SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ & શાસનહીલના કામનાવારક વસ્ત્રો જીવન દીપાવે, ધનતે..૮ ધોળા વસ્ત્રો મુનિના મનના મલિનભાવ દઈ 'r 'r E D E F F E F F = ) > જીવો પ્રત્યેની કરુણા વિનાનો હોવાથી શી રીતે સાધુ કહેવાઉં? મેં હંમેશા ગરીબોને, તિર્યંચોને સુખી કરવાના પ્રયત્નો કર્યા છે, “એ ગરીબો નકામા છે. એમના પૂર્વભવના પાપે તેઓ ગરીબ બન્યા છે. એમાં આપણે શું?..” | | આવું કદી બોલ્યો નથી. એમની નિંદા કે એમના પર તિરસ્કાર કદી કર્યો નથી. તો તું | પછી આ ભક્તિહીન સાધુ વગેરે તરફ પણ મારો ભાવ કેવો હોવો જોઈએ? લાગણીથી 7 ૨ એમને બચાવવાના પ્રયત્નો મેં કર્યા છે જ ક્યાં ? માત્ર ગાળો ભાંડવાના જ કામ કર્યા છે લિ છે. હાય ! પ્રભુભક્તિ નામની મીઠાઈ મેં એટલી બધી વધારે ખાઈ લીધી છે કે એ ક મને પચી નથી. અને એટલે જ અજીર્ણ થયું છે મારા આત્માને ! એટલે જ જેમ ? ના અજીર્ણવાળાને અત્યંત દુર્ગધી અપાનવાયુ છૂટે, અનેક રોગો થાય... એમ મને પણ ના " આ નિંદા-તિરસ્કાર-ધિક્કાર વગેરે રોગો ઉત્પન્ન થયા છે. મારા મોઢામાંથી અપશબ્દો રૂપી દુર્ગધીવાયુ નીકળે છે. કેવું આશ્ચર્ય ! પ્રભુભક્તિ અનેક દોષો પેદા કરે, એ આનું નામ ! અને આ વાત લગીરે ખોટી નથી. મેં વૈરાગ્યકલ્પલતાનો શ્લોક ગોખેલો છે કે – यः साधुवादी कृतकर्मशुद्धिरागाढबुद्धिश्च सुभावितात्मा ! ___ न सोऽपि हि प्राप्तसमाधिनिष्ठः पराभवन्नन्यजनं स्वबुद्धया ॥ આ શ્લોક પ્રમાણે તો જે સુંદર વક્તા હોય, સાધુક્રિયાઓ શુદ્ધતમ આચરતો હોય, આગાઢબુદ્ધિવાળો હોય અને મહત્ત્વની વાત એ કે જેનો આત્મા બાર ભાવના : # - પ્રભુભક્તિ વગેરેથી ભાવિત થયેલો હોય... તો પણ જો એ આત્મા બીજા જીવોને 3 ત્ર પોતાની બુદ્ધિના બળે હલકા પાડે, તિરસ્કારે, ધિક્કારે, નિંદે તો એ સાધુ સમાધિમાં રસ લીન ન કહેવાય. આ આ શ્લોક ચોખ્ખું કહી દે છે કે બાર ભાવનાઓ, પ્રભુભક્તિ વગેરે હોય તો પણ આ જો પ્રગટેલા અહંકારથી પરનિંદાદિ દોષો ચાલુ જ હોય તો એ જીવ સમાધિસ્થ ન ||કહેવાય. એટલે મારામાં ખરેખર ભક્તિ છે, આંસુ છે, સંવેદના છે... એ બધું જ સાચું. પણ મારામાં સમાધિ = ઉપશમભાવ, શાંતચિત્ત નથી. કેમકે અહંકારથી મારો આતમ ખદબદે છે. એ જ ગ્રન્થમાં પેલો શ્લોક પણ કેવો મઝાનો છે ! 'ज्ञानी तपस्वी परमक्रियावान् सम्यक्त्ववानप्युपशान्तिहीनः । प्राप्नोति तं नैव गुणं कदापि समाधिशाली लभते शमी यम् ।' અહંકાર (૮૧) LIMDIMAAL
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy