SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અહી ભીની આંખો લુંછતા. ધન તે..૨૫ , ધરતી પર ભૂખ્યા તરસ્યા સુતી, એમવિચારી કરુણા લાવી ભીની આંખો કે, અગણિતજીવો આ ધરતી પર ભખ્યાતર, લ 5 x 3 4 5. પણ એ શ્રાવક પ્રત્યે અરુચિની લાગણી પણ પ્રગટવા લાગી હતી. હજી પાંચ જ મિનિટ આ પહેલા “રાગમાં સુધારો કરવા જેવો હોય તો...” એવું પૂછનારા અને ખરેખર કોઈએ T સુધારો સૂચવ્યો, ત્યારે એને સહર્ષ સ્વીકારી લેવાને બદલે હું કેવો મિજાજ ગુમાવી બેઠો | સ્ત હતો. મેં મારો બચાવ કરવા કહેલું કે “ભલે રાગ થોડો ઘણો તૂટે, પણ આ જુદા જુદા જુ રાગો જ લોકોને પ્રિય બને છે. તમે જો પ્રાસ પ્રમાણે ગાવા જાઓ, તો એક સરખો રાગ જ બોલવો પડે, એમાં કંઈ મજા ન આવે. અને નાકમાંથી અવાજ આવે છે, એ | તો હું જાણી જોઈને મારો રાગ તીણો કરું છું. મને તો એવો ખ્યાલ છે કે એવો તીણો | રોગ લોકોને ખૂબ જ ગમે છે. છતાં એમાં સુધારો કરી લઈશું...” આમ બચાવ કર્યા બાદ વળી મારી નમ્રતા દેખાડવા મેં કહેલું કે “તમે સૂચન કર્યું, એ સારું કર્યું. બીજું પણ કોઈ સૂચન હોય તો કહેજો હોં !” પણ મને સ્પષ્ટ લાગે છે કે પહેલું સૂચન પણ જો મને આગ લગાડી ગયું, તો મારી બીજા સૂચનની માંગણી | { માત્ર નમ્રતાનો દેખાવ કરવા કરતા વધારે કંઈ જ ન હતી. ત્યાં વળી એક શ્રાવક આવ્યો, અમારી અજિતશાંતિ અંગેની વાતો સાંભળીને કે એણે પોતાનો અનુભવ રજુ કર્યો કે “સાહેબ ! ફલાણા મહાત્માની અજિતશાંતિ તો આખા જૈનસંઘમાં વખણાય છે. એમનું અહીં ચોમાસું હતું, તો ચૌદશના દિવસે એમની અજિતશાંતિ સાંભળવા માટે ઘણા લોકો પ્રતિક્રમણ કરવા આવતા. અમારી સંખ્યા સામાન્ય ચૌદશો કરતા દોઢી થઈ જતી. અને શું એમનો લહેકો ! શું એમનો બુલંદ ૨ સ્વર ! શું એમની ગાવાની પદ્ધતિ ! અમે તો સાહેબ ! ભાન ભૂલી જતા. દર ચૌદશે 8 એમની પાસે જ અજિતશાંતિ બોલાવડાવતા.' - ' બિચારા એ શ્રાવકને ક્યાં ખબર હતી કે એ અજાણતા મારા બળતા હૈયામાં ધી ! હોમવાનું કામ કરી રહ્યો હતો. અને એ વખતે એ પરપ્રશંસા સહન ન થવાથી હું કેવો , નિંદાના કસુંબા ઘૂંટવા લાગી પડ્યો હતો. મેં કહ્યું હતું એ વખતે કે “જો ભાઈ ! એમનો રાગ સારો, એ વાત સાચી ! | પણ એ પ્રશંસવા જેવો નથી. કેમકે એ મહારાજ પીક્યરના ગીતોના આધારે જ બધા રાગો બેસાડે છે. એ ગીતોય પ્રાચીન હોત તો હજી સમજયા. પણ બિભત્સ શબ્દોવાળા એ નવા ગીતોના આધારે એ અજિતશાંતિ બોલે છે. મને ઘણાએ ફરિયાદ કરી છે કે એ ! ત્ર મહારાજની અજિતશાંતિ સાંભળતા અમને એ નવા ગીતો, એના દશ્યો યાદ આવે છે, ' મન વિકૃત બની જાય છે. હવે તમે જ કહો ! શ્રોતાઓને પાપો ઉભા કરાવતી આવી .. અજિતશાંતિની પ્રશંસા કેમ કરાય ? છે અહંકાર ૦ (૫) HTTITUTION જ ૨ ક. ૨ ‘ ||
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy