SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પલ્લવઃ કે ‘‘આ સ્વપ્નના પ્રભાવથી તમને એક પુત્રની પ્રાપ્તિ થશે. તે પુત્ર સર્વગુણસંપન્ન, રત્નરાશિસમાન તેજવાળો અને પ્રબળ પ્રતાપવાળો થશે.' આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળીને હર્ષિત થયેલી રાણી પોતાનાં સ્થાને ગઈ અને પૃથ્વી નિધાનને ધારણ કરે તેમ તેણીએ ગર્ભધારણ કર્યો. ગર્ભવૃદ્ધિ પામતાં રાણીને અનેક પ્રકારના શુભ દોહદો ઉત્પન્ન થયા. રાજાએ તે સઘળા દોહદો પૂર્ણ કર્યા. તેથી રાણીનું ચિત્ત ઘણું પ્રસન્ન થયું. 99 એક દિવસ ગર્ભના પ્રભાવથી રાણીને એવી ઇચ્છા થઈ કે ‘હું ગજારૂઢ થઈને સમગ્ર પૃથ્વીને સાધુ.' રાણીના આ દોહદની જાણ થતાં તે દોહદ પૂરવો મુશ્કેલ હોવાથી રાજાએ સચિવોને બોલાવીને પૂછ્યું કે—‘રાણીનો આ દુઃશક્ય દોહદ શી રીતે પુરવો ?' મંત્રીઓએ વિમર્શ કરીને વીશ યોજનમાં જુદા જુદા દેશો બનાવ્યા. તે દેશોમાં રાણીને હાથી પર બેસાડીને ફેરવી,જેથી તેનો દોહદ પૂર્ણ થયો. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે પૂર્વદિશા જેમ સૂર્યને પ્રસવે તેમ રાણીએ સ્ફુરાયમાન કાંતિવાળા અને ઉત્તમ લક્ષણવાળા એક પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મની ખબર મળતા જ રાજા અત્યંત આનંદિત થયો. ‘ખરેખર, સુપુત્ર માતાપિતાને પરમ આનંદનું કારણ હોય છે.” જે પિતા પુત્ર થયા પછી તેને વિવિધ પ્રકારના વસ્ત્રોવડે, ઘણા પ્રકારના રસોવડે, સારી રીતે બોલાવવાવડે, ક્રીડા કરાવવાવડે, નામસ્થાપન, કેશવપન તેમજ આલિંગન અને વાહનાદિવડે, વિદ્યા ભણાવવાવડે, અનેક કાર્યમાં કુશળ કરવા વડે અને ગુણના આરોપણવડે પુત્રને પોતાનાથી અધિક કરે છે તે કેમ પ્રશંસનીય ન હોય ? વિનયપાળ રાજાએ અનેક પ્રકારના દાન-માન આપવાવડે પુત્રનો જન્મોત્સવ કર્યો, પોતાના દેશમાંથી કેટલાક કરો (ટેક્ષ) રદ કર્યા. ત્યારબાદ ભોજન, અલંકાર અને વસ્ત્રાદિવડે પોતાના ગોત્રીયજનોને સંતુષ્ટ કરીને રાજાએ વિનયપૂર્વક તેઓને કહ્યું કે—‘આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે તેની માતાએ સ્વપ્નમાં રત્નનો પુંજ જોયો હતો તેથી આ પુત્રનું નામ રત્નપાળ . થાઓ.” ગોત્રીઓએ હર્ષપૂર્વક તે વાત સ્વીકારી. પાંચ ધાવમાતાઓ દ્વારા લાલનપાલન કરાતો તે પુત્ર શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ પ્રતિદિવસ માતાપિતાના મનોરથો સાથે વૃદ્ધિ પામવા લાગ્યો. તેની જન્મપત્રિકામાં બુધ ઉચ્ચ હોવાથી રાજયોગ સ્પષ્ટ જણાતો હતો. ગુરુ, શુક્ર કેન્દ્રમાં રહેલા હતા અને મંગળ દશમે હતો. બુદ્ધ, શુક્ર ને બૃહસ્પતિ એ ત્રણમાંથી એક પણ ગ્રહ જો કેન્દ્રસ્થાને રહેલો હોય તો તે અવશ્ય મહીભોક્તા એટલે કે રાજા થાય છે. સૌમ્યગ્રહો ઉચ્ચસ્થાને હોય અને ક્રૂર ગ્રહો નીચસ્થાને રહેલા હોય, તેમજ પોતપોતાનાં સ્થાનમાં રહેલા શુભગ્રહોની દૃષ્ટિવાળા હોય તો તે પુરુષ સર્વ કાર્યને સાધનારો થાય છે. જ્યોતિષીના મુખેથી પુત્રનું આ પ્રમાણેનું ગ્રહબળ જાણીને રાજાએ બહુ હર્ષિત થઈ તે વિષયમાં વિશેષ પ્રવીણ એવા વિદુર નામના વિપ્રને બોલાવ્યો. અષ્ટાંગ નિમિત્તનો જાણ તે પંડિત હાથમાં પુસ્તક લઈને રાજા પાસે આવ્યો અને રાજાને ‘વિરે નય' એવા આશિષ આપ્યા. રાજાએ આસન આપવા દ્વારા તેનું સન્માન કરી તેની પાસે · ફળ મૂકી પ્રણામપૂર્વક પુત્રના લક્ષણો સંબંધી પૃચ્છા કરી. આવેલા વિષે કહ્યું કે—‘હે મહારાજ !
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy