાસ્ત બાદ તો આ રીતે પણ ન ચાલે. સૂર્યાસ્ત બાદ સાધુના ઉપાશ્રયમાં જે કોઈપણ બહેનોની હાજરી ન જ જોઈએ. સંવિગ્નસંયમીઓની નિયમાવલિ (૧૧૬) Α Α Α Αλλλλλλλλλλλ. '' ૪
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy