________________
૭૯
ચતુર્થ પલ્લવ લોચન કમળનો પરિહાસ કરે તેવાં, વર્ણ સુવર્ણને પણ ઝાંખુ કરે તેવો, કેશનો સમૂહ ભ્રમરના સમૂહ જેવો, તેમજ મૂતા સ્ત્રી જાતિને શોભાવે તેવી હતી. તેને સારી રીતે અભ્યાસ કરાવવાથી તે ચોસઠ કળામાં પ્રવીણ તેમજ બીજી સરસ્વતી જેવી થઈઅનુક્રમે તે યૌવનાવસ્થા પામી, ત્યારે સ્ત્રીસંબંધી બત્રીસ ગુણવાળી થઈ. તે બત્રીસ ગુણો આ પ્રમાણે–સુરૂપ, સુભગા, શોભા, સુવેષા, સુનેત્રા, સુગંધીશ્વાસવાળી, દક્ષા, વિશિષ્ઠા, સુખાશ્રયા, ન અતિમાના, ન અતિ નમ્રા, મધુરભાષિણી, સલજ્જા, રસિકા, ગીતનૃત્યજ્ઞા, વાઘવેદિકા, સુસ્વરા, અલોભી, પીનસ્તની, વૃત્તાનના, પ્રેમવતી, ફિતમતી, પતિભક્તા, વિનીતા, સત્યવાચા બોલનારી, સુવ્રતા, ઉદારા, સંતોષી, ધાર્મિકી, દોષનું આચ્છાદન કરનારી અને શાંતિયુક્ત–આવા ૩૨ લક્ષણ યુક્ત સ્ત્રી અંગીકાર કરવા યોગ્ય સમજવી.
હવે ન સ્વીકારવા યોગ્ય ૧૬ દોષ છે. જે દોષવાળી સ્ત્રીને ગ્રહણ કરવા યોગ્ય નથી તે બતાવે છે–શુપકાંગી, કૂપમંડા, પ્રવિરલદશના (છૂટા છૂટા દાંતવાળી) તાળવું, ઓષ્ઠ અને જીવ્યા જેની શ્યામ છે તેવી, પિંગળ નેત્રવાળી, વક્ર નાસિકાવાળી, ખર અને કર્કશ નખોવાળી, વામણી અથવા ઘણી લાંબી, શ્યામાંગી, નીચી ભૃકુટીવાળી, વિષમ કુચયુગવાળી, રોમયુક્ત જંઘાવાળી અને ધનપુત્રવિનાની એવી સ્ત્રી વર્જવી.
પીન ઉરૂવાળી, પીન ગંડસ્થળવાળી, નાના અને સરખા દાંતવાળી, કમળ જેવા નેત્રવાળી, બિંબફળ સમાન હોઠવાળી, લાંબી નાસિકાવાળી, હાથિણી જેવી ગતિવાળી, દક્ષિણાવર્તયુક્ત નાભિવાળી, સ્નિગ્ધ અંગવાળી, વૃત્ત મુખવાળી, પૃથુલ અને મૃદુ જઘનવાળી, સારા સ્વરવાળી, મનોહર કેશવાળી સૌભાગ્યશાળી અને પુત્રવતી–આવી સ્ત્રી સ્વીકાર કરવા યોગ્ય છે અને તેવી સ્ત્રીનો પતિ માટે રાજા થાય છે.
સર્વકળાસંપન શૃંગારસુંદરીને યૌવન પામેલી જોઈને તેના પિતા રાજાવીરસેન વિચારવા લાગ્યો કે–આ પુત્રીને કોના કુળમાં, ક્યા સ્થળમાં ને કોને આપશું? પુત્રી જન્મતાં શોક ઉપજાવે છે, મોટી થાય છે ત્યારે કોને આપશું? તે ચિંતા થાય છે અને આપ્યા પછી તે સુખી થશે કે નહીં ? તેની ચિંતા રહે છે–અર્થાત્ પુત્રી પિતાને નિરંતર દુઃખદાયક જ છે. વળી કહ્યું છે કે “મૂર્ખ, નિર્ધન, દૂર રહેનાર, શૂરવીર અને મોક્ષના અભિલાષી તેમજ ત્રણગણી વધારે ઉંમરવાળા વરને કન્યા ન આપવી. કુળ અને જાતિથી હીન, માતાપિતાનો વિયોગી, સ્ત્રીયુક્ત અને પુત્રોવાળા પુરુષને કન્યા ન આપવી. અત્યંત ધનાઢ્ય, અતિ શાંત, અતિ દ્વેષી, સરોગી અને વિકલાંગ પુરુષને કન્યા ન આપવી. કુશીલ, ચોર,જુગારી, મદિરાપાની, વિદેશી અને સ્વગોત્રીને કન્યા ન આપવી. ખાંધવાળા, અંધ, મૂર્ખ, દરરોજ ઉપજાવીને અર્થાત્ રોજનું રોજ ખાનારો, ઘણાનો પતિ અને અપવાદનું ભાજન હોય એવા મનુષ્યને કન્યા ન આપવી. કુળ, શીલ, સનાથતા, વિત્ત, વિદ્યા, શરીર અને વય ઈત્યાદિ જોઈને કન્યા આપવી. આ પ્રમાણે જોયા બાદ આપેલી કન્યા છેવટે તો કેવું ભાગ્ય હોય તે પ્રમાણે સુખ દુઃખ પામે.
રાજા વિચારે છે કે-“આ પુત્રીના સદ્દગુણોને યોગ્ય વર કેવી રીતે પ્રાપ્ત થશે ? જો એનો સ્વયંવર રચાય તો શ્રેયસ્કર થશે જેથી પુત્રી સ્વેચ્છાએ વરને વરે.” આ પ્રમાણે વિચારીને