________________
તૃતીય પલ્લવઃ
૭૧
મુનિને વહોરાવ્યો. મુનિ ત્યાંથી અન્યત્ર ગયા બાદ વિરધવલે બાકીના સાથવાથી પોતાની ક્ષુધા શાંત કરી. પછી પોતાના આત્માને ધન્ય માનતો તે કંઈક સવિચાર કરે છે તેટલામાં જેણે તમને સ્વપ્ન આપ્યું હતું તે શાસનદેવી ત્યાં આવી અને પ્રગટ થઈને બોલી કે– વિરધવલ તું ધન્ય છે, ભાગ્યવાનું! છે, મેં તને ચંદ્રધવલનું રાજ્ય આપ્યું છે. આ પ્રમાણે કહીને તે દેવી તેને અહીં લઈ આવી. તેથી હવે તેને રાજય આપીને તમે ચારિત્ર ગ્રહણ કરો.”
આ પ્રમાણેની વિરધવલની હકીકત સાંભળીને ચંદ્રધવલ રાજાએ તેને રાજય આપ્યું. વિરધવલે આડંબરપૂર્વક ચંદ્રધવલ રાજાનો દીક્ષા મહોત્સવ કર્યો. ચંદ્રધવલે તથા સ્ત્રી સહિત ધર્મદત્ત ગુરુમહારાજ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ગુરુમહારાજે તેમને યોગ્ય હિતશિક્ષા આપી. પછી પુણ્યથી રાજ્ય પામેલા વરધવલને ધર્મશિક્ષા આપતાં કહ્યું કે “હે વિરધવલ ! આ બધો ધર્મનો જ પ્રભાવ છે. ધર્મ જેના પિતા છે. ક્ષમા જેની માતા છે, મનઃસંયમ જેનો ભ્રાતા છે, સત્ય જેનો પુત્ર છે, દયા જેની બહેન છે, નીરાગતા જેની સ્ત્રી છે, ભૂમિતળ જેની શવ્યા છે, જેને દિશારૂપી વસ્ત્રો છે અને જ્ઞાનામૃતનું ભોજન છે. આવું પાપરહિત જેનું કુટુંબ છે. તેને કોઈ કષ્ટ છે જ નહીં. વળી ધર્મથી રાજ્ય પામી શકાય છે. ધર્મથી સુખ પામી શકાય છે અને ધર્મથી સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેથી તે ભવ્યપ્રાણીઓ ! તમે ધર્મને આચરો.”
હવે, ગુરભગવંતની દેશના સાંભળીને તથા વ્રત અંગીકાર કરનાર ધનવતીને જોઈને પેલી મર્કટી (વાંદરી) પણ જાતિસ્મરણ પામી અને ગુરુભગવંતના વચનથી બોધ પામી. તે બાકીના આયુષ્યમાં ધર્મનું આરાધન કરીને સૌધર્મ દેવલોકમાં દેવી થઈ અને ગુરુભગવંત વગેરેનું સાંનિધ્ય કરનારી થઈ.
- નૂતન શિષ્યોની સાથે ગુરુભગવંતે ત્યાંથી વિહાર કર્યો. ચંદ્રધવલ રાજર્ષિ અનુક્રમે સર્વસિદ્ધાંતના પારગામી થયા. અનુક્રમે તેઓ સૂરિપદ પામ્યા અને ઘાતકર્મ ખપાવીને કેવળી થયા. પછી ધર્મદત્તમુનિની સાથે વિચરતા અનેક ભવ્યજીવોને પ્રતિબોધ આપવા લાગ્યા. . આ બાજુ વિરધવલે નગરમાં પ્રવેશ કર્યો. સચિવ વગેરેએ શુભમુહૂર્તે તેનો રાજ્યાભિષેક કર્યો. સર્વ હકીકતની જાણ થતા વિરધવલના પિતાએ પણ પોતાનું રાજય તેને આપ્યું. તેથી વિરધવલ બંને રાજયનો અધિપતિ થયો. ચંદ્રધવલકેવળી વિહાર કરતાં કરતાં એક વખત ચંદ્રપુરી નગરીમાં પધાર્યા. સમાચાર મળતાં વરધવલ રાજા મહોત્સવ પૂર્વક વંદન કરવા આવ્યો. ગુરુમહારાજને વિધિપૂર્વક વંદન કરીને તે દેશના શ્રવણ કરવા બેઠો. ગુરુભગવંતે પણ પાપનો નાશ કરનારી ધર્મદેશના આપતા કહ્યું કે
' હે ભવ્યો ! દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખે-દુર્ગતિમાં પડવા ન દે તેને ધર્મ કહેવાય. ચતુર્ગતિરૂપ સંસારના વિસ્તારને હરનાર તે ધર્મ દાન વગેરે ચાર પ્રકારનો છે. તેમાં પ્રથમ દાનધર્મ કે–આ લોકમાં જે જે ઈષ્ટ વસ્તુઓ છે તે ભાવપૂર્વક ગુરુભગવંતને વહોરાવવી. એ પ્રકારે કરેલ થોડું પણ ધર્મ નાશ પામતું નથી. તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય જ છે. આ પ્રસંગ ઉપર હું એક કથા કહું છું તે હે રાજન્ ! તમે સાંભળો -