SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ છે માત્ર મુનિપદવીવાળા ગુરુજીના આવા વર્તન પછી શું એ શિષ્યો ગુરુ પ્રત્યે સદ્ભાવ ટકાવી શકે છે જ ખરા? શિષ્યો પાસે સાચા શિષ્યત્વની અપેક્ષા રાખનારા ગુરુઓએ પોતાના સાચા ગુરુત્વને વિકસાવવુ જ જ ન જોઈએ ? શિષ્યની ઉંઘ ન બગડે એ માટે શિષ્ય પ્રત્યેના વાત્સલ્યભાવથી પ્રેરાઈને, આખો દિવસ છે એકપણ કામ ન કરનારા ગુરુજી શું એક પ્યાલો પરઠવી ન શકે? એની સામે આજે એવા ય ગુરુઓ છે કે જેમનું માનું પરઠવવા બીજા સાધુઓ ખૂબ ઇંતેજાર હોવા છે ૪ છતાં, ઘોર તપસ્વી હોવા છતાં ય એ ગુરુઓ પોતાનું માત્રુ જાતે પરઠવે છે. જ સુખી થવું હોય, આદેય બનવું હોય તો સ્વાધીનતા કેળવવી જ પડશે. - એક મહાન આચાર્ય ભગવંત એકવાર રૂમમાં બેસી સંઘના શ્રાવક સાથે અગત્યની ચર્ચા કરતા જ જે હતા. ત્યાં જ બાજુમાં આરામ કરતો બાળ સાધુ ઉઠીને કહે “મારે માત્ર જવું છે.” બહારના હોલમાં ૪૦- ૪ ૪ ૫૦ સાધુઓ હોવા છતાં આચાર્યદેવ જાતે ઉભા થયા. પ્યાલો લઈ બાળસાધુને આપ્યો અને પછી જ જ પાછળના રસ્તેથી જાતે માત્ર પરઠવી આવ્યા. આશ્ચર્ય પામેલા સંઘના અગ્રણી શ્રાવકે પુછયું કે “સાહેબ! ? જે બહાર હોલમાં ૪૦-૫૦ સાધુ હાજર છે. આપે બુમ મારી હોત તો ય કોઈપણ સાધુ આવીને માત્રુ પરઠવી છે આવત. આપ આચાર્ય થઈને માત્રુ પરઠવવા ગયા?” ત્યારે ગુરુદેવ બોલ્યા “મને બાળસાધુની વૈયાવચ્ચનો લાભ ક્યાંથી મળે?” મારી દષ્ટિએ તો જે સંયમીઓની સેવા કરવા માટે એમના ઘણાં શિષ્યો તલપાપડ છે. એવા જ જ સંયમીઓ સિવાયના બાકીના નાના-મોટા, તમામ સંયમીઓએ પોતાની માત્રાનો પ્યાલો જાતે જ જ છે પરઠવવાની દઢ પ્રતિજ્ઞા કરી લેવી જોઈએ. ૬૬. હું માત્ર કર્યા પછી તરત જ પ્યાલો પરઠવી આવીશ. રાખી મૂકીશ નહિ. જ કેટલાંક સંયમીઓ પ્યાલામાં માત્ર કર્યા બાદ બીજું કોઈક કામ યાદ આવતા એમ વિચારે કે “આ જ કોમ પતાવીને પછી પ્યાલો પરઠવી આવીશ.” દા.ત. થોડાક સાધુઓને વંદન બાકી છે. કે થોડુંક જ જ જે લખવાનું બાકી છે કે ૧૦-૧૫ મિનિટમાં જ પાઠ પતી જશે, પાઠ પતાવી દઉં. કે ૧૦-૨૦ મિનિટ આરામ છે જ કરી લઉં. કે ગુરુમહારાજે સોંપેલું કામ પતાવી દઉં. . ' આવા અનેક કારણસર માત્ર કર્યા પછી તરત જ પરઠવવાને બદલે મૂકી રાખે. મનમાં વિચારે જ છે કે પછી પરંઠવી દઈશ.” પણ વર્તમાનકાળના જીવોની યાદશક્તિ, ઉપયોગદશા, અપ્રમત્તતા કેટલી? એટલે પછી એ જ છે સંયમી પ્યાલો પરઠવવાનો ભુલી જાય. કલાક-બે કલાક પણ થઈ જાય. પછી જ્યારે કો'કની નજરમાં છે ૪ એ પ્યાલો આવે. બુમો પાડે ત્યારે પેલા સંયમીને યાદ આવે કે “મારો પ્યાલો રહી ગયો.” પણ હવે શું? સંમૂચ્છિમની વિરાધના તો થઈ જ ગઈ. ઘણીવાર તો આખી રાત સુધી પ્યાલો પડ્યો રહે અને છેક સવારે ય પ્યાલો પરઠવાય. એક જ જે સંયમી અડધી રાત્રે માત્રાની તીવ્ર શંકા થવાથી અડધી ઉંઘમાં ઉભો થઈને પ્યાલામાં માત્ર તો કરી જ આવ્યો. પણ પછી “થોડી વાર ઉંઘીને પરઠવીશ.” એમ વિચારી ઉંઘી ગયો અને સીધી સવાર જ પડી. અસંખ્ય સંમૂચ્છિમજીવોની વિરાધના કોઈપણ ભોગે ન જ થવા દેવાય. માટે જ બીજા બધા કામ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૮૯)
SR No.005780
Book TitleSamvigna Sanyamioni Niyamavali
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2006
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy