SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ નિષેધનું કારણ પણ સ્પષ્ટ છે કે પ્રતિલેખન મુખ્યત્વે ઉપધિમાં રહેલા જીવો વિગેરેને સમ્યગ્ રીતે છે કરી એમની રક્ષા કરવા માટે કરાય છે. હવે જો એ વખતે સંયમી બીજી બધી વાતોમાં ધ્યાન આપે આ તો પ્રતિલેખનમાં બે-ધ્યાન બને અને તો પછી યોગ્ય જયણાનું પાલન ન કરી શકાય. આમાં કેટલાંક સંયમીઓ એમ પણ કહે છે કે ધારો કે આઠ-દસ વસ્ત્રોનું પ્રતિલેખન કરવાનું હોય જ અને એમાં એક વસ્ત્રનું પ્રતિલેખન ચાલુ હોય તે વખતે કંઈ ન બોલાય. પણ એક વસ્ત્રનું પ્રતિલેખન કર્યા જ બાદ બીજા વસ્ત્રનું પ્રતિલેખન શરુ કરતા પૂર્વે બોલવામાં કોઈ વાંધો નથી. કેમકે આમાં પ્રતિલેખન જ બરાબર ન થાય કે બેધ્યાનતા રહે, એવું તો બનવાનું જ નથી. એટલે પ્રતિલેખનમાં બોલવાનો જે નિષેધ : જ કર્યો છે, તેનો અર્થ આવો સમજવો કે એક વસ્ત્રનું પ્રતિલેખન ચાલતું હોય ત્યારે ન બોલવું.” જ આ વાત ઉચિત નથી લાગતી. કેમકે આવી રીતે તો પછી બધી ક્રિયાઓમાં અધવચ્ચે ક્રિયા છે જ અટકાવીને બોલવાની છૂટ માનવી પડશે. ચાલુ પ્રતિક્રમણમાં સૂત્રો બોલવાના બંધ કરીને વચ્ચે વાતચીત ૪ ન કરી શકાય અને વાતચીત પુરી થાય એટલે પાછી એ ક્રિયા શરૂ કરી શકાય. એટલે સૂત્રોમાં ઉપયોગ જ ન રહેવા રૂપ દોષ તો લાગવાનો જ નથી: વળી હવે તો કોઈ એમ પણ કહે કે “એક વસ્ત્રનું અડધું પ્રતિલેખન થઈ ગયું અને એ વખતે કો'ક છે આ સંયમી એ પ્રતિલેખન અટકાવી દઈ વચ્ચે વાતચીત કરે અને એ પછી પાછું એ વસ્ત્રનું બાકી રહેલું અડધું જ જ પ્રતિલેખન કરે તો એ પણ ચાલી શકે.” તે પણ આવું તો માન્ય ન જ બને. એમ શરુ કરેલી પ્રતિલેખન ક્રિયા ત્યારે જ પૂર્ણ થયેલી ગણાય છે. છે જ્યારે બધા વસ્ત્રોનું પ્રતિલેખન થઈ જાય એ પછી જ કંઈપણ બોલી શકાય. હજી કદાચ વડીલોએ પુછેલા પ્રશ્નનો ઉત્તર આપવો વિગેરે અત્યંત આવશ્યક કારણોસર બોલવું આ જ પડે તેમ હોય તો ઉપરનો વિકલ્પ અપનાવાય કે એક વસ્ત્રનું પ્રતિલેખન પૂર્ણ કરી વચ્ચે ટુંકાણમાં ઉત્તર કે આપીને બીજું પ્રતિલેખન શરુ કરે. છે એમ કોઈક પચ્ચક્ખાણ માંગે, કોઈ સવારના આદેશો માંગે, શ્રાવકો પૌષધના આદેશો માંગે... ૪ વિગેરે બધામાં આ સમજી લેવું. પણ લાંબી વાતચીત કરવી પડે તેમ હોય, એક કરતા વધારે વાક્યો ૪ બોલવા પડે તેમ હોય ત્યારે તો આ રીતે વચ્ચે બોલવાની છૂટ ન જ લેવાય. છે આમ છતાં જો વચ્ચે બોલવું પડે, બોલાઈ જાય તો પછી ઇરિયાવહિ કરીને જ ફરી પ્રતિલેખન 8 જે કરવું. ચાલુ પ્રતિલેખનમાં ઠઠ્ઠામશ્કરી, હસી-મજાક જો કરાતી હોય તો એ તો અત્યંત ધૃણાસ્પદ ૪ બાબત કહેવાય. ૩૬. હું પ્રતિક્રમણાદિ કોઈપણ ક્રિયામાં વચ્ચે કંઈપણ બોલીશ નહિ. જો બોલવું પડે તો બોલ્યા કે બાદ ઈરિયાવહિ કરીને પછી બાકીની ક્રિયા કરીશ. ' કેટલાક સંયમીઓને એવી ટેવ હોય છે કે ચાલુક્રિયામાં પણ વચ્ચે વચ્ચે બીજાઓની સાથે જ વાતચીત કર્યા કરે. એમનું જગચિતામણીથી જયવીયરાય સુધીનું ચૈત્યવંદન પુરું થતા સુધીમાં તો આઠ: દસ સ્ટેશનો થઈ જાય. દસ-પંદર મિનિટ એમાં પસાર થઈ જાય. આ કેવી ભયંકર ઉપેક્ષા કહેવાય, છે તો હું IIM સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૭) તા . ૧૪
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy